Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિતના નિવૃત્તિ પર ભારતીય કેપ્ટન બોલ્યા-અમને કંઈ ખબર નથી:ગિલે કહ્યું- કુલદીપને પિચના કારણે ન રમાડ્યો, ત્રીજી વનડે ભારત હાર્યું

    1 day ago

    ઇંગ્લેન્ડ સામે ત્રીજી વનડે હાર્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે રોહિત શર્માના ભવિષ્ય પર વાત કરી છે. મેચ બાદ તેમને પૂછવામાં આવ્યું કે શું આ રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી, તો તેમણે કહ્યું કે ટીમની અંદર આવી કોઈ ચર્ચા થઈ નથી. ગિલે કુલદીપ યાદવને આખી ટૂરમાં તક ન આપવાના નિર્ણયનો બચાવ કર્યો અને તેની પાછળ પિચને કારણભૂત ગણાવી. લોર્ડ્સ સ્ટેડિયમમાં રવિવારે ટીમ ઇન્ડિયાને ત્રીજી વનડેમાં 27 રનથી હારીને ભારતે 1-2થી સીરીઝ ગુમાવી દીધી. આ મેચમાં ગિલે ફિફ્ટી ફટકારી. પરંતુ, ટીમને જીત અપાવી શક્યા નહીં. ગિલે કહ્યું- અમને હજી સુધી કંઈ ખબર નથી. રોહિત ભાઈએ અમને કંઈ કહ્યું નથી. મને લાગે છે કે આ ફક્ત મીડિયામાં ચાલી રહેલી વાતો છે. ટીમમાં આ વિષય પર કોઈ ચર્ચા થઈ નથી. દાવો હતો- લોર્ડ્સમાં રોહિત છેલ્લી વનડે મેચ રમશે ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2027 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે 39 વર્ષીય રોહિત શર્માને ઇંગ્લેન્ડ સિરીઝ પછીની યોજનાઓ વિશે જણાવ્યું હતું. જોકે, આ અંગે BCCI કે રોહિત શર્મા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પહેલી 2 વનડેમાં નિષ્ફળ રહ્યા બાદ રોહિત શર્માએ લોર્ડ્સમાં 138 રનની શાનદાર ઇનિંગ્સ રમી, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. ગિલે રોહિતની બેટિંગની પ્રશંસા કરી કેપ્ટન ગિલે રોહિત શર્માની બેટિંગની પ્રશંસા કરી. ગિલે કહ્યું- ‘રોહિત ભાઈ, જે રીતે બોલરોનો સામનો કરી રહ્યા હતા, તેઓ સંપૂર્ણપણે આરામદાયક લાગી રહ્યા હતા. હું નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતો અને અનુભવી શકતો હતો કે તેઓ સારી લયમાં છે. પાવરપ્લેમાં અમે આક્રમક રમવા વિશે વાત કરી હતી, પરંતુ નવા બોલ પર શોટ મારવો સરળ ન હતો. તેમ છતાં તેમણે શાનદાર બેટિંગ કરી અને ઝડપથી મોટી ઇનિંગ્સ રમી.’ કુલદીપ યાદવને બહાર રાખવા પર પિચનો હવાલો ઇંગ્લેન્ડ પ્રવાસમાં કુલદીપ યાદવને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ત્રીજી વનડેમાં પણ જસપ્રીત બુમરાહના ઈજાગ્રસ્ત હોવા છતાં ભારતે વધારાના સ્પિનરને બદલે પાંચ બોલરો સાથે ઉતરવાનું વધુ સારું માન્યું. આ નિર્ણય પર ગિલે કહ્યું- ‘પહેલી બંને મેચમાં અમે જોયું હતું કે પિચથી સ્પિનરોને વધારે મદદ મળી રહી નહોતી. જ્યારે સ્પિનરો બોલિંગ કરતા હતા ત્યારે અમારે વધુ રક્ષણાત્મક ફિલ્ડિંગ ગોઠવવી પડતી હતી, જ્યારે ઝડપી બોલરો સાથે વિકેટ લેવાની શક્યતા વધુ દેખાઈ રહી હતી. આ જ વિચાર સાથે વધારાના સ્પિનરને રમાડવામાં આવ્યો નહોતો.’ મેચ આગળ વધવાની સાથે બદલાયો વિકેટનો મિજાજ ગિલે સ્વીકાર્યું કે બીજી ઇનિંગ્સમાં વિકેટ અપેક્ષા કરતાં વધુ ધીમી પડી ગઈ હતી. તેમણે કહ્યું- 'શરૂઆતમાં એવું લાગતું નહોતું કે વિકેટ આટલી ધીમી હશે. પરંતુ, જેમ જેમ મેચ આગળ વધી, પિચ ધીમી થતી ગઈ. તે સમયે સ્પિનરોને થોડી મદદ મળવા લાગી, પરંતુ શરૂઆતમાં અમારી રણનીતિ ઝડપી બોલરોથી દબાણ બનાવવાની હતી.' ભારતે 1-2થી સિરીઝ ગુમાવી ભારતે પહેલો વનડે જીતીને લીડ મેળવી હતી, પરંતુ ઇંગ્લેન્ડે આગામી બંને મેચ જીતીને ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. ----------------------------------------------- ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું:સિરીઝ 2-1થી જીતી, ડકેટના 141 રન; રોહિતની સદી એળે ગઈ ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને 27 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 387/3 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 360 રન જ બનાવી શકી. રોહિત શર્માએ 138 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે જીત અપાવી શક્યો નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    The story behind Nita Ambani’s Kanjeevaram sari: ‘Woven in pure gold zari’
    Next Article
    ત્રિપુરામાં DGPનો ઓફિસમાં મૃતદેહ મળી આવ્યો, આત્મહત્યાની આશંકા:1994 બેચના IPS, UPના રહેવાસી હતા; 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment