Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ શરૂ:આ વર્ષે ઓનલાઈન ઓર્ડર દ્વારા પણ ખરીદી કરી શકાશે

    5 days ago

    બોટાદમાં આવેલા 'આસ્થા સ્નેહનું ઘર' કેન્દ્રના મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ રાખડીઓ તાલીમાર્થીઓના નવીન વિચારોનું પ્રતિક છે. આ સંસ્થા મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, જીવન જરૂરી કૌશલ્ય અને વોકેશનલ તાલીમ પૂરી પાડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોએ ઉત્સાહભેર રંગબેરંગી અને આકર્ષક રાખડીઓ બનાવી છે. આ રાખડીઓનું વેચાણ 'આસ્થા સ્નેહનું ઘર', યોગીનગર, પાળીયાદ રોડ, બોટાદ ખાતે થઈ રહ્યું છે. આગામી દિવસોમાં બોટાદ અને આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ તથા સોસાયટીઓમાં પણ રાખડી વેચાણ માટે સ્ટોર ગોઠવવામાં આવશે. સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં સ્ટોર ગોઠવવા માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે. આ વર્ષે રાખડીઓની ખરીદી ઓનલાઈન પણ કરી શકાશે. ઓનલાઈન ખરીદી માટે સંસ્થાના હેલ્પલાઈન નંબર ૭૬૦૦૦૯૯૦૯૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    પહેલાં 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા:હવે માર્ક ઝકરબર્ગે કહ્યું કે AIથી હજારો નવી નોકરીઓનું સર્જન થશે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે?
    Next Article
    હાજીપુર ડી.આઈ. પટેલ વિદ્યાસંકુલમાં બી.એડ. પ્રવેશોત્સવ યોજાયો:નવા તાલીમાર્થીઓનું સાંસ્કૃતિક કાર્યક્રમો અને માર્ગદર્શન સાથે સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment