Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં પોલીસનો લોકદરબાર યોજાયો:એસપી નીતેશ પાંડેયે લોકોની સમસ્યાઓ સાંભળી, સ્થાનિકોની સમસ્યાઓ અને સુરક્ષા મુદ્દે ચર્ચા

    1 day ago

    ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની હાજરીમાં બોરતળાવ પોલીસ મથક હેઠળની કુંભારવાડા પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી પાંડેયે લોકોની રજૂઆતો સાંભળી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. દારૂ, ડ્રગ્સ અને વ્યાજખોરીથી દૂર રહેવા અપીલ લોકદરબાર દરમિયાન એસપી નીતેશ પાંડેયે દેશી-ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, વ્યાજખોરી, લુખ્ખાગીરી અને સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. આવી પ્રવૃત્તિઓ અંગે કોઈ માહિતી મળે તો પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. એસપી નીતેશ પાંડેયે જણાવ્યું હતું કે પોલીસ હંમેશા પ્રજાની મિત્ર છે અને સમાજમાં ફેલાયેલી ગુનાહિત બદીઓ દૂર કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે લોકોને પોલીસ સાથે સંકલન જાળવીને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા જણાવ્યું હતું. ગેરકાયદે નાણાં ધીરધાર સામે અવાજ ઉઠાવવા હાંકલ એસપીએ લોકોને ગેરકાયદે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકોના 'અજગરી ભરડા'માં ન સપડાવા ચેતવણી આપી હતી. આવા ગેરકાયદે વ્યવસાય કરતા લોકો અંગે પોલીસને માહિતી આપી તેમને ખુલ્લા પાડવા માટે પણ સ્થાનિકોને હાંકલ કરવામાં આવી હતી. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા ચર્ચા આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ, નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ પર્વો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે અંગે પણ સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને લોકો વચ્ચે સંકલન પર ભાર મૂકાયો હતો. અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા અપીલ એસપી પાંડેયે લોકોને જણાવ્યું હતું કે આસપાસ બનતી અસામાજિક પ્રવૃત્તિઓનો જાહેરમાં વિરોધ કે રજૂઆત કરવામાં મુશ્કેલી પડતી હોય તો સ્થાનિક પોલીસ અથવા સીધો એસપીનો સંપર્ક કરી શકાય છે. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપવા તેમણે લોકોને અપીલ કરી હતી. પોલીસ અધિકારીઓ અને સ્થાનિકોની ઉપસ્થિતિ લોકદરબારમાં એસપી નીતેશ પાંડેય ઉપરાંત સિટી ડીવાયએસપી, બોરતળાવ પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બીજી તરફ કુંભારવાડા વિસ્તારના સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહી પોલીસ સમક્ષ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતભરના મેયરો સુરતમાં થશે એકત્ર:10 સપ્ટેમ્બરે ICCC ખાતે 'ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ'ની બેઠક મળશે, પાલિકા તંત્રએ તૈયારીઓ શરૂ કરી
    Next Article
    1કિલો પ્લાસ્ટિક જમા કરી માટીના ગણેશજી લેવા સુરતીઓનો ઉત્સાહ:700 મૂર્તિઓ ગણતરીના દિવસોમાં પૂર્ણ થતાં તંત્ર દોડતું થયું, ઉત્સાહ જોઈ વધુ 500 પ્રતિમાઓનો તાબડતોબ નવો ઓર્ડર આપવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment