Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન:ફેફસામાં લોહી જામી જવાથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો; સપા ધારાસભ્ય બોલ્યા- મૃત્યુ શંકાસ્પદ, તપાસ કરાવવામાં આવે

    2 days ago

    સપા પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે નિધન થયું. તેમની ઉંમર 38 વર્ષ હતી. સવારે 6 વાગ્યે પત્ની અપર્ણા યાદવના ભાઈ અમન સિંહ બિષ્ટ તેમને લખનૌની સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ડીસી પાંડેયના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રતીકને લાવવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ સંપૂર્ણપણે ડાઉન હતી. હૃદય પણ બંધ થઈ ગયું હતું. લખનૌ મેડિકલ કોલેજમાં પ્રતીક યાદવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રતીકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. વિસરા રિપોર્ટ પછી વધુ બાબતો સ્પષ્ટ થશે. પ્રતીકનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, પ્રતીકની પત્ની અને ભાજપ નેતા અપર્ણા યાદવ પણ આસામથી લખનૌ પરત ફર્યા છે. તેઓ એરપોર્ટથી સીધા પોતાના ઘરે પહોંચ્યા. અપર્ણા મંગળવારે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે આસામ ગયા હતા. ડિમ્પલ યાદવ, શિવપાલ યાદવ સહિત અનેક મોટા નેતાઓ પણ પહોંચ્યા છે. આ પહેલા, અખિલેશ યાદવ પણ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. નાના ભાઈનો મૃતદેહ જોયો. પ્રતીકના ડ્રાઈવરને બોલાવીને અંદર વાતચીત કરી. બહાર આવીને કહ્યું - આ દુઃખદ છે કે તેઓ આજે આપણી વચ્ચે નથી. પરિવારના લોકો જે કહેશે, અમે માનીશું. પ્રતીકના નિધન બાદના ફોટા- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાર્ડિયાક અરેસ્ટનો ખુલાસો લખનૌ મેડિકલ કોલેજે પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કર્યો છે. ડોકટરોના મતે, ફેફસામાં મોટી માત્રામાં લોહીના ગંઠા જામી ગયા હતા. આ જ કારણોસર હૃદય અને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે મૃત્યુ થયું. હૃદય અને ફેફસાંમાંથી મળેલા લોહીના ગંઠાવાના નમૂનાઓને આગળની તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. શરીરના આંતરિક અંગોને પણ રાસાયણિક તપાસ માટે સાચવવામાં આવ્યા છે. શરીર પર મળેલા તમામ ઈજાના નિશાન મૃત્યુ પહેલાના હોવાનું જણાવાયું છે. ડોકટરો અનુસાર, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં લોહીના ગંઠાવા ફેફસાંની નસોને બ્લોક કરી દે છે. તેનાથી શ્વાસ લેવામાં અને શરીરમાં લોહીનો પ્રવાહ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. હોસ્પિટલમાંથી રજા લીધા વિના જ ઘરે જતા રહ્યા હતા અગાઉ 30 એપ્રિલના રોજ, પ્રતીકને ગંભીર હાલતમાં લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પછી તેમને થોડી રાહત અનુભવાઈ. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા લીધા વિના જ ઘરે જતા રહ્યા હતા. ડોકટરોના મતે, તેઓ પલ્મોનરી એમ્બોલિઝમ નામની ફેફસાની ગંભીર બીમારીથી પીડાતા હતા. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે ફેફસાંની નસોમાં લોહી ગંઠાઈ જાય છે, જેનાથી બ્લડ સર્કુલેશન અવરોધાય છે. પ્રતિક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. સાધના ગુપ્તાના પ્રથમ લગ્ન 1986માં ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયા હતા. પ્રતિકનો જન્મ 1987માં થયો હતો. ચંદ્રપ્રકાશ ગુપ્તા અને સાધનાના 1990માં છૂટાછેડા થયા હતા. આ સમય દરમિયાન સાધના અને મુલાયમ નજીક આવ્યા હતા. 2003માં મુલાયમ સિંહે સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા અને જાહેરમાં પ્રતીકને પોતાના પુત્રનો હક આપ્યો હતો. બ્રિટનથી અભ્યાસ કર્યો, રાજકારણથી દૂર હતા પ્રતીક યાદવના નિધન અંગેના અપડેટ્સ માટે નીચે આપેલા લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    IPLમાં RCB vs KKR:બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા
    Next Article
    કલાલીમાં જૂથ અથડામણમાં સગીર સહિત 6 આરોપીની ધરપકડ:'અહીંનો દાદા થઈ ગયો છે' તેમ કહેતા ધીંગાણું, બંને પક્ષે સામસામે 9 લોકો સામે ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment