Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના પોલિટેક્નિક ચાર રસ્તે પાણીની લાઈન તૂટી:રોડ પર પાણી ફરી વળ્યાં, મોતીપુરા અને શારદાકુંજ સોસાયટીને ગુરૂવારે પૂરવઠો મોડો મળશે, વારંવાર ભંગાણના બનાવો

    4 days ago

    હિંમતનગરના પોલિટેક્નિક ચાર રસ્તા પર નેશનલ હાઈવેના ઓવરબ્રિજની બંને તરફ નગરપાલિકાની પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હતી. બુધવારે સવારે ચાલતા વિકાસકામો દરમિયાન આ ઘટના બની હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે સિવિલ રોડ, વન વર્લ્ડ અને ઉમા વિદ્યાલય રોડ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. શહેરમાં ચાલતા વિકાસકામોમાં સંકલનના અભાવને કારણે પાણી અને ગેસની પાઈપલાઈન તૂટવાના બનાવો વારંવાર બને છે. આ ઘટના પણ સંકલનના અભાવનું પરિણામ હોવાનું મનાય છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિન જોશીએ જણાવ્યું હતું કે, પાઈપલાઈન તૂટવાની જાણ થતાં જ પાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. તૂટેલી DI પાઈપનું વેલ્ડિંગ કામ કરવામાં આવશે. આ સમારકામના કારણે મોતીપુરા અને શારદાકુંજ સોસાયટીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે પીવાના પાણીનો પુરવઠો મોડો પહોંચી શકે છે.
    Click here to Read More
    Previous Article
    નિર્ધાર સંસ્થાએ ₹35 લાખના ખર્ચે વિધવા ભવનનું લોકાર્પણ કર્યું:સુરજબા વિધવા પુનર્વસન ભવન વિભાગ-2 થી મહિલાઓને રોજગારી મળશે
    Next Article
    અસહ્ય ગરમી અને ઇંધણ બચાવવા વેકેશન લંબાવવાની માંગ:રાજ્ય શાળા સંચાલક મંડળે 10 દિવસ વેકેશન લંબાવવા CMને પત્ર લખ્યો, ધો. 9થી 12માં ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment