Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો-ખામેનીના અંતિમ સંસ્કારમાં વિદેશ મંત્રીને પથ્થર માર્યા:ઈરાની રાષ્ટ્રપતિને ગાળો આપી; કટ્ટરપંથીઓનો આરોપ- સરકાર અમેરિકા સામે ઝૂકી

    4 days ago

    અમેરિકા સાથેના યુદ્ધવિરામ કરાર પછી ઈરાન અંદર રાજકીય સંઘર્ષ ખુલ્લો પડી ગયો છે. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન, વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ પર હવે ઈરાનના કટ્ટરપંથી જૂથો 'સોફ્ટ કૂપ' એટલે કે હથિયારો વિના સત્તા પલટાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કટ્ટરપંથીઓનું કહેવું છે કે આ નેતાઓએ અમેરિકા સાથે સમજૂતી કરીને ઈરાનના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું છે. CNNના રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે તેહરાનમાં સુપ્રીમ લીડર અલી ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન આ નારાજગી ખુલ્લી પડી હતી. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન જ્યારે ખામેનીના તાબૂત સાથે ચાલી રહ્યા હતા, ત્યારે કાળા કપડાં પહેરેલા કેટલાક લોકોએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ નારા લગાવ્યા. જ્યારે, અંતિમ સંસ્કાર સ્થળથી થોડે દૂર વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પર પથ્થરો ફેંકવામાં આવ્યા અને તેમને દેશ વેચનાર ગદ્દાર કહેવામાં આવ્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે તેમને ત્યાંથી ભાગવું પડ્યું. કટ્ટરપંથીઓનો આરોપ- અમેરિકા સામે સરકાર ઝૂકી ગઈ CNNના રિપોર્ટ અનુસાર, કટ્ટરપંથી જૂથોનું માનવું છે કે અલી ખામેનીની હત્યાનો બદલો લેવાને બદલે સરકારે અમેરિકા સામે ઝૂકીને સમજૂતી કરી લીધી. તેમનું કહેવું છે કે આ સમજૂતી નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના આદેશો વિરુદ્ધ કરવામાં આવી. મુજતબા ખામેની અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી. તેમણે ન તો દેશને સંબોધિત કર્યો છે અને ન તો ખુલ્લેઆમ પોતાની સત્તાનું પ્રદર્શન કર્યું છે, જ્યારે તેમના નામે સરકાર વાતચીત પણ કરી રહી છે અને દેશ પણ ચલાવી રહી છે. કટ્ટરપંથીઓનો આરોપ છે કે મુજતબાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને વર્તમાન સરકાર પોતાની તાકાત વધારવામાં લાગેલી છે. તેમનો દાવો છે કે તેઓ સંસદને નબળી પાડવા માંગે છે. મુજતબા ખામેનીના સતત જાહેરમાં ન દેખાવાને કારણે રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયાન, સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી યુદ્ધ પછી ઈરાનના સૌથી પ્રમુખ ચહેરા બની ગયા છે. કટ્ટરપંથીઓની નારાજગીનું એક મોટું કારણ આ જ છે. અંતિમ સંસ્કારમાં યુદ્ધનો સંદેશ, થોડા દિવસો પછી જ યુદ્ધવિરામ તૂટી ગયો ઈરાનમાં યુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે સતત અપીલ કરવામાં આવી રહી હતી, પરંતુ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં કટ્ટરપંથી જૂથોનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાયું. રિપોર્ટ અનુસાર, કટ્ટરપંથી જૂથોએ આ તકનો ઉપયોગ અમેરિકા વિરુદ્ધ ફરીથી યુદ્ધ શરૂ કરવાની માંગ ઉઠાવવા અને ટ્રમ્પ સરકાર સાથે થયેલા કોઈપણ કરારને સંપૂર્ણપણે નકારવા માટે કર્યો. કટ્ટરપંથીઓની આ ઈચ્છા થોડા જ દિવસો પછી પૂરી થતી જોવા મળી. આ સપ્તાહે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલ નાજુક યુદ્ધવિરામ લગભગ તૂટી ગયો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવીને આ દરિયાઈ માર્ગ પર પોતાનો કંટ્રોલ બતાવવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં અમેરિકાએ જવાબી હુમલા કર્યા.
    Click here to Read More
    Previous Article
    Bihar government faces first pushback from within: BJP and JDU leaders say don’t change education structure
    Next Article
    અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ:સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ, ઘોઘા અને મહુવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment