Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્મીપુરામાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:કુંવારી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરી નારીશક્તિનું સન્માન

    1 week ago

    પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંવારી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પર્યાવરણ જતન સાથે નારીશક્તિનું સન્માન કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકા પંચાયત લક્ષ્મીપુરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા ડેલિગેટ ડૉ. બ્રીજલ પટેલે દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવાની પહેલ કરી હતી. આ પ્રસંગે ગામના તલાટી મહેન્દ્રભાઈ, સરપંચ પરશોત્તમભાઈ, આગેવાન વીરજનભાઈ શેઠસાહેબ, રાજીબા વિદ્યાલયના આચાર્ય શારદાબેન, ઉન્નતિબેન, મનીષાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડી સૌને વધુ વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોનું જતન કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદી થોડીવારમાં દમણ પહોંચશે:નમો એરપોર્ટ-હોસ્પિટલ સહિત રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે; ભવ્ય રોડ શો બાદ સભા સંબોધશે
    Next Article
    Xi Jinping To Meet Kim Jong Un: Why It Matters And What To Expect

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment