Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આર્થિક સંકટમાં દેશ સંભાળવો મોટી જવાબદારી':મનોજ બાજપેયીએ કહ્યું- સામાન્ય માણસ ખર્ચ કંટ્રોલ કરી શકે, પરંતુ પરિસ્થિતીમાંથી બહાર એક્સપર્ટ કાઢે છે

    9 hours ago

    1991ના આર્થિક સંકટ પર બનેલી ફિલ્મ ‘ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર’ને લઈને મનોજ બાજપેયીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે ફિલ્મમાં એક RBI ગવર્નરના દેશની આશા બનવા અને દેશને સંકટમાંથી બહાર કાઢવાની લડાઈ દર્શાવવામાં આવી છે. મનોજે તેને ‘ઇકોનોમિક થ્રિલર’ ગણાવ્યું. તેણે વૈશ્વિક પરિસ્થિતિઓ, ઈરાન-યુએસ તણાવ, સામાન્ય માણસની મુશ્કેલીઓ, OTT અને થિયેટરની અછત પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો. પ્રશ્ન: ફિલ્મ ‘ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર’ શેના વિશે છે? જવાબ: આ માત્ર એક RBI ગવર્નરની નહીં, પરંતુ મોટી જવાબદારીની વાર્તા છે. આર્થિક સંકટના સમયે દરેકની નજર તમારા પર હોય ત્યારે કેટલું દબાણ હોય છે, ફિલ્મ તે જ દર્શાવે છે. આવા સમયે પરિવાર અને અંગત જીવન પાછળ છૂટી જાય છે. ફિલ્મ તે જ સંઘર્ષ અને દબાણને દર્શાવે છે. પ્રશ્ન: ફિલ્મમાં ઇકોનોમિક્સ અને RBI જેવા મુશ્કેલ વિષયો છે. સામાન્ય દર્શકો તેને કેવી રીતે સમજી શકશે? જવાબ: ફિલ્મમાં જીડીપી, ફિસ્કલ ડેફિસિટ અને ઇન્ફ્લેશન જેવા શબ્દો છે, પરંતુ તેમને સરળ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ ક્લાસરૂમવાળી ફિલ્મ નથી, પરંતુ 'ઇકોનોમિક થ્રિલર' છે. અહીં ઓછા સમયમાં દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો પડકાર જ રોમાંચ પેદા કરે છે. પ્રશ્ન: આ પાત્રની તૈયારી કેવી રીતે કરી? જવાબ: મેં સ્ક્રિપ્ટ ઘણી વાર વાંચી અને જે વાતો સમજાઈ નહીં, તેમને ડિરેક્ટર અને રાઇટર્સ પાસેથી સમજી. ડિરેક્ટર વાંચવા માટેનું મટીરીયલ અને વીડિયો મોકલતા હતા. પાત્રનો લુક અને બોલવાની રીત નક્કી કરવામાં આવી. લગભગ અઢી મહિના તૈયારી ચાલી. ટેકનિકલ શબ્દોને સમજીને તેમને સરળ રીતે દર્શકો સુધી પહોંચાડવું સૌથી મુશ્કેલ હતું. પ્રશ્ન: એક તરફ તમે રામ ગોપાલ વર્માની ફિલ્મ કરી રહ્યા હતા, જ્યાં માહોલ બિલકુલ અલગ હતો, જ્યારે ‘ગવર્નર’ના સેટ પર લોકો તમને ખૂબ શાંત અને ગંભીર વ્યક્તિ તરીકે જોવા લાગ્યા હતા. આ પાત્રમાં એવું શું હતું? જવાબ: આ પાત્ર ઓછું બોલનાર વ્યક્તિનું છે, જે મોટાભાગે પોતાના વિચારોમાં વ્યસ્ત રહે છે. નંબર, ગણિત અને મોટી જવાબદારીઓ સાથે સંકળાયેલા લોકો અવારનવાર શાંત હોય છે અને સતત પડકારો પર વિચારતા રહે છે. આરબીઆઈ ગવર્નર પણ દરેક સમયે સંકટ ઉકેલવામાં વ્યસ્ત રહે છે, તેથી આ ગંભીર નહીં પણ અંદરથી સતત વિચારતા રહેનાર વ્યક્તિનું પાત્ર છે. પ્રશ્ન: શું ફિલ્મમાં ગંભીરતાની સાથે હ્યુમર પણ જોવા મળશે? જવાબ: ચોક્કસ. ફિલ્મમાં ફેમિલી બોન્ડિંગ છે. મધુ મારી પત્નીનો રોલ કરી રહી છે. તેની ફિલ્મ ‘રોજા’ જોઈને પાગલ થઈ ગયો હતો. તેની સાથેના સીન હળવા અને સુંદર છે. ઓફિસના કેટલાક ભાગોમાં પણ હ્યુમર છે. થ્રિલર હોવાને કારણે દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહેશે. પ્રશ્ન: તમે ઇતિહાસના વિદ્યાર્થી પણ રહ્યા છો. 1991ના આર્થિક સંકટ અને આજના સંજોગોમાં શું સમાનતા જુઓ છો? જવાબ: 1991માં ગલ્ફ વોર દરમિયાન તેલના ભાવ વધી રહ્યા હતા અને ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. આજે પણ યુએસ-ઈરાન જેવા તણાવની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે. તેલ મોંઘું થાય છે, ડોલર મજબૂત થાય છે અને ભારત જેવા દેશો પર દબાણ વધે છે. ઇતિહાસ સંપૂર્ણપણે પુનરાવર્તિત થતો નથી, પરંતુ તેની ઝલક ચોક્કસ દેખાય છે. પ્રશ્ન: આવા સંકટના સમયે સામાન્ય માણસ શું કરી શકે છે? જવાબ: મોટા આર્થિક નિર્ણયો નિષ્ણાતો અને સરકારોનું કામ છે. સામાન્ય માણસ પોતાના ખર્ચાઓને નિયંત્રિત કરી શકે છે. મુશ્કેલ સમયમાં લોકો બિનજરૂરી ખર્ચ, ઘર ખરીદવા, ફરવા અને મોટા ખર્ચાઓથી બચે છે. લોકો સાવચેતીપૂર્વક ચાલે છે કારણ કે તેને લાગે છે કે આગળનો સમય મુશ્કેલ હોઈ શકે છે. પ્રશ્ન: શું સામાન્ય માણસ સિસ્ટમ બદલી શકે છે? જવાબ: સિસ્ટમ ત્યાં સુધી જ મજબૂત રહે છે, જ્યાં સુધી સામાન્ય માણસ સવાલ પૂછતો નથી. સમસ્યાઓ સાંભળવામાં ન આવે તો લોકો અવાજ ઉઠાવે છે. ઇતિહાસમાં ઘણી વાર સામાન્ય માણસે બદલાવ લાવ્યો છે. ઇમરજન્સી અને 1991ના સંકટ જેવા સમયગાળામાં પણ લોકોની તાકાત સામે આવી છે. પ્રશ્ન: ફિલ્મની રિલીઝ સાથે બીજી મોટી ફિલ્મો પણ આવી રહી છે. શું આવી ફિલ્મોને સોલો રિલીઝ મળવી જોઈએ? જવાબ: ભારતમાં સૌથી મોટી સમસ્યા થિયેટરની અછત છે. સરકાર અને ઇન્ડસ્ટ્રી વધુ સિનેમાઘર બનાવે તો નાની-મોટી બધી ફિલ્મોને સમાન તક મળશે. દરેક ફિલ્મને દર્શકો સુધી પહોંચવાનો અધિકાર છે. પ્રશ્ન: શું કેટલાક મોટા પ્રોડક્શન હાઉસની મોનોપોલી પણ ખતમ થવી જોઈએ? જવાબ: હા. તે નક્કી થવું જોઈએ કે કયા બજેટની ફિલ્મને કેટલા શો મળે. નાની ફિલ્મોને મોટી ફિલ્મોના વધુ સ્ક્રીન લેવાથી નુકસાન ન થવું જોઈએ. દરેક ફિલ્મને દર્શકો સુધી પહોંચવાનો સમાન મોકો મળવો જોઈએ. પ્રશ્ન: OTTએ આ પ્રકારની ફિલ્મોને કેટલો ફાયદો પહોંચાડ્યો? જવાબ: ઓટીટીએ ઘણો ફાયદો પહોંચાડ્યો અને મને પણ સારું કામ કરવાની તક મળી. પરંતુ હવે પ્લેટફોર્મ વધુ કોમર્શિયલ અને અસુરક્ષિત બની ગયા છે. પહેલાં અલગ પ્રકારની વાર્તાઓને વધુ તક મળતી હતી, જે હવે ઓછી થઈ ગઈ છે. પ્રશ્ન: દર્શકો આ ફિલ્મમાંથી શું લઈને જશે? જવાબ: આ ફિલ્મનો સૌથી મોટો સંદેશ “જીદ” છે, પરંતુ સમજદારીવાળી જીદ. આ પાત્ર દરેક મુશ્કેલીમાં રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે અને અંત સુધી હાર માનતું નથી. પ્રશ્ન: શું તમને લાગે છે કે તમારા જીવન અને આ પાત્રમાં કોઈ સમાનતા છે? જવાબ: હા, મારા જીવનમાં પણ જીદ રહી છે. ક્યારેક સમજદારીવાળી, તો ક્યારેક થોડી મૂર્ખામીવાળી જીદ. પરંતુ એ જ જીદે મને અહીં સુધી પહોંચાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મે મહિનામાં ₹1.94 લાખ કરોડનું GST કલેક્શન:20%નો ઘટાડો થયો, એપ્રિલમાં 2.42 લાખ કરોડ રૂપિયા હતો
    Next Article
    'મોંઘવારીમાં ઘર ચલાવવું કે હપ્તા ભરવા', VIDEO:CNGના ભાવ વધતા સુરતમાં રિક્ષાચાલકોની હડતાળ, વિદ્યાર્થિનીઓ-મુસાફરો રઝળ્યાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment