Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે હરિયાળી ત્રીજ:શિવ-પાર્વતીના વ્રતથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ રહેશે, મહિલાઓ સાથે પુરુષો પણ રાખી શકે છે વ્રત

    1 day ago

    ગઈકાલથી શ્રાવણ મહિનાનો શુભારંભ થયો છે. આ મહિનાનું પહેલું મોટું વ્રત હરિયાળી ત્રીજ 15 ઓગસ્ટે છે. હરિયાળી ત્રીજના દિવસે મહિલાઓ ખાસ વ્રત રાખે છે. આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ચોમાસામાં ચારેબાજુ હરિયાળી છવાઈ ગઈ હોય છે, વૃક્ષો-છોડ પર નવી રોનક દેખાઈ રહી હોય છે અને પ્રકૃતિની સુંદરતા નિખરી ગઈ હોય છે. દર વર્ષે આ તિથિ પર આવો જ નયનરમ્ય નજારો રહે છે, તેથી આ વ્રતનું નામ હરિયાળી ત્રીજ પડ્યું. તૃતીયા તિથિની સ્વામિની દેવી ગૌરી એટલે કે માતા પાર્વતી માનવામાં આવી છે. આ જ કારણે આ પર્વને ગૌરી ત્રીજ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા પાર્વતીની પૂજા કરવા અને વ્રત રાખવાથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ દિવસે કુંવારી કન્યાઓ સારા જીવનસાથીની કામનાથી દેવી પાર્વતીની પૂજા કરે છે. હરિયાળી ત્રીજ મહિલાઓ માટે શા માટે ખાસ છે? ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, લગ્ન પછી મહિલા માટે પહેલો શ્રાવણ વિશેષ મહત્વ ધરાવે છે. જૂના સમયથી જ નવવિવાહિત મહિલાઓને શ્રાવણમાં પિયર કે સાસરીયા તરફથી નવા કપડાં, ઘરેણાં અને શૃંગારની વસ્તુઓ આપવાની પરંપરા રહી છે. હરિયાળી ત્રીજના અવસરે મહિલાઓ શોળ શૃંગાર સજીને તૈયાર થાય છે અને આ દિવસે પરંપરાગત રીતે લીલા વસ્ત્રો પહેરવા શુભ મનાય છે. પહેલાના સમયમાં મહિલાઓ પોતાની બહેનપણીઓ સાથે મળીને શ્રાવણના ગીતો ગાતી હતી, ઝૂલા ઝૂલતી હતી અને વ્રત-પર્વનો આનંદ લેતી હતી. આજે પણ ઘણી જગ્યાએ આ પરંપરાને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હરિયાળી ત્રીજ સાથે જોડાયેલી માન્યતાઓ હરિયાળી ત્રીજ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ. આ દિવસે મહિલાઓ સવારે સ્નાન વગેરેથી પરવારીને પૂજાની તૈયારી કરે છે. માતા પાર્વતીને સૌભાગ્યની વસ્તુઓ, જેમ કે લાલ ચુંદડી, લાલ બંગડીઓ, કુમકુમ, સિંદૂર, બિંદી અર્પણ કરે છે અને ભગવાન શિવનું પણ પૂજન કરે છે. એવી માન્યતા છે કે, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે શ્રાવણ મહિનાથી કઠોર તપસ્યા શરૂ કરી હતી. લાંબા સમય સુધી તપસ્યા કર્યા પછી ભગવાન શિવે તેમની તપસ્યા સ્વીકારી. તેથી, હરિયાળી ત્રીજને પતિ-પત્નીના પ્રેમ, સમર્પણ અને વૈવાહિક સુખ સાથે પણ જોડીને જોવામાં આવે છે. હરિયાળી ત્રીજનું વ્રત ફક્ત વિવાહિત મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. કુંવારી કન્યાઓ પણ આ દિવસે માતા પાર્વતીની પૂજા કરે છે. એવી માન્યતા છે કે, દેવીની આરાધના કરવાથી કન્યાઓને મનપસંદ અને યોગ્ય જીવનસાથી મળવાની મનોકામના પૂરી થઈ શકે છે. વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, પરિવારમાં સુખ-શાંતિ અને દાંપત્ય જીવનમાં પ્રેમ જાળવી રાખવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે મહિલાઓ પોતાની શ્રદ્ધા અનુસાર વ્રત રાખે છે અને પૂજા-અર્ચના કરે છે. શ્રીકૃષ્ણ મંદિરોમાં પણ સજાવવામાં આવે છે હિંડોળા હરિયાળી ત્રીજનો સંબંધ ફક્ત શિવ-પાર્વતીની પૂજા સાથે જ નથી. આ તિથિ પર ઘણા કૃષ્ણ મંદિરોમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીવિગ્રહને સુંદર હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. પુરુષો પણ રાખી શકે છે હરિયાળી ત્રીજનું વ્રત હરિયાળી ત્રીજને સામાન્ય રીતે મહિલાઓના વ્રત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ માન્યતાઓ અનુસાર પુરુષો પણ આ વ્રત રાખી શકે છે. જે પરિવારોમાં પતિ-પત્ની વચ્ચે મતભેદ કે મનદુખ રહે છે, તેઓ પણ શ્રદ્ધાપૂર્વક શિવ-પાર્વતીની પૂજા કરી શકે છે. માન્યતા છે કે, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર સમજણ વધારવાની પ્રેરણા મળે છે. તેથી આ પર્વ પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ પણ આપે છે. હરિયાળી ત્રીજ પર અવશ્ય વાવો છોડ હરિયાળી ત્રીજ પ્રકૃતિ સાથે જોડાયેલો પર્વ છે. તેથી આ દિવસે ઘરની આસપાસ છોડ વાવવા જોઈએ, સાથે જ આ છોડ મોટા થાય ત્યાં સુધી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    LPG Rules: घर में कितने एलपीजी सिलेंडर रख सकते हैं? इतने से ज्‍यादा रखा तो होंगे जब्‍त, जमाखोरी का जुर्माना भी लगेगा
    Next Article
    ઉત્તરાખંડ-ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 મોત, 3 હજુ પણ ફસાયેલા:15 કલાકથી બચાવ ટીમો શોધી રહી છે; CM ધામી ટનલની અંદર પહોંચ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment