Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શરૂ, હર્ષ સંઘવી પૂજન કરશે:રથયાત્રાનો ત્રિ-દિવસીય કાર્યક્રમ જાહેર, જાણો મંગળા આરતીથી રથ પ્રસ્થાનનો સંપૂર્ણ સમય

    2 days ago

    અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અને દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય છે, તે જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો છે. જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈ, ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે. આજે મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિઓની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ પૂજન-વિધિ શરૂ કરવામાં આવી છે. બાદમાં ધ્વજારોહણ અને ભવ્ય મહાઆરતી પણ યોજાશે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 11:00 વાગ્યે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારો (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે ભગવાનનો અલૌકિક સોનાવેશ અને રથ પ્રતિષ્ઠા ઉત્સવના બીજા દિવસે એટલે કે 16 જુલાઈની રથયાત્રાની પૂર્વસંધ્યાએ, 15 જુલાઈ, બુધવારે સવારે 10:30 વાગ્યે પ્રભુનો ભવ્ય અને અલૌકિક 'સોનાવેશ' શણગાર કરવામાં આવશે, જેના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડશે. આ જ સમયે રથયાત્રાના અગ્રેસર એવા ગજરાજોની (હાથીઓની) વિશેષ પૂજા વિધિ સંપન્ન કરાશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે મંદિરના મુખ્ય પ્રાંગણમાં ત્રણેય પવિત્ર રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે 3:00 વાગ્યે રથ પૂજન તેમજ આરતી અને રાત્રે 8:00 વાગ્યે વિશિષ્ટ પૂજા અને ભક્તિમય સંધ્યા આરતીનું આયોજન થશે. ત્રીજા દિવસે મંગળા આરતીથી રથયાત્રાના ભવ્ય પ્રારંભનો સમય રથયાત્રાના મુખ્ય દિવસે એટલે કે 16 જુલાઈ, ગુરુવારે સવારે 4:00 વાગ્યે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરિનાદ સાથે વર્ષની સૌથી મહત્વની મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે 5:30થી 6:00 વાગ્યાના શુભ ચોઘડિયા દરમિયાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનો રથમાં શાહી પ્રવેશ કરાવવામાં આવશે. છેલ્લે, સવારે 7:00 વાગ્યે મુખ્ય અતિથિઓ દ્વારા પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભવ્ય અને ઐતિહાસિક 149મી રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે.
    Click here to Read More
    Previous Article
    MP police on their heels, woman of Kumbh Mela fame, husband in hiding in Kerala
    Next Article
    "Spain Are Favourites": France Coach's Mind Games Ahead Of WC Semifinal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment