Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણમાં સીતાના વાંકડિયા વાળનું ક્યાંય વર્ણન નથી':દીપિકા ચિખલિયાએ સાઈ પલ્લવીના લુક પર સવાલો ઉઠાવ્યા; મેકર્સે ટ્રેલર રિલીઝ ન કર્યું

    1 day ago

    રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ: પાર્ટ-1નું ટ્રેલર પોસ્ટપોન થઈ ગયું છે. આ ટ્રેલર પહેલા 24 જુલાઈ એટલે કે આજે રિલીઝ થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેને ટાળી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી ચાહકો ઘણા નારાજ દેખાયા. બીજી તરફ, રામાનંદ સાગરના ટીવી શો રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મ રામાયણ, ટીવી શો રામાયણને ટક્કર આપી શકશે નહીં. દીપિકા ચિખલિયાએ તથ્યો ખોટા દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા રામાનંદ સાગરના ટીવી શો રામાયણમાં માતા સીતા બનેલી દીપિકા ચિખલિયાએ ફિલ્મ રામાયણમાં સીતા બનેલી સાઈ પલ્લવીના વાંકડિયા વાળ દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા. વેરાયટી ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ સાઈ પલ્લવી પર કહ્યું, "તુલસીદાસની રામાયણમાં સીતાનું વર્ણન બદામ જેવી આંખોવાળી, એક નિશ્ચિત કદ-કાઠી, લાંબા વાળ અને ગોરા રંગવાળી સ્ત્રી તરીકે કરવામાં આવ્યું છે. આ જ વાત રામાનંદ સાગર પણ શોધી રહ્યા હતા અને તેમને તે રૂપ મારામાં દેખાયું." આગળ તેમણે કહ્યું, "મારી ઓળખ આજે પણ સીતા તરીકે છે. ઘણીવાર લોકો મારું નામ ભૂલી જાય છે, પરંતુ તેમને યાદ રહે છે કે મેં સીતાનો રોલ કર્યો હતો. આ જ મારી ઓળખ છે. મને લાગે છે કે અમારી રામાયણનો પ્રભાવ ફિલ્મ 'રામાયણ' પર ખૂબ ઊંડો રહેશે. મહામારી દરમિયાન જ્યારે અમારી રામાયણનું દૂરદર્શન પર ફરીથી પ્રસારણ થયું હતું, ત્યારે નવી પેઢીએ પણ તેને જોઈ હતી. આવા સંજોગોમાં તે છબીને ભૂંસી નાખવી ખૂબ મુશ્કેલ છે. રામાયણમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે સીતાજીના વાંકડિયા વાળ હતા." અન્નૂ કપૂર પણ સાઈ પલ્લવીની કાસ્ટિંગ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે વરિષ્ઠ અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણમાં માતા સીતાનો રોલ સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવીને આપવા પર સવાલ ઉઠાવ્યા છે. અન્નુ કપૂરે તાજેતરમાં ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતમાં બાયોપિક ન બનાવવી જોઈએ. આગળ અન્નુ કપૂરે નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ પર કહ્યું, ‘શું બનાવશે, જે બનાવશે, તે રામાનંદ સાગરની રામાયણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ શૂ શાં અને ફું ફાં અને શોશેબાજી કરી દેશે. પરંતુ તે પછી તમે એ વિચારો કે તમે સીતાનો રોલ કોને આપ્યો છે. સીતા માતા છે, આ દેશના હિંદુઓ શ્રી રામચંદ્રને નારાયણનો અવતાર માને છે અને માતા સીતાના રોલમાં કોને લીધા છે. હવે તમે વિચારો.’ રામાયણનું ટ્રેલર પોસ્ટપોન થયું ફિલ્મ રામાયણના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા પરથી સ્ટેટમેન્ટ જાહેર કરીને ટ્રેલર પોસ્ટપોન થવાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ સાથે પાર્ટનરશિપ થયા પછી ટ્રેલર ટાળવામાં આવ્યું છે, કારણ કે તેઓ હવે તેને વર્લ્ડ લેવલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટેટમેન્ટના અંતમાં નમિત મલ્હોત્રાએ સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, હું રામાયણ પર વિશ્વાસ રાખનારા તમામ પ્રશંસકો અને સમર્થકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમની મદદથી આ શક્ય બન્યું. આપણા દેશના યુવાનો જ આપણું ભવિષ્ય છે. ચાલો, આપણે બધા મળીને આપણા ભવિષ્યની રક્ષા કરવા અને તેને બહેતર બનાવવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ. જય હિંદ. 8 નવેમ્બરે રિલીઝ થશે રામાયણ: પાર્ટ-1 એપિક સાગા ફિલ્મ રામાયણ, ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થવા માટે નિર્ધારિત છે. સૌથી મોંઘા વેચાશે રામાયણના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ રામાયણના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રિબ્યુશન માટે ફિલ્મના પ્રોડ્યુસર્સ 450 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીના સૌથી મોંઘા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગના 250 કરોડમાં વેચાયા છે. જો આ ફિલ્મ 450 ને બદલે 300 કરોડ સુધીમાં પણ ડીલ કરે છે, તો તે બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ બની જશે. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો-
    Click here to Read More
    Previous Article
    Cabinet approves two new railway lines connecting Karnataka and Andhra Pradesh
    Next Article
    1100 દિવસનો એકાંત કારાવાસ ને ઝાંખી થતી દ્રષ્ટિ:જેલમાં બંધ ઈમરાનને એક આંખે દેખાવાનું ઓછું થયું, માત્ર 15% દ્રષ્ટિ બચી; પુત્રએ સોશિયલ મીડિયામાં મદદની ભીખ માગી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment