Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મ મોટા કે નસીબ?:'ઉત્તર દા પુત્તર'માં હળવાશભર્યા અંદાજમાં ઉઠાવાયો ધારદાર પ્રશ્ન, અન્નૂ કપૂરની ફિલ્મનું નવું પોસ્ટર રિવીલ

    1 day ago

    તાજેતરમાં ટીઝર રિલીઝ થયા પછી ચર્ચામાં આવેલી ફિલ્મ ‘ઉત્તર દા પુત્તર’નું નવું પોસ્ટર સામે આવ્યું છે. પોસ્ટર ફિલ્મની અનોખી દુનિયા અને અલગ અંદાજની ઝલક આપે છે. આના દ્વારા મેકર્સે દર્શકોની ઉત્સુકતા વધારવાનો પ્રયાસ કર્યો છે. પોસ્ટરમાં એક્ટર અન્નૂ કપૂર અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેઓ એક મોટા વાસ્તુ-પ્રેરિત ચક્ર ઉપર રાખેલી કમોડ સીટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે. ફિલ્મની જેમ પોસ્ટરનું વિઝ્યુઅલ પણ અનોખું અને વ્યંગાત્મક છે. આમાં ભાગ્ય, દિશા અને રોજિંદી મૂંઝવણોને હળવાશભર્યા અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની ટેગલાઇન ‘કરમ બડે કે કિસ્મત?’ વાર્તાના મૂળ વિચારને રજૂ કરે છે. તે પ્રશ્ન ઉઠાવે છે કે માણસના જીવનના નિર્ણયો અને કર્મો નક્કી કરે છે કે નસીબ તેની દિશા બદલે છે. પોસ્ટરમાં હાજર અન્ય પાત્રો પણ વાર્તાના રસપ્રદ વળાંકોની ઝલક આપે છે. ફિલ્મમાં અન્નૂ કપૂર સાથે રુખસાર રહેમાન, બ્રિજેન્દ્ર કાલા, પવન મલ્હોત્રા, ઇશ્તિયાક ખાન, જીવેશુ અહલુવાલિયા, રાજેન્દ્ર સેઠી, સુમિત ગુલાટી અને નિતિન અરોરા મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ સંદીપ કપૂર અને પ્રિયા કપૂરે પ્રોમોડોમ મોશન પિક્ચર્સના બેનર હેઠળ કર્યું છે. વાર્તા સંદીપ કપૂરે લખી છે, જ્યારે ડિરેક્શન રવિંદર સિવાચે કર્યું છે. પોસ્ટરને લઈને નિર્માતા સંદીપ કપૂરે કહ્યું, 'અમે ઈચ્છતા હતા કે પોસ્ટર ફિલ્મની સાચી ઓળખને સામે લાવે. આ મનોરંજક, થોડું અલગ અને દર્શકોમાં જિજ્ઞાસા પેદા કરનારું છે. ફિલ્મ દર્શાવે છે કે લોકો ઘણીવાર પોતાના પ્રશ્નોના જવાબ બહાર શોધે છે, જ્યારે જીવન તેમને પોતાની રીતે નવી શીખ આપતું રહે છે.'
    Click here to Read More
    Previous Article
    International Yoga Day 2026: Yoga expert reveals 5 poses they would never skip after turning 40
    Next Article
    આજે NEET રી-એક્ઝામ, વિદ્યાર્થીઓ કેન્દ્રો પર પહોંચવા લાગ્યા:ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓ ડર્યા વીના પરીક્ષા આપે, 564 શહેરોમાં 5,440 કેન્દ્રો; હૈદરાબાદમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment