Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતરના ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગના દર્શન:પૌરાણિક પાંચાળ ભૂમિ મહાભારત કાળને સમાવીને બેઠી છે; દ્રૌપદી સ્વયંવર અને અર્જુન મત્સ્યવેધ અહીં થયા હતા

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર) મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે હજારો શિવભક્તોનું ઉમટી પડવું અને બે વિશિષ્ટ શિવલિંગના દર્શન કરી શિવભક્તિમાં લીન થવું એ પ્રાચીન પૌરાણિક સંસ્કૃતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ દર્શાવે છે. આ પવિત્ર ધામમાં સ્થાપિત પ્રાચીન અને નવીન શિવલિંગનો મહિમા માત્ર શ્રદ્ધા પૂરતો સીમિત નથી, પરંતુ તે ગુર્જર પ્રતિહાર શૈલીના દસમી સદીના અજોડ શિલ્પકલા વારસાને પણ ઉજાગર કરે છે. મહાભારત કાળના દ્રૌપદી સ્વયંવર અને અર્જુન દ્વારા કરાયેલા મત્સ્યવેધ જેવા પૌરાણિક પ્રસંગો સાથે જોડાયેલા આ સ્થળે આવેલા ત્રણેય પવિત્ર કુંડ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે. વધુમાં, ભાદરવા સુદ-ચોથે પાળિયાદની જગ્યા પરથી ચડાવાતી 52 ગજની ધજા અને ઋષિ પંચમીના દિવસે ભરાતો વિશ્વવિખ્યાત ભાતીગળ મેળો આ ક્ષેત્રને લોકસંસ્કૃતિ, રમતગમત અને પરંપરાનું વૈશ્વિક પ્રતીક બનાવે છે. બે શિવલિંગ અને ત્રિનેત્રેશ્વર નામનો પૌરાણિક ઇતિહાસ તરણેતરના મંદિરમાં સ્થાપિત બે શિવલિંગ પૈકી મોટું શિવલિંગ અતિ પ્રાચીન છે, જ્યારે નાનું શિવલિંગ લખતરના રાજવી કરણસિંહજીએ ઓગસ્ટ 1902માં કરાવેલા જીર્ણોદ્ધાર સમયે સ્થાપિત કરાયું હતું. પૌરાણિક કથા મુજબ, 78,000 ઋષિમુનિઓની તપોભૂમિ એવા આ સ્થળે ભગવાન વિષ્ણુ રોજ 1,008 કમળ ચડાવતા હતા. પરીક્ષા સમયે એક કમળ ઓછું પડતાં વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખ અર્પણ કરી દીધી હતી. મહાદેવે પ્રસન્ન થઈ આંખ પૂર્વવત કરી તે નેત્ર પોતાના કપાળમાં ધારણ કર્યું, જેથી તેઓ 'ત્રિનેત્રેશ્વર' અને આ ક્ષેત્ર 'તરણેતર' તરીકે ઓળખાયું. મહાભારત કાળની દ્રૌપદી સ્વયંવર અને મત્સ્યવેધની કથા આ પવિત્ર સ્થળ પાંચાળ પ્રદેશનો ભાગ છે, જ્યાં મહાભારત કાળમાં રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હતો. મંદિરમાં આવેલા વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ પૈકી કુંડમાં અર્જુને બ્રાહ્મણ વેશમાં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા. અન્ય એક લોકવાયકા મુજબ અયોધ્યાના રાજા યુવનાશ્વના પુત્ર રાજા મંધાતાએ પણ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પ્રતિહાર કાળનું સ્થાપત્ય અને કરણસિંહજીનો જીર્ણોદ્ધાર ગુર્જર પ્રતિહાર શૈલીની કોતરણી ધરાવતું આ શિવાલય 10મી સદીનું હોવાનું પુરાતત્વ વિદો માને છે. 15 જૂન 1846ના રોજ ગાદી પર બેઠેલા લખતરના ઠાકોર કરણસિંહજીએ ₹1,00,000ના ખર્ચે 1894માં લખતર કિલ્લો બનાવ્યા બાદ, 1902માં પોતાની પુત્રી કરણબાના સ્મરણાર્થે આ મંદિરનો આધુનિક જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અદ્ભુત શિલ્પકલાના કારણે આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક સચવાયેલું છે. સંસ્કૃતિનો સંગમ અને ભાદરવી પાંચમનો લોકમેળો ભાદરવા સુદ-પાંચમે (ઋષિ પંચમી) શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા સાથે અહીં 24 કલાક ચાલતો 3 દિવસનો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો ભરાય છે. ભાદરવા સુદ-ચોથે પાળિયાદ વિસામણ બાપુની જગ્યા પરથી 52 ગજની ધજા ચડાવાય છે. માલધારી, રબારી, કોળી અને કાઠી દરબાર સહિત તમામ સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં રાસ, હુડો, દુહા, છંદ, અશ્વદોડ, કુસ્તી અને છત્રી હરિફાઈ જેવી વિવિધ રમતોમાં ભાગ લે છે. દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓ માટે મફત રાવટી અને ભોજન સેવા પણ ઉપલબ્ધ કરાવાય છે.
    Click here to Read More
    Previous Article
    'દલાઈ લામાઃ ખામોશ લોગોં કી ઓર સે':75 વર્ષની પીડા, અહિંસા અને આશાનો જીવંત દસ્તાવેજ, 14મા દલાઈ લામાની આત્મકથા તિબેટના સંઘર્ષને સમજવાની નવી દ્રષ્ટિ આપશે
    Next Article
    સાહેબ મિટિંગમાં છે:એક મહિનામાં જ CM બાદ અમિત શાહની અમરેલી મુલાકાતથી રાજકીય અટકળો તેજ, આનંદીબહેનના રાજીનામાની અફવા ફેલાવવા પાછળ કોનું ભેજું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment