Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સોલેરિયમ ઝોનમાં આજે પાણી કાપ:મુખ્ય લાઈનમાં ભંગાણ અને ફ્લો મીટર કામગીરીને કારણે લોકો હેરાન

    19 hours ago

    જામનગર શહેરમાં આજે, 4 જૂન 2026, ગુરુવારના રોજ, સોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરાયો છે. જી.જી. હોસ્પિટલ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવા અને સોલેરિયમ પરિસરમાં ફ્લો મીટર લગાવવાની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ આ માહિતી આપી હતી. આ પાણી કાપથી પટેલ કોલોની અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારો સીધા પ્રભાવિત થશે. વોટર વર્ક્સ વિભાગના અંદાજ મુજબ, શહેરના આશરે 15 થી 20 હજાર જેટલા ઘરોમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે. કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ જણાવ્યું કે, લાઈન રિપેરિંગ અને ફ્લો મીટરની કામગીરી સતત ચાલુ છે. આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ, આવતીકાલે શુક્રવારે આ તમામ વિસ્તારોમાં નિયમિત સમયે પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાએ નાગરિકોને આ સ્થિતિમાં સહકાર આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ APMC ચૂંટણીમાં ભાજપનો આંતરિક ભડકો:પક્ષના મેન્ડેટ સામે ભાજપના જ ડિરેક્ટરોનો બળવો, ચર્ચાના બહાને બહાર નીકળી ગયા; ચેરમેન પદની ચૂંટણી મોકૂફ
    Next Article
    મહેસાણા-બેચરાજીમાં પેસેન્જર ટ્રેન શરૂ કરવા કોંગ્રેસના ધરણાં:માલગાડીઓ રોકવાની ચીમકી બાદ નેતાઓની અટકાયત, ધારાસભ્યએ બે મહિનામાં ટ્રેન શરૂ થવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment