Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સાથે બાઇલેટરલ સિરીઝ પર પ્રતિબંધ યથાવત:ભારત સરકારે કહ્યું- ન અમારી ટીમ ત્યાં જશે, ન તેમને અહીં બોલાવીશું; મલ્ટીલેટરલ ટુર્નામેન્ટ્સમાં રમીશું

    9 hours ago

    રમતગમત મંત્રાલયે બુધવારે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રમત સંબંધો સ્થગિત જ રહેશે. સરકારે એક સત્તાવાર મેમોરેન્ડમ બહાર પાડીને કહ્યું છે કે ભારતની રમતગમત નીતિ તેની રાજદ્વારી નીતિ અનુસાર જ ચાલશે. આ અંતર્ગત ભારતીય ટીમો બાઇલેટરલ સિરીઝ રમવા પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાની ટીમને ભારતમાં રમવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. જોકે, વર્લ્ડકપ કે ઓલિમ્પિક જેવી મલ્ટીલેટરલ ઇવેન્ટ્સમાં બંને દેશો એકબીજા સામે રમી શકશે. સ્પોર્ટ્સ ફેડરેશન અને IOAએ રજૂ કર્યું સર્ક્યુલર યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આ નિર્દેશ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA), ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) અને તમામ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનોને મોકલી આપ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનના મામલે ભારતનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર'ની વર્ષગાંઠ છે, જે ગયા વર્ષે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. તે હુમલામાં 26 નાગરિકોના જીવ ગયા હતા. ક્રિકેટ પર સૌથી વધુ અસર, 2012થી નથી થઈ બાઇલેટરલ સિરીઝ સરકારના આ વલણની સૌથી વધુ અસર ક્રિકેટ પર પડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13માં થઈ હતી, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. ત્યારથી બંને ટીમો ફક્ત એશિયા કપ અને ICC ટુર્નામેન્ટ્સમાં જ એકબીજા સામે આવી છે. તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પણ ઘણી ચર્ચા હતી, પરંતુ ભારતના આ કડક વલણથી સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા સરહદ પાર જઈને રમવાના પક્ષમાં નથી. આંતરરાષ્ટ્રીય અધિકારીઓ માટે વિઝા નિયમો સરળ બન્યા ભારત પોતાને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો માટે એક મોટા સ્થળ તરીકે જોઈ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને સરકારે ખેલાડીઓ, ટીમના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓના પદાધિકારીઓને તેમના કાર્યકાળ દરમિયાન 5 વર્ષ સુધીનો પ્રાયોરિટી મલ્ટી-એન્ટ્રી વિઝા આપવામાં આવશે. આ સાથે, આ સંસ્થાઓના વડાઓને ભારતની મુલાકાત દરમિયાન યોગ્ય પ્રોટોકોલ અને સન્માન આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Press freedom index puts focus on newsrooms telling India’s hardest stories
    Next Article
    ક્રિકેટરનો પ્લેનમાં ફુંકતો વીડિયો વાઇરલ:દિલ્હીની ટીમે વિદેશી ખેલાડીને ધંધે લગાડ્યો; મુંબઈના જ પ્લેયરે મલિંગાનો દાવ કરી નાખ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment