Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંતેશ્વરમાં યુવકની હત્યા કેસમાં બે આરોપીને પોલીસે દબોચ્યા:ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, બે ફરાર આરોપીની શોધખોળ; મેહુલ દરબારની છરીના ઘા મારી હત્યા કરી હતી

    12 hours ago

    વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં 12 ઓગસ્ટે મેહુલ ભરતસિંહ દરબારની હત્યા થઈ હતી. આ હત્યાના ગંભીર બનાવમાં મકરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 12 ઑગસ્ટે મેહુલ પર છરીથી હુમલો કર્યો હતો શહેરના દંતેશ્વર વિસ્તારમાં તા.12 ઓગસ્ટના રોજ બપોરના સમયે મેહુલ ભરતસિંહ દરબાર (ઉં.વ.26) તથા અન્ય લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મેહુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મેહુલનું મોત થતાં સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે હત્યાના કેસમાં બે આરોપીને દબોચ્યા ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસને તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ માનવ ઉર્ફે કાંચો વીરબહાદુર ગોરખા (ઉં.વ.23), રહે.નવીનગરી, કલ્યાણનગર, કારેલીબાગ તથા પદમ ઉર્ફે ડાન્સર ગોપાલભાઈ અર્જુનભાઈ સોની (ઉં.વ.31), રહે. અમરશ્રદ્ધા સોસાયટી પાછળના વુડાના મકાન ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખીને જ્યાં મેહુલ પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી તે સ્થળે લઈ જવામાં આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન કરાયુ, બે ફરાર આરોપીની શોધખોળ પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટનાક્રમ અંગેની વિગતો મેળવી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હુમલો કઈ રીતે થયો, આરોપીઓની ભૂમિકા શું હતી અને ઘટનાસ્થળે કઈ રીતે સમગ્ર બનાવ બન્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં અન્ય આરોપીઓની ભૂમિકા તેમજ હુમલા પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વંદે માતરમના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપની કેન્ડલ માર્ચ:જિલ્લા પંચાયત ચોક નજીક કોંગ્રેસ કાર્યાલય પાસે ડીજેના તાલે રાષ્ટ્રગાન લલકાર્યું, રાહુલ - સોનિયાના કરતૂતનો નારેબાજી કરી વિરોધ
    Next Article
    ટોપ-10 માંથી 5 કંપનીનું માર્કેટ કેપ ₹1 લાખ કરોડ ઘટ્યું:TCS ટોપ લૂઝર, વેલ્યુ ₹34,263 કરોડ ઘટી; LICની વેલ્યુ વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment