Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ગણેશ મંડળો માટે પ્રથમ પસંદ:કલકત્તાની ગંગા માટીમાંથી બનતી ગણેશ પ્રતિમાઓની માંગમાં ભારે ઉછાળો

    7 hours ago

    ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ગણેશ મંડળો મૂર્તિઓની ખરીદી માટે નવસારી તરફ આકર્ષાયા છે. પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા માટીની મૂર્તિઓના સ્થાપન અંગે કરાયેલી અપીલને ગણેશ મંડળોએ વ્યાપક આવકાર આપ્યો છે. આ સ્થિતિ વચ્ચે, નવસારીમાં બંગાળી કારીગરો દ્વારા ખાસ કલકત્તાથી મંગાવવામાં આવતી પવિત્ર ગંગા નદીની માટીમાંથી તૈયાર થતી ગણેશ પ્રતિમાઓની માગ અત્યંત વધી ગઈ છે. ગંગા માટીનું પવિત્રતા અને કલાત્મક મહત્વ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર ગણાતી ગંગા નદીના પટમાંથી કાઢવામાં આવેલી માટીમાંથી મૂર્તિ બનાવવાનો કન્સેપ્ટ ભક્તોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. આ માટીની ખાસિયત એ છે કે તેનાથી મૂર્તિનું ફિનિશિંગ અને કલાત્મકતા ઉચ્ચ કક્ષાની મળે છે તેમજ મૂર્તિને મજબૂતાઈ પણ પ્રાપ્ત થાય છે. સ્થાનિક માટીની સરખામણીએ ગંગા માટીની આ વિશેષતાને કારણે તેની માંગ વધી રહી છે. વધુમાં, આ મૂર્તિઓ વિસર્જન બાદ પાણીમાં સરળતાથી ઓગળી જતી હોવાથી પ્રકૃતિને પણ કોઈ નુકસાન પહોંચતું નથી. નવસારી કેવી રીતે બન્યું મૂર્તિકળાનું હબ? નવસારીમાં વર્ષોથી સ્થાયી થયેલા બંગાળી કારીગરો આબેહૂબ પ્રતિમાઓ બનાવવામાં મહારત ધરાવે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, બારડોલી, વ્યારા જેવા વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ અને કોલ્હાપુર જેવા શહેરોમાંથી પણ ગણેશ ભક્તો નવસારી આવે છે. ભક્તો પોતાની પસંદગીના ફોટો કે પોર્ટ્રેટ આપે તે મુજબ જ કારીગરો નવી નવી પેટર્ન સાથે હૂબહૂ મૂર્તિ તૈયાર કરી આપે છે. સ્થાનિક અર્થતંત્રને મળતો મોટો ટેકો મૂર્તિઓ તથા વિવિધ રાજશણગારની સામગ્રી મળીને ગણેશ ઉત્સવ દરમિયાન નવસારીમાં અંદાજે ₹200 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે. આ પ્રવૃત્તિથી શ્રદ્ધા અને ભક્તિના માહોલ સાથે સ્થાનિક અર્થતંત્રને મોટું બળ મળે છે અને કારીગરોને વ્યાપક રોજગારી પ્રાપ્ત થાય છે. કારીગરો અને ગણેશ મંડળોનો અનુભવ હિમાંશુ જાના (મૂર્તિકાર)એ જણાવ્યું હતું કે, હું છેલ્લા 26 વર્ષથી નવસારીમાં મૂર્તિઓ બનાવી રહ્યો છું. શરૂઆતમાં દુર્ગામાતાની મૂર્તિઓ બનાવતો હતો અને ત્યાર બાદ તબક્કાવાર ગણેશ પ્રતિમાઓ બનાવવાની શરૂઆત કરી. કલકત્તાથી મંગાવાતી ગંગા માટી પવિત્ર હોવાની સાથે ઉત્કૃષ્ટ ફિનિશિંગ આપે છે, જેના કારણે સુરત, વડોદરા, મુંબઈ અને કોલ્હાપુર જેવા દૂર-દૂરના શહેરોમાંથી લોકો અહીં ઓર્ડર આપવા આવે છે. તેજસ પટેલ (સભ્ય, નવસારી ગણેશ મંડળ)એ જણાવ્યું કે, નવસારીના મુખ્ય મંડળોની સાથે આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો મૂર્તિ ખરીદવા અહીં જ આવે છે. મૂર્તિ વેચાણ થકી અબજો રૂપિયાનું ટર્નઓવર થતાં નવસારી એક મુખ્ય વેપાર કેન્દ્ર બની ગયું છે, જેનાથી કારીગરોને ઉત્તમ રોજગારી મળે છે. ધર્મેશ પટેલ (ખરીદનાર, વલસાડ)એ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે નવસારીથી જ ગણપતિજીની મૂર્તિ બનાવીએ છીએ. કારીગરો દર વર્ષે નવી પેટર્ન અને ફિનિશિંગ સાથે કામ કરે છે. પવિત્ર ગંગા માટીનો ઉપયોગ થતો હોવાથી અમારી આસ્થા જળવાઈ રહે છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના કાંઠા વિસ્તારની પ્રોટેક્શન વોલ મુદ્દે વિધાનસભામાં રજૂઆત:ધારાસભ્ય ભરત પટેલે પ્રશ્ન ઉઠાવ્યો, મંત્રીએ સર્વે કરાવી કામગીરીની ખાતરી આપી
    Next Article
    "Those Driving Global Growth Must Have Say In Global Governance": PM At BRICS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment