Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે:ભારતમાં અંગદાનમાં નિરસતાને પગલે લાખો લોકો ગુમાવે છે જીવ; જાણો ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દરેક પ્રશ્નોના જવાબ

    1 day ago

    કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાનું કોઈ અંગ દાન કરવું, કદાચ આનાથી મોટો માનવીય ઉપહાર બીજો કોઈ ન હોઈ શકે. પરંતુ ભારતમાં દર વર્ષે હજારો લોકો માત્ર એટલા માટે સમય પહેલાં જીવનથી હારી જાય છે, કારણ કે આપણા દેશમાં જરૂરિયાત મુજબ દાતાઓ નથી. જ્યારે સત્ય તો એ છે કે એક વ્યક્તિ પોતાના અંગોનું દાન કરીને આ દુનિયામાંથી ગયા પછી પણ 8 લોકોને નવું જીવન આપી શકે છે. અંગદાન પ્રત્યે જાગૃતિ વધારવા માટે દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ મનાવવામાં આવે છે. ભારતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ ખૂબ ઓછી છે. આ જ કારણ છે કે અહીં અંગોની માંગ અને ઉપલબ્ધતા વચ્ચે મોટો તફાવત છે. ‘નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન’ (NOTTO) અનુસાર, માર્ચ 2026 સુધીમાં દેશમાં લગભગ 90 હજાર દર્દીઓ અંગ પ્રત્યારોપણની વેઈટિંગ લિસ્ટમાં હતા, જ્યારે 2025માં લગભગ 20 હજાર અંગ પ્રત્યારોપણ જ થઈ શક્યા. વળી, ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ-ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, વર્ષ 2021માં ભારતમાં કિડની, લિવર, હૃદય અને ફેફસાંના લગભગ 3.9 લાખ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. સંશોધકોનો અંદાજ છે કે, 2040 સુધીમાં આ જરૂરિયાત વધીને વાર્ષિક લગભગ 4.63 લાખ થઈ શકે છે. અંગદાનની જરૂરિયાત આટલી વધારે હોવા છતાં, તેને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો અને ગેરસમજો છે. તેથી આજે ‘કામના સમાચાર’માં ઓર્ગન ડોનેશન વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અત્તાર મોહમ્મદ ઇસ્માઇલ, કન્સલ્ટન્ટ, યુરોલોજી, રીનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ પ્રશ્ન- ઓર્ગન ડોનેશન શું છે? જવાબ- અંગદાન એટલે કોઈ જરૂરિયાતમંદ દર્દીની સારવાર માટે પોતાના અંગો (ઓર્ગન) કે પેશીઓ (ટિશ્યૂઝ)નું દાન કરવું. અંગદાન બે રીતે થાય છે- જીવંત દાતા: વ્યક્તિ જીવિત હોય ત્યારે કેટલાક અંગો કે તેનો ભાગ દાન કરે છે. મૃત દાતા: વ્યક્તિના મૃત્યુ પછી તબીબી પાત્રતા પૂર્ણ થયા પછી અંગોનું દાન કરવામાં આવે છે. પ્રશ્ન- એક અંગદાતા કેટલા લોકોનો જીવ બચાવી શકે છે? જવાબ- એક મૃત અંગદાતા ઓછામાં ઓછા 8 લોકોનો જીવ બચાવી શકે છે. આ ઉપરાંત કોર્નિયા, ત્વચા, હાડકાં, હૃદયના વાલ્વ, કંડરા અને અન્ય પેશીઓનું દાન કરીને 50 થી વધુ લોકોનું જીવન બહેતર બનાવી શકે છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- અંગદાન અને અંગ પ્રત્યારોપણ વચ્ચે શું તફાવત છે? જવાબ- અંગદાનમાં કોઈ વ્યક્તિ પોતાનું અંગ દાન (ઓર્ગન ડોનેશન) કરે છે. જ્યારે, અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ)માં ડોકટરો તે દાન કરાયેલા અંગને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરે છે. ગ્રાફિકમાં બંને વચ્ચેનો તફાવત જોઈએ- પ્રશ્ન- કયા અંગોનું દાન કરી શકાય છે? જવાબ- શરીરના ઘણા અંગોનું દાન કરી શકાય છે. તેમાંથી કેટલાક અંગો જીવંત વ્યક્તિ દાન કરી શકે છે, જ્યારે હૃદય અને ફેફસાં જેવા અંગો મૃત્યુ પછી જ દાન કરી શકાય છે. પ્રશ્ન- શું કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે? જવાબ- ના, તે વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ અને દાન કરવામાં આવનાર અંગની સ્થિતિ પર આધાર રાખે છે. મેડિકલ તપાસ પછી ડોકટરો નક્કી કરે છે કે વ્યક્તિ અંગદાન કરી શકે છે કે નહીં. પ્રશ્ન- અંગદાન કરવાની ન્યૂનતમ ઉંમર શું છે? જવાબ- ભારતમાં જીવિત વ્યક્તિ સામાન્ય રીતે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરે અંગદાન કરી શકે છે. જ્યારે મૃત્યુ પછી અંગદાન માટે કોઈ ન્યૂનતમ ઉંમર નક્કી નથી. બાળકોના અંગો અને ટિશ્યુ પણ મેડિકલી યોગ્ય હોય તો ડોનેટ કરી શકાય છે. 18 વર્ષથી ઓછી ઉંમરના મૃત વ્યક્તિના અંગદાન માટે માતા-પિતા અથવા નિયમો હેઠળ અધિકૃત વ્યક્તિની સંમતિ જરૂરી છે. બીમારી અને અંગદાન પ્રશ્ન- શું ટાઇપ-1 કે ટાઇપ-2 ડાયાબિટીસ હોય તો અંગદાન કરી શકાય છે? જવાબ- હા, ટાઇપ-1 કે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ કેટલીક પરિસ્થિતિઓમાં અંગદાન કરી શકે છે. તેનો નિર્ણય ડૉકટરો કરે છે. પ્રશ્ન- જેમને હાઈ BP છે, શું તેઓ અંગદાન કરી શકે છે? જવાબ- હા, જો BP નિયંત્રણમાં હોય અને તેનાથી શરીરના અંગોને ગંભીર નુકસાન ન થયું હોય, તો અંગદાન કરી શકાય છે. પ્રશ્ન- જેમને સ્થૂળતા છે, શું તેઓ અંગદાન કરી શકે છે? જવાબ- હા, પરંતુ તે સ્થૂળતાની ગંભીરતા અને વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. તેથી ડોકટરો મેડિકલ ટેસ્ટ પછી નક્કી કરે છે કે અંગદાન સુરક્ષિત છે કે નહીં. પ્રશ્ન- જો કોઈ વ્યક્તિનું એક અંગ ખરાબ હોય, તો શું તેઓ બીજા સ્વસ્થ અંગનું દાન કરી શકે છે? જવાબ- હા, જો બીમારીએ બીજા અંગોને અસર ન કરી હોય, તો ડૉકટરો તેમનો ટેસ્ટ કરીને દાન માટે ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું હૃદય દાન કરવા યોગ્ય ન હોય, પરંતુ તેની કિડની કે લિવર સ્વસ્થ હોય, તો તે દાન કરી શકાય છે. પ્રશ્ન- શું ધૂમ્રપાન કરનારા લોકો અંગદાન કરી શકે છે? જવાબ- હા, જો ધૂમ્રપાનથી ફેફસાં કે હૃદય ખરાબ થઈ ગયા હોય, તો તેમને દાન કરી શકાતા નથી. પરંતુ કિડની, લિવર જેવા બીજા અંગો સ્વસ્થ હોય, તો વ્યક્તિ તેમને દાન કરી શકે છે. પ્રશ્ન- શું કેન્સરના દર્દીઓ અંગદાન કરી શકે છે? જવાબ- આ કેન્સરના પ્રકાર અને તેની સ્થિતિ પર આધાર રાખે છે. યાદ રાખવા જેવી બાબત પ્રશ્ન- ભારતમાં દર વર્ષે કેટલા લોકોને અંગો ન મળવાને કારણે જીવ ગુમાવવો પડે છે? જવાબ- આનો કોઈ સત્તાવાર સરકારી આંકડો ઉપલબ્ધ નથી. જોકે, મેડિકલ રિપોર્ટ્સ અને નિષ્ણાતોના અંદાજ મુજબ, ભારતમાં અંગોની અછતને કારણે દર વર્ષે લગભગ 5 લાખ લોકો મૃત્યુ પામે છે. પ્રશ્ન- ભારતમાં અંગદાનનો દર દુનિયાની સરખામણીમાં કેટલો છે? જવાબ- વર્ષ 2024માં ભારતમાં દર 10 લાખ લોકોએ લગભગ 0.8 ડિસીઝ્ડ ડોનર એટલે કે 1 થી પણ ઓછા હતા. તેની સરખામણીમાં સ્પેનમાં દર 10 લાખે લગભગ 54 અને અમેરિકામાં લગભગ 50 મૃત અંગદાતાઓ છે. ગ્રાફિકમાં જોઈએ- સૌથી મહત્વનો પ્રશ્ન પ્રશ્ન- અંગદાન કરવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? જવાબ- પોઈન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- પરિવાર અગાઉથી કઈ બાબતો પર ચર્ચા કરી લે, જેથી જરૂર પડ્યે નિર્ણય સરળ બને? જવાબ- આ માટે ડોનરે પરિવાર સાથે કેટલીક બાબતો ચોક્કસ ડિસ્કસ કરી લેવી જોઈએ. જેમ કે- પરિવારને અંગદાનની પ્રક્રિયા અને અંતિમ સંસ્કાર સંબંધિત પ્રશ્નોની સાચી માહિતી છે કે નહીં? અંગદાન સાથે જોડાયેલા મિથ અને સત્ય માન્યતા 1: અંગદાન કર્યા પછી મૃત શરીર વિકૃત થઈ જાય છે. સત્ય- ડૉકટરો સર્જરી દ્વારા અંગો કાઢે છે અને ચીરાને યોગ્ય રીતે બંધ કરી દે છે. ત્યારબાદ શરીરને સન્માનપૂર્વક પરિવારને સોંપી દેવામાં આવે છે. માન્યતા 2- અંગદાન પછી મૃતદેહના અંતિમ સંસ્કાર અથવા ધાર્મિક રીતિ-રિવાજો સામાન્ય રીતે થઈ શકતા નથી? સત્ય- અંગદાન પછી પરિવાર મૃતદેહના અંતિમ સંસ્કાર અને ધાર્મિક વિધિઓ સામાન્ય રીતે કરી શકે છે. માન્યતા 3: વૃદ્ધ લોકો અંગદાન કરી શકતા નથી. સત્ય- વધુ ઉંમર પોતે અંગદાનમાં અવરોધ બનતી નથી. ડૉકટરો ઉંમર સાથે અંગોની સ્થિતિ જુએ છે અને નક્કી કરે છે કે કયા અંગોનું દાન કરી શકાય છે. માન્યતા 4: દાન કરાયેલા અંગો ફક્ત શ્રીમંત લોકોને જ મળે છે. સત્ય- અંગો દર્દીની આર્થિક સ્થિતિ જોઈને ફાળવવામાં આવતા નથી. ભારતમાં નિર્ધારિત વેઇટિંગ લિસ્ટ અને મેડિકલ ધોરણોના આધારે અંગોની ફાળવણી થાય છે. તેમાં મેડિકલ જરૂરિયાત, બ્લડ ગ્રુપ, અંગની અનુકૂળતા અને વેઇટિંગ લિસ્ટ જેવા પરિબળો જોવામાં આવે છે. માન્યતા 5: અંગદાનથી અંગોની ખરીદ-વેચાણ થાય છે. સત્ય- ભારતમાં માનવ અંગો ખરીદવા કે વેચવા ગેરકાનૂની છે. માન્યતા 6: અંગદાન કરવા માટે અગાઉથી કાર્ડ બનાવવું જરૂરી છે. સત્ય- આ વ્યક્તિની અંગદાનની ઈચ્છા નોંધાવવાની એક રીત છે. મૃત્યુ પછી મેડિકલ યોગ્યતા અને જરૂરી સંમતિના આધારે અંગદાનની પ્રક્રિયા આગળ વધે છે.
    Click here to Read More
    Previous Article
    Every Citizen is a Milliionaire in Norway!
    Next Article
    નસીરુદ્દીન શાહને 'શિયાળ' કહેવા પર કંગનાની સ્પષ્ટતા:એક્ટ્રેસે કહ્યું, 'જ્યારે જુઓ ત્યારે પાકિસ્તાનના પ્રેમમાં મર્યા કરે છે, આ લવ સ્ટોરી ક્યારે પૂરી થશે?'

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment