Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:નાગરિકલક્ષી કામોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરાઈ; પ્રભારી સચિવે નાગરિકોના પ્રશ્નો ઉકેલવા ખાસ ડ્રાઇવ સૂચવી

    14 hours ago

    જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને વિવિધ નાગરિકલક્ષી કામોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે રસ્તા પર બાયપાસની જરૂરિયાતનો પ્રશ્ન રજૂ થયો. કોદિયા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલા જર્જરિત આવાસો દૂર કરવા અંગે પણ ચર્ચા થઈ. સૂત્રાપાડા અને તાલાળા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી, ગ્રામ પંચાયતની આવક-વપરાશ, અને નાણાપંચની ગાઈડલાઈન મુજબ ગ્રામ પંચાયતના વોર્ડ માટે આયોજન જેવા મુદ્દાઓ પણ જનપ્રતિનિધિઓએ રજૂ કર્યા. આ ઉપરાંત, બાદલપરા ગામે સાયકલોન સેન્ટર બનાવવાની માંગ અને વેરાવળ તાલુકા-શહેરમાં સુડા અંતર્ગત જર્જરિત બિલ્ડિંગોના પુનઃનિર્માણ માટે મંજૂરી આપવાના પ્રશ્ને પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. પ્રભારી સચિવ જેનુ દેવને રજૂ થયેલા તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં જરૂરી વિગતો પૂરી પાડવા સૂચના આપી. વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને કામગીરી કરવા અને નાગરિકોની મુશ્કેલીઓનો ત્વરિત ઉકેલ લાવવા ખાસ ડ્રાઈવ યોજવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું. પ્રભારી સચિવે અધિકારીઓના વહીવટી પ્રશ્નો અંગે પણ મહત્વની સૂચનાઓ આપી. તેમણે અધિકારીની નિવૃત્તિના છ મહિના અગાઉથી પેન્શન કેસ તૈયાર કરવા, એનપીએસમાંથી ઓપીએસમાં ફેરવવાની પ્રક્રિયા, તેમજ ફિક્સ-પેમાંથી ફૂલ-પેમાં આવેલા કર્મચારીઓની બાકી રહેલી પ્રક્રિયા પ્રો-એક્ટિવ અભિગમ સાથે પૂર્ણ કરવા જણાવ્યું. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વારસાઈ સંબંધિત પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ વિવિધ કચેરીઓના પત્રકોના રિવ્યૂ, અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, સિટિઝન ચાર્ટર, પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત, અને જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અંગેની વિગતો રજૂ કરી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
    Click here to Read More
    Previous Article
    આપ અને કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, ગૃહમંત્રીના રાજીનામાની માગ:​"મંત્રીઓ અને વહીવટદારોના હપ્તા કમલમ સુધી પહોંચે છે" પોલીસ અને વહીવટી તંત્ર સામે સીધા આક્ષેપ - ગોપાલ ઇટાલીયા
    Next Article
    રાજપાલ યાદવને 13 વર્ષમાં 250 કરોડનું નુકસાન થયું:16 કરોડની લોન ન ચૂકવી શકતા ઘરની હરાજી થશે, એક્ટરે કહ્યું- 'જેના પૈસા બાકી છે, તેને ઘરે પહોંચાડી દઈશ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment