Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવરાજ દિલ્હીના કોચિંગ સ્ટાફમાં સામેલ થઈ શકે છે:કુલદીપ લખનઉમાં જઈ શકે; પંતના દિલ્હીમાં પરત ફરવાના સંકેત

    1 day ago

    યુવરાજ સિંહ IPL 2027માં કોચિંગ કરતા જોવા મળી શકે છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ બની શકે છે. જ્યારે સ્પિનર કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતા જોવા મળી શકે છે. બીજી તરફ, લખનઉ માટે બે સીઝન રમનાર રિષભ પંતની દિલ્હીમાં પરત ફરવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પંતે IPL 2026માં ખરાબ પ્રદર્શન બાદ લખનઉની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. તે દિલ્હીથી 2016 થી 2024 સુધી રમી ચૂક્યો છે. યુવરાજ પહેલીવાર કોચિંગ ગ્રુપમાં જોવા મળી શકે છે જો યુવરાજ દિલ્હીની કોચિંગ સંભાળે છે, તો આ તેમનો પ્રથમ કોચિંગ કાર્યકાળ હશે. રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચાઇઝીમાં સૌરવ ગાંગુલીની ભૂમિકા વધવાની સાથે યુવરાજને પણ ટીમ મેનેજમેન્ટનો ભાગ બનાવી શકાય છે. યુવા ખેલાડીઓના મેન્ટર તરીકે ઓળખ બનાવી 44 વર્ષીય યુવરાજ ઘણા યુવા ખેલાડીઓ સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, અબ્દુલ સમદ, સંજુ સેમસન, રિષભ પંત અને પ્રિયાંશ આર્ય સાથે કામ કર્યું છે. યુવરાજે તમામ ખેલાડીઓની ટેકનિક પર સલાહ આપી. તેનું પરિણામ તમામ ખેલાડીઓને તેમના પ્રદર્શનમાં પણ જોવા મળ્યું. સંજુ સેમસન T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ હતો. જ્યારે અભિષેક શર્માની ઝડપી બેટિંગનો શ્રેય પણ યુવરાજને આપવામાં આવે છે. યુવરાજ 6 IPL ટીમમાંથી રમ્યો, 2 ટીમની કેપ્ટનશીપ કરી યુવરાજ IPL કારકિર્દીમાં કુલ 6 ટીમોથી રમ્યો. કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), પુણે વોરિયર્સ ઈન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે તેઓ મેદાન પર ઉતર્યા. યુવરાજે બે ટીમની આગેવાની પણ કરી. તેમણે IPLની શરૂઆતની બે સીઝન (2008 અને 2009)માં કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ સંભાળી, જ્યારે 2011માં પુણે વોરિયર્સ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. કુલદીપ નવી ટીમથી રમી શકે છે આ દરમિયાન IPL 2027માં કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ બની શકે છે. જો કુલદીપ લખનઉ સાથે જોડાય છે, તો આ તેની IPL કારકિર્દીનો ત્રીજો ફ્રેન્ચાઇઝી બદલાવ હશે. કુલદીપ 2012થી 2014 સુધી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના સ્ક્વોડમાં હતો, પરંતુ તેને ડેબ્યૂની તક મળી ન હતી. ત્યારબાદ 2014થી 2021 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમ્યો. 2022ના મેગા ઓક્શનથી અત્યાર સુધી તે દિલ્હી કેપિટલ્સ (DC) માટે રમી રહ્યો હતો. પંતની દિલ્હીમાં પરત ફરવાની ચર્ચા તેજ દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન રિષભ પંતની ટીમમાં વાપસીની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પંતે તાજેતરમાં જ લખનઉની કેપ્ટનશીપ છોડી છે. તેણે બે સીઝન ટીમની કેપ્ટનશીપ કરી હતી. ખરાબ ફોર્મના કારણે લખનઉ IPL 2026માં 10મા અને 2025માં સાતમા સ્થાને રહી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ લખનઉ 28 મેચમાંથી માત્ર 10માં જ જીત મેળવી શકી હતી. લખનઉએ પંતને 27 કરોડમાં ખરીદ્યો હતો લખનઉ સુપર જાયન્ટ્સે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLનો સૌથી મોંઘા પ્લેયર છે. 2026માં તે માત્ર 312 રન જ બનાવી શક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Tech updates (June 19, 2026): Adobe update, Haier P7 Pro TVs, Instagram’s new feature, more
    Next Article
    એક મિનિટમાં સુરત શહેરના ટોપ-5 ન્યૂઝ, VIDEO:1000 આરોપીની ટેન્ટમાં 'સર્વિસ' કરી? લંગડાતા બહાર નીકળતા અનેક તર્ક-વિતર્ક, લવ મેરેજ કરનારી પરિણિતાને લગ્ન બાદ પણ સજા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment