Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લેમરસ ઇમેજ છોડી વાણી કપૂર બનશે 'સર્વગુણ સંપન્ન':નાના શહેરની યુવતીના બદલાતા જીવન પર વાર્તા આધારિત, ડિરેક્ટર સોનાલી દેશમુખે રસપ્રદ વાતો શેર કરી

    12 hours ago

    વાણી કપૂરની આગામી ફિલ્મ ‘સર્વગુણ સંપન્ન’ છે. તેના ડિરેક્ટર સોનાલી રતન દેશમુખ છે. તેમણે આ ફિલ્મના આઈડિયાથી લઈને વાણીના આમાં જોડાવા અને વાર્તાના ફોકસ પર ખાસ વાતચીત કરી... ડિરેક્ટર સોનાલી ‘સર્વગુણ સંપન્ન’ વિશે કહે છે...‘ફિલ્મની શરૂઆત કોઈ સ્ટારને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ એક વન-લાઈનર આઈડિયાથી થઈ હતી. ‘શિદ્દત’ પછી મેડૉક ફિલ્મ્સના ક્રિએટિવ હેડ શારદા કાર્કીએ મને લેખક સુમિત ઘિલડિયાલ સાથે તૈયાર કરેલી વાર્તા સંભળાવી, જેમાં મને અલગ પ્રકારની માનવીય કોમેડી જોવા મળી. આ પછી સ્ક્રિપ્ટ પર ઘણા મહિનાઓ સુધી કામ થયું. વાર્તાને વારંવાર લખવામાં આવી, જેથી હાસ્ય પરિસ્થિતિઓમાંથી ઉત્પન્ન થાય અને ભાવનાત્મક સંતુલન પણ જળવાઈ રહે. વન-લાઈનર ફક્ત દિશા આપે છે, અસલી ફિલ્મ સ્ક્રીનપ્લેમાં તૈયાર થાય છે.’ ફેમિલી ડ્રામા, જીવનમાં આવેલા બદલાવોની આસપાસ ફરે છે વાર્તા સોનાલીનું કહેવું છે કે, 'ફિલ્મની બાહ્ય સપાટી જોઈને નિષ્કર્ષ ન કાઢવો જોઈએ. કોઈ એડલ્ટ સ્ટારને મળતી આવતી શક્લ વાર્તાનું માત્ર શરૂઆતનું કારણ છે, જ્યારે આખી ફિલ્મ એક નાના શહેરની છોકરીના જીવનમાં આવેલા બદલાવો અને પારિવારિક સંબંધોની આસપાસ ફરે છે.' પાત્રને જીવવા પર રહ્યું વાણીનું પૂરું જોર સોનાલીના કહેવા મુજબ, 'ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલા વાણીએ લગભગ ત્રણ મહિના સુધી પોતાના પાત્ર પર કામ કર્યું. આ દરમિયાન સતત સ્ક્રિપ્ટ રીડિંગ, વર્કશોપ અને પાત્રની માનસિકતા, ભાષા, બોડી લેંગ્વેજ અને વ્યવહાર પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. અમારો ઉદ્દેશ્ય વાણી પાસે માત્ર અભિનય કરાવવાનો નહોતો, પરંતુ તેમને તે છોકરીની દુનિયા અને વ્યક્તિત્વમાં સંપૂર્ણપણે ઢાળવાનો હતો, જેથી સ્ક્રીન પર તેમનું પાત્ર સંપૂર્ણપણે સ્વાભાવિક લાગે.' ફિલ્મમાં ઋષિકેશ માત્ર લોકેશન નહીં, વાર્તાનું અગત્યનું પાત્ર પણ સોનાલી જણાવે છે કે, ‘ફિલ્મ માટે ઋષિકેશની પસંદગી ફક્ત સુંદર લોકેશનને કારણે કરવામાં આવી ન હતી. ધાર્મિક વાતાવરણ, નાના શહેરની સામાજિક સંરચના અને પારિવારિક જીવન વાર્તાનો મહત્વનો ભાગ છે. શૂટિંગ ઋષિકેશની સાથે હરિદ્વાર અને દેહરાદૂનમાં પણ થયું હતું, પરંતુ વાર્તાનો આત્મા ઋષિકેશમાં જ વસે છે.' સંબંધોની કેમેસ્ટ્રી પર ફોકસ, દર્શકોના ચહેરા પર સ્મિત લાવવાનું લક્ષ્ય સોનાલી એ પણ કહે છે કે, ‘ફેમિલી કોમેડીમાં પંચલાઇન કરતાં સંબંધોની કેમેસ્ટ્રી વધુ કામ કરે છે. જો ફિલ્મ પૂરી થયા પછી દર્શકો હસતાં હસતાં સિનેમાઘરમાંથી બહાર નીકળશે, તો તે જ ‘સર્વગુણ સંપન્ન’ની સૌથી મોટી સફળતા હશે.' સ્ક્રિપ્ટ લોક થયા પછી વાણી ફિલ્મ સાથે જોડાઈ હતી, પોતાની ગ્લેમરસ ઇમેજ તોડી સોનાલીના મતે, ‘સ્ક્રીપ્ટના ઘણા ડ્રાફ્ટ પૂરા થયા પછી જ વાણીને વાર્તા સંભળાવવામાં આવી. આ વખતે વાણી તેની અત્યાર સુધીની ગ્લેમરસ સ્ક્રીન ઇમેજથી અલગ ઋષિકેશની એક સાધારણ, ચશ્મા પહેરનારી અને સલવાર-કમીઝ પહેરનારી છોકરીના પાત્રમાં જોવા મળશે. ઘણીવાર સેટ ઇમેજમાંથી બહાર નીકળીને સામાન્ય પાત્ર ભજવવું પણ પડકારજનક હોય છે.’
    Click here to Read More
    Previous Article
    Viral Circling Cow:UP के Shravasti से हैरान कर देने वाला मामला,बीमारी पर भारी अंधविश्वास?Social List
    Next Article
    વિદ્યા બાલન વિના બનશે 'કહાની'!:ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મમાં યામી ગૌતમની એન્ટ્રી, સુજોય ઘોષ ફરી રચશે સસ્પેન્સનો જાદુ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment