Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શનિ જયંતિની ઉજવણી:ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજન અને હવન

    6 hours ago

    જામનગરમાં શનિ જયંતિ પર્વની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે આ નિમિત્તે વિશેષ ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે.શનિદેવની કૃપા મેળવવા માટે વહેલી સવારથી જ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરમાં વિશેષ પૂજન, હવન અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી ઉજવણીની શરૂઆત થઈ હતી. વહેલી સવારે શનિદેવ અને ઇચ્છેશ્વર મહાદેવ પર તિલતૈલ અને વિશેષ દ્રવ્યો દ્વારા અભિષેક પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ પૂજનનો લાભ લીધો હતો.ત્યારબાદ, ગ્રહપીડાના નિવારણ, વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર મારુતિ યજ્ઞ અને શનિ શાંતિ હવનનું આયોજન કરાયું હતું. ભક્તોએ યજ્ઞશાળામાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાંજના સુમારે મહાઆરતી યોજાશે. આરતી બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે મંદિર સમિતિ અને સેવાભાવી યુવકો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં શનિદેવના પ્રકોપથી બચવા અને મહાદેવના આશીર્વાદ મેળવવા માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. આ કારણે જામનગરનું ઇચ્છેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં ટ્રક-બાઇક અકસ્માતમાં બે મોત:વનાર જામલા રોડ પરની ઘટના;બાઇક સવાર એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ
    Next Article
    Ahmedabad Shocking Incident | કલોલ અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સફાઈ દરમિયાન 3 લોકોના મોત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment