Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ટ્રેક ક્રોસ કરતા ત્રણ કિશોરો ટ્રેન નીચે કચડાયા:મહેસાણામાં માલગાડીની અડફેટે બાળકોના કમકમાટી ભર્યા મોત, ત્રણેયના મૃતદેહ પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડાયા

    10 hours ago

    મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માલગાડીની અડફેટે ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કાળજું કંપાવનારા મોત નિપજ્યા હતા. આ કાળમૂખી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને મૃતક બાળકોના પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું હતું. જોકે, ત્રણેય બાળકોના મૃતદેહને પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડાયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતા ત્રણ કિશોરો ટ્રેન અડફેટે આવ્યા મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના સાંજના આશરે 4:26 વાગ્યાની આસપાસ બની હતી. શોભાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ત્રણ કિશોરો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવી પહોંચેલી એક માલગાડીએ ત્રણેયને પોતાની અડફેટે લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. વહાલસોયા દીકરા ગુમાવતા ઠાકોર પરિવાર શોકમાં આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા બાળકોમાં શોભાસણ ગામના 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર (ધો.11), 16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર (ધો. 11) અને ૯માં ધોરણમાં અભ્યાસ કરતા 14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકોરનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ વહાલસોયા દીકરાઓ ગુમાવતા ઠાકોર વાસ સહિત સમગ્ર ગામ શોક સાગરમાં ડૂબી ગયું છે અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ત્રણેય કિશોરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ:અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું; 19 જુલાઈ સુધી અમલ
    Next Article
    ઓપરેશન ડેલ્ટા હંટ અંતર્ગત રાજકોટમાં 31 શકમંદો મળી આવ્યા:પોલીસની અલગ-અલગ 25 ટીમોએ મોડી રાતથી સવાર સુધી 450 લોકોને સર્ચ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment