Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહ જંતર-મંતર લાઠીચાર્જ મામલે સંસદમાં જવાબ આપશે:રિજિજુ બોલ્યા- શાહ બોલે ત્યારે શાંતિથી સાંભળે વિપક્ષ; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

    15 hours ago

    ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીના મામલે ગૃહમાં જવાબ આપશે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સોમવારે આ અંગે જાણકારી આપી હતી. કિરણ રિજિજુએ કહ્યું કે જ્યારે શાહ બોલે ત્યારે વિપક્ષે તેમની વાત શાંતિથી સાંભળવી જોઈએ. રિજિજુએ કહ્યું કે એક-એક વાતનો જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે અમિત શાહ બોલે ત્યારે તેમના જવાબ દરમિયાન વિપક્ષ હોબાળો ન કરે. જોકે શાહ ક્યારે બોલશે, તેની સરકારે જાણકારી આપી નથી. દિલ્હીમાં 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે જ દિવસે સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ પણ હતો. સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષી દળો વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં ચોરી મામલે શાહ પાસેથી સતત જવાબ માંગી રહ્યા છે. 13 ઓગસ્ટે સત્રનું સમાપન છે. છેલ્લા ત્રણ અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને સતત ગૃહમંત્રી સદનમાં આવે અને નિવેદન આપે તેવી માંગ કરી રહ્યું છે. વિપક્ષી સાંસદોએ સોમવારે પણ સંસદમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જ્યાં સુધી શાહ સંસદમાં આવીને નિવેદન નહીં આપે ત્યાં સુધી હોબાળો ચાલુ રહેશે. કોંગ્રેસે તેના તમામ સાંસદોને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા. તેમાં ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ, 2026નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ (નામમાં ફેરફાર) બિલ, 2026 અને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ, 2026 પણ રજૂ કરવામાં આવ્યા. બાદમાં વિપક્ષી સાંસદોના પ્રદર્શન વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદ પરિસરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય વિપક્ષી સાંસદો 'અમિત શાહ જવાબ દો'ના પોસ્ટર લઈને આવ્યા અને શાહ વિરુદ્ધ નારેબાજી કરી. મહિલા અનામત-સીમાંકન બિલ પર સસ્પેન્સ 20 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રનો 13 ઓગસ્ટના રોજ છેલ્લો દિવસ છે. એટલે કે વર્તમાન સત્રના માત્ર 4 દિવસ બાકી છે. છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન બંને ગૃહોમાં સતત હોબાળો થયો છે. આના કારણે મહિલા અનામત, સીમાંકન અને FCRA સુધારા બિલ પર સરકારની રણનીતિને લઈને સસ્પેન્સ યથાવત છે. લોકસભાના સોમવારના એજન્ડામાં આમાંથી કોઈ પણ બિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ એપ્રિલમાં લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું ન હતું. તેમાં 2029થી મહિલાઓને 33% અનામત અને લોકસભા બેઠકોના પુનર્નિર્ધારણ દ્વારા ગૃહનું કદ વધારવાનો પ્રસ્તાવ હતો. FCRA સુધારા બિલ માર્ચમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ તેના પર ચર્ચા અને પસાર થવાનું બાકી છે. સંસદની કાર્યવાહી સંબંધિત અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    JPSC Protest: "परीक्षा देकर ऑटो में बैठा और एग्जाम रद्द हो गया" | March से पहले की तैयारी क्या थी?
    Next Article
    ઝારખંડ વિધાનસભા નજીક વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ:પ્રદર્શનકારીઓએ પાણીની બોટલો ફેંકી, કાંટાળા તારના બેરિકેડિંગ પર ચઢ્યા; JPSCના પૂર્વ ચેરમેનની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment