Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે કહ્યું- હોર્મુઝમાં જહાજોને નિશાન બનાવવાનું બંધ કરો:ઈરાની રાજદ્વારીને તલબ કર્યા, આજે સવારે થયેલા હુમલામાં ભારતીય નાવિકનું મોત થયું હતું

    1 day ago

    ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં મંગળવારે સવારે બે વેપારી જહાજો પર થયેલા હુમલા અંગે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસના નાયબ વડા (ડેપ્યુટી ચીફ ઓફ મિશન)ને તલબ કરીને ભારતનો સખત વિરોધ નોંધાવ્યો હતો. મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરતા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આ પ્રકારના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલાનો ભોગ બનેલા બંને જહાજો પર કુલ 30 ભારતીય નાવિકો સવાર હતા. જેમાંથી એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે, જ્યારે 10 નાવિકો ઇજાગ્રસ્ત થયા છે. ભારતે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. ભારતે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ ચિંતાનો વિષય છે. તેણે તમામ પક્ષોને હિંસા રોકવા તેમજ વાતચીત અને રાજદ્વારી માર્ગ અપનાવવા અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની સુરક્ષિત અવરજવર અને વેપાર કોઈપણ ભોગે સુનિશ્ચિત થવો જ જોઈએ. તે જ સમયે, અમેરિકાએ પણ ઈરાન પર મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી કરી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, લગભગ પાંચ કલાક સુધી ચાલેલા હુમલાઓમાં બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. CENTCOM એ અમેરિકી નાકાબંધીના આ ફાઇલ ફૂટેજ પણ જાહેર કર્યા… છેલ્લા 24 કલાકના 5 મુખ્ય અપડેટ્સ: મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Indore Road Rage: इंदौर रोड रेज में तोड़े कार के शीशे, पुलिस ने सिखाया सबक | Top News | MP News
    Next Article
    સુપ્રીમ કોર્ટનો 3 લેંગ્વેજ પોલિસી પર રોક લગાવવાનો ઇનકાર:કહ્યું- કોઈ પણ ભાષા શીખવી ક્યારેય નકામી નથી જતી; CBSEએ આ સત્રથી લાગુ કર્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment