Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાણમાંથી મળતી રેતી બાંધકામમાં વપરાશે:રેતીમાફિયાઓની મોનોપોલી તોડવા સરકારે ધોરણ સુધાર્યા

    13 hours ago

    રાજ્યમાં ખાડી, નદીમાંથી રેતી કાઢવા પર અંકુશ મૂકવા અને રેતીમાફિયાઓની મોનોપોલી તોડવા હવે કોલસા અને લોહખનિજ ખાણમાંથી મળતી રેતીને બાંધકામ માટે વાપરવામાં આવશે. એના માટે સરકારે રેતી ખનન ધોરણ 2025માં સુધારા કર્યા છે. એના માટેના આધારભૂત મૂલ્ય અને રોયલ્ટી દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નદીમાંથી રેતી ઉલેચવાથી થતું પર્યાવરણનું નુકસાન ટાળવા મહેસૂલ અને વન વિભાગે 8 એપ્રિલ 2025ના સરકારી નિર્ણયમાં સુધારા કર્યા છે. એ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારની મોટી ખાણમાંથી રેતી અને બીજા ગૌણ ખનિજ ખનન સંદર્ભના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ બાબતે મહેસૂલ વિભાગે સોમવારે જીઆર જારી કર્યો છે. મોટી ખાણમાં તૈયાર થતી રેતી માટે (વોશ સેન્ડ) વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ અને એમઓઆઈએલ કંપનીએ બ્રાસ દીઠ મહત્તમ 2 હજાર રૂપિયા આધારભૂત મૂલ્ય વસૂલ કરવા માન્યતા આપી છે. ઉપરાંત વોશ સેન્ડ પર રોયલ્ટી બ્રાસ દીઠ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઓવરબર્ડનમાંથી વોશ સેન્ડ સિવાય મળતા અન્ય ગૌણ ખનિજ માટે કંપની તરફથી બ્રાસ દીઠ 200 રૂપિયા શુલ્ક લેવામાં આવશે અને રોયલ્ટી બ્રાસ દીઠ 50 રૂપિયા હશે. દરમિયાન સરકારે પહેલી વખત ઓવરબર્ડન જેવા નવા પ્રકાર માટે સ્વતંત્ર દર નિશ્ચિત કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    CBSE Chairman, Secretary moved out, OSM service procurement to be probed
    Next Article
    વેરા વસૂલાત વિવાદ:વેપારીઓના અવાજને સરકારનું સમર્થનઃ બજાર સમિતિ બરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment