Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાકિસ્તાની કોક સ્ટુડિયો ભારત કરતા ચડિયાતો':આતિફ અસલમે કહ્યું, 'અમારા ગીતોમાં જાદુ દેખાય છે, ભારતીય સંગીત વધારે કોમર્શિયલાઈઝ

    1 day ago

    પાકિસ્તાની સિંગર આતિફ અસલમ એ ભારત અને પાકિસ્તાનના લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ 'કોક સ્ટુડિયો' વચ્ચે સરખામણી કરતા પાકિસ્તાન કોક સ્ટુડિયોને વધુ સારો ગણાવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં આતિફે કહ્યું કે, 'કોક સ્ટુડિયો પાકિસ્તાનની સફળતા પાછળ તેનું 'રો અને ઓરિજિનલ' સંગીત છે, જ્યારે કોક સ્ટુડિયો ઇન્ડિયામાં 'કમર્શિયલાઇઝેશન' (વ્યવસાયીકરણ) વધુ પ્રભાવી દેખાય છે. ‘ભારતીય સંગીતમાં વ્યાપારીકરણ હાવી’ દુબઈના રેડિયો સ્ટેશન 'મિર્ચી યુએઈ'ને આપેલા ઇન્ટરવ્યુમાં આતિફ અસલમે બંને દેશોના કોક સ્ટુડિયોના કામ કરવાની રીત વિશે વાત કરી. આતિફે કહ્યું, 'બંને તરફ સંગીતની કમ્પોઝિશન ઉત્તમ બનાવવામાં આવે છે, પરંતુ ભારતીય સંગીતમાં તે રો-નેસ ગાયબ છે, જે અમારા ગીતોમાં હોય છે.' તેણે આગળ કહ્યું, ‘ઇન્ડિયન કોક સ્ટુડિયો કોમર્શિયલાઇઝેશન પર ખૂબ જ વધારે ભરોસો કરે છે અને ગીતોને બજારના હિસાબે ઢાળે છે. તેનાથી વિપરીત, પાકિસ્તાની કોક સ્ટુડિયો સંપૂર્ણપણે ઓરિજિનલ કમ્પોઝિશન પર ભાર મૂકે છે. ત્યાં સંગીતકારો પાસે પોતાની કલા બતાવવાની આઝાદી હોય છે અને એક રીતે આ તેમના માટે કરો યા મરોની સ્થિતિ હોય છે, જ્યાં તેઓ પોતાની અલગ ઓળખ જોડી શકે છે.’ 2008માં શરૂ થયું કોક સ્ટુડિયો પાકિસ્તાન કોક સ્ટુડિયો પાકિસ્તાનની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. તેના ફાઉન્ડર અને પ્રોડ્યુસર રોહેલ હયાત હતા. આ શોએ પરંપરાગત સૂફી, કવ્વાલી, ગઝલ અને લોક સંગીતને આધુનિક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ભેળવીને ફ્યુઝન મ્યુઝિકને એક નવું સ્થાન આપ્યું. કોક સ્ટુડિયો ભારત: 2011માં શરૂઆત થઈ હતી ભારતમાં કોક સ્ટુડિયોની શરૂઆત વર્ષ 2011માં 'એમટીવી કોક સ્ટુડિયો ઇન્ડિયા'ના નામથી થઈ હતી. શરૂઆતી સીઝન્સમાં એ.આર. રહેમાન, અમિત ત્રિવેદી અને ક્લિન્ટન સેરેજો જેવા સંગીતકારોએ ઘણા ઉત્તમ ઓરિજિનલ ટ્રેક્સ બનાવ્યા, પરંતુ પછીના વર્ષોમાં આ પ્લેટફોર્મ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ કમ્પોઝર્સના પ્રભાવમાં વધુ આવી ગયું. ભારતમાં પ્રતિબંધિત થયા, કહ્યું- લોકો VPN થી ગીતો સાંભળે છે આ પહેલા આતિફ અસલમે ભારતમાં લાગેલા પ્રતિબંધ પર વાત કરતા કહ્યું કે લોકો VPN દ્વારા તેનું સંગીત સાંભળે છે અને તે તેના ચાહકોને યાદ કરે છે. આ વાત તેણે રેડિયો પ્રેઝન્ટર ક્રિસ ફેડની યુટ્યુબ ચેનલ પરની વાતચીતમાં કહી. વાતચીતમાં આતિફ અસલમે કહ્યું, 'મને ભારતમાં પ્રતિબંધિત થયાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. આ ભારતીય સરકારનો નિર્ણય હતો. તેમણે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. ભારતીય કલાકારો પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે. છેલ્લા 10 વર્ષથી. મેં ત્યાં કોઈ ગીત રિલીઝ કર્યું નથી.' તેણે ભારતીય ચાહકો દ્વારા સતત તેનું સંગીત સાંભળવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'લોકો VPN (વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા તેમનું સંગીત સાંભળે છે અને CD બનાવીને બીજાને આપે છે.' તેણે કહ્યું કે, 'હું પાઇરેસીને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ સંગીત જ્યાં પહોંચવાનું હોય છે, ત્યાં પહોંચી જાય છે. મારા પહેલા સિંગલ સાથે પણ આવું જ થયું હતું.' આતિફે ભારતીય ચાહકોને નિરાશ ન થવા કહ્યું ભારતીય ચાહકો માટે આતિફે કહ્યું, 'હા, આને લઈને ખરાબ ન અનુભવો. ઉદાસ ન થાઓ. હું હંમેશાથી તમને કહેવા માંગતો હતો કે મને તમારી યાદ આવે છે. મને ત્યાં કામ કરવાની યાદ નથી આવતી, પરંતુ તમારી યાદ આવે છે.' આતિફે આગળ કહ્યું કે, 'મેં પ્લેબેક સિંગિંગમાંથી ઘણું શીખ્યું છે. જો આના પર પ્રતિબંધ ન લાગ્યો હોત, તો કદાચ હું મારું પોતાનું સંગીત ન બનાવી શક્યો હોત. તેથી આ માટે પણ હું તમારો આભાર માનું છું.' પાકિસ્તાની કલાકારો પર શા માટે પ્રતિબંધ લાગ્યો હતો સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આ દરમિયાન ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) એ તેના નિર્માતા સભ્યોને ભારત-પાકિસ્તાનના સંબંધો સામાન્ય ન થાય ત્યાં સુધી પાકિસ્તાની કલાકારો અને ટેકનિશિયનોને કામ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, 2016 પછી પણ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં આતિફ અસલમના ગીતો આવ્યા. 2017માં ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું ‘દિલ દિયાં ગલ્લાં’, ‘રાબ્તા’નું ‘દરઅસલ’, ‘ટ્યુબલાઈટ’નું ‘મૈં અગર’ અને ‘કરીબ કરીબ સિંગલ’નું ‘જાને દે’ રિલીઝ થયું. વળી, 2018માં ‘બાગી 2’નું ‘ઓ સાથી’, ‘સત્યમેવ જયતે’નું ‘પાનીઓ સા’, ‘લવયાત્રી’નું ‘તેરા હુઆ’ અને ‘જીનિયસ’નું ‘દિલ મેરી ના સુને’ ગીત રિલીઝ થયું. વળી, માર્ચ 2019 પછી તેનું કોઈ ગીત બોલિવૂડ ફિલ્મોમાં રિલીઝ થયું નથી. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલાના થોડા દિવસો પછી ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની એક્ટર્સ અને કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ હુમલામાં 40 CRPF જવાનોએ જીવ ગુમાવ્યા હતા. 2025માં પહેલગામ આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો. આ પછી ભારત સરકારે પાકિસ્તાની ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો અને પોડકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે IT રૂલ્સ 2021 હેઠળ OTT અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ પરથી પાકિસ્તાની કન્ટેન્ટ હટાવવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત ઘણા પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ભારતમાં કામચલાઉ ધોરણે બ્લોક કરવામાં આવ્યા હતા. તેમાં માહિરા ખાન અને હાનિયા આમિર જેવા કલાકારોનો સમાવેશ થતો હતો.
    Click here to Read More
    Previous Article
    Vivo Buds India Launch Teased: Expected Features and Details
    Next Article
    ભલે વરસાદ આવે કે પૂર.. લગ્ન તો કરીશું જ, VIDEO:કમર સુધી ભરાયેલા પાણીની વચ્ચે કપલે ચર્ચમાં લગ્ન કર્યા, વીડિયો સો.મીડિયા પર છવાયો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment