Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બકરી ઈદ પૂર્વે નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક:ભરૂચ જિલ્લામાં તહેવાર શાંતિપૂર્ણ ઉજવવા ચર્ચા થઈ, સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

    5 दिन पहले

    ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પીઆઈ ટી.આર. ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નબીપુર પોલીસ વિસ્તારના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૮મી મેના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર છે. આ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા તેમજ વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ખાસ કરીને, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ સમાજના લોકોને પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવીને તહેવારની ઉજવણી કરવા માટે પણ અપીલ કરાઈ હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચો, આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યાર્નના ભાવ આસમાને પહોંચતા સુરતનો વીવિંગ ઉદ્યોગ કફોડી હાલતમાં:મોંઘવારીના મારથી ગ્રાહકોએ કપડાંની ખરીદી 5 જોડીથી ઘટાડીને 3 કરી, આખી ચેઈનમાં રૂ. 3000 કરોડનું ધોવાણ
    Next Article
    Arvind Kejriwal in Gujarat: નર્મદાની મુલાકાતે કેજરીવાલ, પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા? | Narmada

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment