Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી કોર્ટે ગૌતમ અદાણી પરનો કેસ રદ કર્યો:લાંચ-ઠગાઈના આરોપો પાછા ખેંચાયા; અદાણીએ લખ્યું- કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું

    1 day ago

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાથી મોટી રાહત મળી છે. સોમવારે અમેરિકાની ફેડરલ કોર્ટે તેમની સામેનો ફોજદારી કેસ રદ કર્યો છે. કોર્ટે અદાણી અને અન્ય આરોપીઓ પર લાંચ અને છેતરપિંડીના કેસને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. બ્રુકલિનના અમેરિકી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારૌફિસે કેસ રદ કરવાની માગ મંજૂર કરી દીધી. ગૌતમ અદાણી પર 2024માં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા સંમતિ દર્શાવી હતી, જેથી અદાણી ગ્રુપની એક સહાયક કંપનીને સોલર એનર્જી પ્લાન્ટ વિકસાવવાની મંજૂરી મળી શકે. જોકે, અદાણી ગ્રુપે હંમેશા આ ખોટા કાર્યોનો ઇનકાર કર્યો હતો. ચુકાદો આવ્યા બાદ ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને લખ્યું- હું ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે નમ્રતા અને ઊંડા સન્માન સાથે અમેરિકી અદાલતના નિર્ણયનું સ્વાગત કરું છું. અદાણીએ કોઈ સમજૂતીની જાણકારીથી ઇનકાર કર્યો 15 જુલાઈના રોજ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં અદાણીએ કહ્યું હતું કે તેમને આવી કોઈ સમજૂતીની જાણકારી નથી. તેમણે સ્વીકાર્યું કે તેઓ પહેલા અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન આપી ચૂક્યા છે. અદાણીએ જણાવ્યું કે તેમના વકીલોએ ન્યાય વિભાગ સાથેની બેઠકોમાં કહ્યું હતું કે આ રોકાણનું વચન આ મામલાઓના સમાધાનનો ભાગ હોઈ શકે છે. 18 મેના રોજ ન્યાય વિભાગે કેસ છોડવાની વાત કહી હતી 18 મેના રોજ અમેરિકી ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે તે આ મામલાને આગળ નહીં વધારે. જોકે, કોઈ કેસના આરોપો ઔપચારિક રીતે ત્યારે જ રદ કરી શકાતા હતા, જ્યારે જજ તેની મંજૂરી આપતા. 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને ઊભું કર્યું સામ્રાજ્ય ગૌતમ અદાણીએ 1988માં ગુજરાતમાં માત્ર 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડ્યા પછી કોમોડિટી ટ્રેડિંગ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમણે પોતાના ગ્રુપનો વિસ્તાર પોર્ટ્સ, એરપોર્ટ્સ, માઇનિંગ, વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કર્યો. આજે અદાણી ગ્રુપ ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામ્રાજ્યોમાંથી એક છે. અમેરિકી કેસ સમાપ્ત થવાના સમાચાર ગ્રુપ માટે વૈશ્વિક સ્તરે મોટી જીત માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    यूपी और गुजरात को नई ट्रेन का तोहफा, कासगंज-बदायूं, बरेली से सीतापुर तक 12 स्टेशन, 7 ट्रेनों में स्टॉपेज बढ़ाए
    Next Article
    અહંકારમાં નારદ મુનિએ શિવજીની સલાહને અવગણી:ભગવાન વિષ્ણુએ વાનરરૂપ આપીને પાઠ ભણાવ્યો; જીવનમાં સાચા સલાહકાર મળવા સૌભાગ્યની વાત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment