Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમિર પર લાગ્યો લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડરનો ટેગ:વિવાદ વકરતા એક્ટરની સ્પષ્ટતા- 'ત્રણમાંથી એકેય પત્નીએ ધર્મ બદલ્યો નથી, દીકરી-બહેનોના પતિ હિંદુ છે'

    7 hours ago

    બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન હાલમાં ત્રીજા લગ્નના કારણે ચર્ચામાં છે. 61 વર્ષના એક્ટરે 25 વર્ષ જૂની મિત્ર ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર મેરેજ કર્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર આમિર ખાનને લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવી રહ્યો છે. વિવાદ વધતા આમિરે આ આરોપો પર સ્પષ્ટતા કરી છે. 'ગૌરી હિંદુ નહીં પણ ખ્રિસ્તી છે' વેબસાઇટ રેડિફ સાથેની વાતચીતમાં આમિરે કહ્યું, ‘મારા ત્રણેય લગ્નમાં કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી, કારણ કે લગ્ન સિવિલ મેરેજ હતા. ત્રીજી પત્ની ગૌરી હિંદુ નથી પણ ખ્રિસ્તી છે.’ આમિરે કહ્યું, 'મારી દીકરી આયરાના લગ્ન એક હિંદુ સાથે થયા છે. મારી બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાનના પતિ પણ હિંદુ છે. કઝિન મન્સૂરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયા છે.' આમિરે 5 જુલાઈએ કર્યા હતા ત્રીજા લગ્ન આમિર ખાને પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈએ લગ્ન કર્યા. બંનેએ મુંબઈના પાલી હિલ (બાંદ્રા) સ્થિત આમિરના ઘરે લગ્નના કાગળો પર સહી કરી. આ એક પ્રાઈવેટ મેરેજ સેરેમની હતી, જેમાં બંને પરિવારોના લોકો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યા. આમિરના લગ્નની તસવીરો… નેતાઓએ લવ જેહાદ કહ્યો, પૂતળાં ફૂંક્યા આમિર ખાનના ત્રીજા લગ્ન પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 'શું આમિર ખાન લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે?' મહારાષ્ટ્રના જ મંત્રી સંજય શિરસાટે કહ્યું- 'આ આમિરનું અંગત જીવન છે, પરંતુ આવી બાબતો સમાજ પર ખોટી અસર કરી શકે છે.' જ્યારે બજરંગ દળ સહિત કેટલીક સંસ્થાઓએ આમિર ખાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેનું પૂતળું પણ ફૂંક્યું. તેનો આરોપ હતો કે, 'આમિર જાણી જોઈને બિન-મુસ્લિમ મહિલાઓ સાથે લગ્ન કરે છે.' મુફ્તીએ લગ્નને નાજાયઝ ગણાવ્યા આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને ઉત્તરપ્રદેશના અલીગઢમાં યુપીના શાહી ચીફ મુફ્તી મૌલાના ચૌધરી ઇફ્રાહીમ હુસૈને મંગળવારે ફતવો જાહેર કર્યો. મુફ્તીએ કહ્યું- 'શરિયત (ઇસ્લામના નિયમો) મુજબ કોઈપણ મુસ્લિમ પુરુષ માટે એવી બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા સંપૂર્ણપણે ખોટા અને નાજાયઝ છે, જે પોતાના જૂના ધર્મ પર કાયમ હોય. જેણે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો ન હોય. આવી મહિલા સાથે લગ્ન ઇસ્લામના નિયમોમાં ગેરકાયદેસર છે. આવું કરનાર મુસ્લિમ પુરુષ પણ ધાર્મિક રીતે ગુનેગાર છે.' કરણી સેનાએ આમિર પર લવ જેહાદનો આરોપ લગાવ્યો હતો આ પહેલા મંગળવારે જ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઠાકુર જ્ઞાનેન્દ્ર સિંહે કહ્યું હતું કે, '61 વર્ષની ઉંમરે સામાન્ય માણસ નિવૃત્ત થઈને પોતાના પરિવાર સાથે આરામનું જીવન જીવવા માંગે છે. તે ઉંમરે આમિર ખાને એક હિંદુ મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા છે. તેઓ દર વખતે હિંદુ મહિલાઓ સાથે લગ્ન કરીને લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. મુસ્લિમ યુવાનોને આ માટે ઉશ્કેરી રહ્યા છે.' ઠાકુર જ્ઞાનેન્દ્ર સિંહે શાહી ચીફ મુફ્તીને પત્ર લખીને પૂછ્યું હતું કે, 'શું ઇસ્લામ મુજબ આ લગ્ન યોગ્ય છે? જો આ ખોટું છે, તો સામાન્ય મુસ્લિમો માટે જે સજા નક્કી છે, તે આમિર ખાનને કેમ નથી મળતી?' સાથે જ ચેતવણી આપી હતી કે, 'જ્યાં સુધી આમિર ખાનને કાયદા અને ધર્મ મુજબ સજા નહીં મળે, ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.' ગૌરી સ્પ્રેટ સલૂન એન્ટરપ્રેન્યોર અને ફેશન પ્રોફેશનલ છે આમિરે વર્ષ 2025માં પોતાના 60મા જન્મદિવસ પર ગૌરી સાથેના પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. આમિરની જેમ ગૌરી પણ પરિણીત હતી અને તેને 7 વર્ષનો એક બાળક છે. આમિર અને ગૌરી એકબીજાને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે. બંને પહેલા ખૂબ સારા મિત્રો હતા, ત્યારબાદ તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આમિરના અગાઉના લગ્નો સાથે જોડાયેલી આ વાર્તાઓ પણ વાંચો- આમિર રોજ બારીમાંથી પહેલી પત્ની રીનાને નિહાળતો હતો આમિરે વર્ષ 1986માં રીના દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ એક લવ મેરેજ હતા. લગ્ન પહેલા રીના અને આમિર પાડોશી હતા. આમિર દરરોજ સામેની બારી પર ઉભેલી રીનાને નિહાળતો હતો. તેને લાગતું હતું કે રીના પણ તેને પસંદ કરે છે, તેથી તે દરરોજ બારી પર આવતી હતી, પરંતુ એવું નહોતું. તે મોસમનો આનંદ લેવા માટે બારી પર આવતી હતી. રીનાને ઇમ્પ્રેસ કરવા માટે લોહીથી પ્રેમ પત્ર લખ્યો એક દિવસ આમિરે હિંમત ભેગી કરીને રીનાને પોતાના દિલની વાત કહી દીધી, પરંતુ રીનાએ ના પાડીને તેનું દિલ તોડી નાખ્યું. તેની નાથી આમિરનું દિલ તો તૂટ્યું, પણ તેણે હાર ન માની. આ પછી પણ તે રીનાને પ્રભાવિત કરવાના દરેક સંભવ પ્રયાસ કરતો રહ્યો. તેમ છતાં દર વખતે જવાબમાં ના જ મળતી. એક દિવસ આમિરે પોતાના લોહીથી રીનાને પ્રેમ પત્ર લખ્યો. રીનાએ પત્ર જોઈને તેને કહ્યું કે તે જીવનમાં ક્યારેય આવી હરકત ન કરે. આમિરને પણ પછીથી પોતાની ભૂલનો અહેસાસ થયો. આ વલણને કારણે તેણે રીનાથી અંતર બનાવી લીધું અને માની લીધું કે તેનો પહેલો પ્રેમ અધૂરો જ રહેશે. આ વાતને થોડા જ દિવસો વીત્યા હતા કે અચાનક થયેલી એક મુલાકાત દરમિયાન રીનાએ તેને કહી દીધું કે તે પણ તેને પસંદ કરે છે. પછી આ રીતે આમિરનો પહેલો પ્રેમ પૂર્ણ થયો. ચુપચાપ લગ્ન કર્યા, ખર્ચ માત્ર 10 રૂપિયા હતો જ્યારે આમિર અને રીનાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે આમિર 20 વર્ષનો હતો અને રીના 18 વર્ષની હતી. આ કારણે તરત લગ્ન કરવા શક્ય નહોતા અને આમિર પુખ્ત થાય ત્યાં સુધી બંનેને રાહ જોવી પડી. ઉંમર ઉપરાંત, અલગ-અલગ ધર્મ પણ લગ્નમાં મોટો અવરોધ હતો. બંનેએ 18 એપ્રિલ 1986ના રોજ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. 21 વર્ષના આમિર અને 19 વર્ષની રીનાએ ત્રણ સાક્ષીઓની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ લગ્નમાં માત્ર 10 રૂપિયાનો ખર્ચ થયો હતો. લગ્નના 16 વર્ષ પછી રીનાથી છૂટાછેડા લીધા લગ્નના થોડા સમય પછી, બંને એક દીકરો જુનૈદ અને દીકરી આયરા ખાનના માતા-પિતા બન્યાં, પરંતુ આ સુંદર સંબંધનો લગ્નના 16 વર્ષ પછી અંત આવ્યો. જોકે, છૂટાછેડા પછી પણ રીના અને આમિર સારો સંબંધ જાળવી રાખે છે. આમિરે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત પર ભાર મૂક્યો છે કે, આજે પણ રીના તેમના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હંમેશા રહેશે. 'લગાન'ના સેટ પર કિરણ રાવને મળ્યો હતો ફિલ્મ 'લગાન'ના શૂટિંગ દરમિયાન રીના અને આમિરનો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તેમના છૂટાછેડા થયા હતા. આ જ ફિલ્મના સેટ પર આમિરની પહેલી મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. તે ફિલ્મમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે કામ કરી રહી હતી. આમિર માટે આ છૂટાછેડા લેવા સહેલા નહોતા. તે આ દિવસોમાં ખૂબ પરેશાન રહેતો હતો. આ ખરાબ સમયમાં કિરણ એક મિત્ર તરીકે તેની ખૂબ મદદ કરી હતી. આ દિવસો વિશે આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આઘાતના તે સમયગાળામાં એક દિવસ કિરણનો ફોન આવ્યો અને મેં તેમની સાથે અડધો કલાક ફોન પર વાત કરી. જ્યારે મેં ફોન મૂક્યો ત્યારે કહ્યું, 'હે ભગવાન! જ્યારે હું તેમની સાથે વાત કરું છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે.' જોકે ત્યાં સુધી બંને એકબીજાને મિત્ર માનતા હતા. બંને વચ્ચે નિકટતા આમિર અને રીનાના છૂટાછેડાના થોડા સમય પછી શરૂ થઈ. આમિરને ફરી એકવાર કોઈ પ્રેમ કરનાર મળી ગયું. પછી તેણે 28 ડિસેમ્બર 2005 ના રોજ કિરણ સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તેઓ દીકરા આઝાદ રાવ ખાનના માતા-પિતા બન્યાં. પછી લગ્નના 15 વર્ષ પછી કિરણ અને તેના છૂટાછેડા થઈ ગયા.
    Click here to Read More
    Previous Article
    TMC MP Kirti Azad on cracks in his party, BJP in Bengal, and INDIA bloc’s future
    Next Article
    મમતા બોલ્યા-2006માં પાર્ટી ઊભી કરી હતી, ફરી કરી શકું છું:જેને જવું હોય તે જાય, TMC ધારાસભ્ય મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment