Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં બોટાદમાં હિન્દુ સંમેલન:દેશભરમાં હનુમાન ચાલીસા પાઠ વધારવા અપીલ કરાઈ

    9 hours ago

    બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પ્રવીણભાઈ તોગડિયાએ દેશના ગામડે-ગામડે અને શહેરોમાં દર શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આ પાઠ દ્વારા હિન્દુ સમાજને એકજૂથ અને સંગઠિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંમેલનમાં માહિતી આપવામાં આવી હતી કે બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ 80થી વધુ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ યોજાય છે. દેશભરમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠની સંખ્યા 1 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માંખી નિકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વિડિયો વાયરલ, ગ્રાહકે કહ્યું - પિત્ઝામાં માંખી મેલ્ટ થઈ ગઈ છે !
    Next Article
    આજીડેમ કાંઠેથી મળેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો:3 હત્યા કરી ચૂકેલા સાયકો રમેશે અપહરણ બાદ હવસ સંતોષી હત્યા કરી, 3 વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment