Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર્દિક પંડ્યાનો ધડાકો, મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી:સિનિયર્સ સાથે મતભેદથી સહનશક્તિ ખૂટી, ડિપ્રેશનમાં સરી પડ્યો; રોહિતના 'આશીર્વાદ'થી બનશે નવો કેપ્ટન

    22 hours ago

    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી IPL સીઝનમાં ટીમ સાથે જોવા નહીં મળે. સમાચાર એજન્સી PTIના રિપોર્ટ અનુસાર, સતત ખરાબ સીઝન પછી તણાવને કારણે હાર્દિકે ફ્રેન્ચાઈઝી છોડવાનું મન બનાવી લીધું છે. 32 વર્ષીય ઓલરાઉન્ડરે સીઝનની વચ્ચે જ MIના ટીમ મેનેજમેન્ટને પોતાના આ નિર્ણયની જાણકારી આપી દીધી હતી. જેવી ટીમ પ્લેઑફમાંથી બહાર થઈ, હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પરસ્પર સહમતિથી અલગ થવાનો રસ્તો સાફ થઈ ગયો. રોહિતની જગ્યાએ કેપ્ટનશીપ મળ્યા પછીથી સતત હૂટિંગ થયું પીઠની ઈજા અને માનસિક થાક બન્યું કારણ IPLના એક સોર્સે PTIને જણાવ્યું કે, હાર્દિક માનસિક રીતે ખૂબ તણાવમાં હતો અને સંપૂર્ણપણે થાકી ગયો હતો. તેને પીઠમાં ઈજા (બેક ઈન્જરી) પણ થઈ હતી. જેવી પ્લેઑફની આશાઓ સમાપ્ત થઈ, હાર્દિકે ટીમના ડિસીઝન-મેકર્સને જણાવી દીધું કે તે હવે ટીમમાં નહીં રહે. સોર્સે આગળ કહ્યું કે એક યુવા ખેલાડી આખરે કેટલું સહન કરી શકે, તેના માટે છેલ્લા ત્રણ વર્ષ સરળ રહ્યા નથી. ડ્રેસિંગ રૂમમાં સિનિયર ખેલાડીઓ સાથે મતભેદ સોર્સ મુજબ, હાર્દિકે વર્ષ 2022માં જે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમને છોડ્યો હતો, 2024માં પરત ફરવા પર તે તેવો રહ્યો નહોતો. હાર્દિક પંડ્યા વર્ષ 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પરત ફર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની જગ્યાએ તેને કેપ્ટનશીપ સોંપી હતી. આ પછીથી જ ચાહકો નારાજ હતા. પહેલા વર્ષ (2024)માં પણ મેદાન પર હાર્દિકનું જોરદાર હૂટિંગ (બૂઇંગ) થયું હતું અને વર્તમાન સીઝનમાં પણ વસ્તુઓ તેની યોજના મુજબ રહી ન હતી. જોકે, તે આનાથી પ્રભાવિત દેખાયો હતો, છતાં પણ તેણે કહ્યું હતું કે ‘આ સફર મુશ્કેલ પરંતુ મજેદાર રહી.’ IPLના એક સોર્સના જણાવ્યા પ્રમાણે, હવે તેની સહનશક્તિ ખૂટી ગઈ છે. સૂત્રએ કહ્યું, ‘એક યુવાન આખરે કેટલું સહન કરી શકે? છેલ્લા ત્રણ વર્ષ તેના માટે સરળ રહ્યા નથી. 2022માં જે ડ્રેસિંગ રૂમ તે છોડીને ગયો હતો, 2024માં પરત ફરવા પર તે એવો રહ્યો નહોતો.’ ‘આ પછી ટીમના તમામ સિનિયર ખેલાડીઓ એકમત નહોતા. જો વિચારો અલગ હોવા છતાં પરિણામો સારા આવે, તો નિરાશા થતી નથી. પરંતુ જ્યારે દરેક જણ અલગ-અલગ દિશામાં ખેંચે, તો એક સમય પછી આગળ વધવાની માનસિક ક્ષમતા બચતી નથી. તેથી હાર્દિકે મિડ-સીઝનમાં જ નક્કી કરી લીધું હતું કે તે આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નહીં હોય.’ તેમણે ઉમેર્યું, ‘જો અલગ-અલગ વિચારધારા હોવા છતાં પણ પરિણામો સારા આવતા તો કદાચ આટલી નિરાશા ન થાત, પરંતુ જ્યારે બધા અલગ દિશામાં ખેંચવા લાગે, ત્યારે માનસિક રીતે આગળ વધવું મુશ્કેલ બની જાય છે. તેથી જ હાર્દિકે સીઝનની વચ્ચે જ નક્કી કરી લીધું હતું કે તે આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નહીં હોય.’ આ બાબત સાથે જોડાયેલા લોકોના મતે હાર્દિકને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું કે જે સિનિયર ખેલાડીઓ ભારત (ભારતીય ટીમ) માટે તેની પાસેથી સંપૂર્ણ કમિટમેન્ટની અપેક્ષા રાખતા હતા, તેઓ જ ફ્રેન્ચાઈઝીમાં તેના કેપ્ટન હોવા છતાં એવો સાથ આપી રહ્યા નહોતા. હાલમાં એ સ્પષ્ટ નથી કે હાર્દિક અન્ય કોઈ ટીમ સાથે ટ્રેડ થવા માગશે કે પછી ઓક્શનમાં જવાનું પસંદ કરશે. રોહિત શર્માની સલાહથી જ બનશે નવો કેપ્ટન અમુક ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, મુંબઈનો આગામી કેપ્ટન એ જ બનશે જેને રોહિત શર્મા ઇચ્છશે. રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે ફ્રેન્ચાઈઝીએ 2023 પછી રોહિતને કેપ્ટન પદેથી હટાવવાના પોતાના નિર્ણય પરથી પાઠ શીખી લીધો છે. આવી પરિસ્થિતિમાં, હવે તેઓ ભવિષ્યમાં આવી સ્થિતિથી બચવા માગે છે. આ જ કારણે મુંબઈનો આગામી કેપ્ટન એ જ બનશે જેના પર રોહિત શર્માના આશીર્વાદ (સમર્થન) હશે. આ બાબતમાં રોહિત શર્માનો નિર્ણય સર્વોપરી માનવામાં આવશે, પરંતુ તે પોતે કેપ્ટન નહીં બને. તો શું મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો સંબંધ ખતમ થઈ ગયો છે? સોર્સે વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘એક વાત નક્કી છે કે તેનો મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો સંબંધ હવે પૂરો થઈ ચૂક્યો છે. ઑગસ્ટની આસપાસ તેના આગામી નિર્ણય વિશે જાણી શકાશે.’ જો ટ્રેડિંગ થાય, તો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેમના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે 2027ના મેગા ઓક્શન પહેલાં એક નવી શરૂઆત કરવી પડશે, પરંતુ તે પહેલાં હજી એક IPL સીઝન રમવાની બાકી છે. હવે એ જોવાનું રહેશે કે મુંબઈ ઈન્ડિયન્સ ટૂંકા ગાળાનો ઉકેલ પસંદ કરે છે કે પછી ભવિષ્યના મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટૂંકા ગાળા માટે રોહિત શર્માથી સારો કેપ્ટન કદાચ બીજો કોઈ હોઈ શકે નહીં, કારણ કે તે ટીમને પાંચ IPL ટાઇટલ અપાવી ચૂક્યો છે અને આજે પણ ડ્રેસિંગ રૂમનું સૌથી મોટું નામ છે. કોને સોંપવામાં આવશે MIની કમાન? ભવિષ્યની તૈયારીના ભાગરૂપે તિલક વર્માને ઉપકેપ્ટન બનાવવામાં આવી શકે છે. તે નેશનલ સિલેક્ટર્સની નજરમાં પણ છે. આ વાત કોઈનાથી છૂપી નથી કે 2027નો વર્લ્ડ કપ રોહિત શર્માનો છેલ્લો મોટો ટાર્ગેટ હોઈ શકે છે અને તેથી IPL પણ તેની છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે. પરંતુ શું મુંબઈ ઈન્ડિયન્સ આ ફેરફાર સ્વીકારશે, એ જ સૌથી મોટો સવાલ છે. બાકી, સૌથી સારો રસ્તો એ રહેશે કે તિલક વર્માને નવા કેપ્ટન બનાવવામાં આવે અને ઓછામાં ઓછી ત્રણ સીઝન સુધી તેમના પર ભરોસો રાખીને તેમની આસપાસ એક નવી ટીમ ઊભી કરવામાં આવે. રિષભ પંતે પણ LSGનું કેપ્ટન પદ છોડ્યું રિષભ પંતે IPL ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ નિવેદન જારી કરીને કહ્યું કે પંતે પોતે કેપ્ટનશીપ છોડવા વિનંતી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાન વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે જંગ:RR કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને બેટિંગ લીધી; વૈભવ-આર્ચર પર રહેશે ટીમની જવાબદારી
    Next Article
    દેશની અર્થવ્યવસ્થા 2026-27માં 6.9% ના દરે વધશે:RBIના વાર્ષિક અહેવાલમાં દાવો, વૈશ્વિક સંકટ છતાં ભારતની ગતિ મજબૂત રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment