Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિસાઈલ હુમલાથી વિદેશમાં ફસાયેલી અમીષા પટેલ ભારત પરત ફરી:મુંબઈ પહોંચતા જ એક્ટ્રેસે રાહતનો શ્વાસ લીધો, પ્રાર્થના માટે ચાહકોનો આભાર માન્યો

    3 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ આખરે સુરક્ષિત મુંબઈ પરત ફરી છે. તે ન્યૂયોર્કથી મુંબઈની યાત્રા કરી રહી હતી, પરંતુ ખાડી ક્ષેત્રમાં થયેલા મિસાઈલ હુમલાઓને કારણે યુએઈ (UAE)નું એરસ્પેસ અચાનક બંધ કરી દેવામાં આવ્યું. આ કારણે તેની ફ્લાઇટને અધડે રસ્તેથી જ ઓમાનના મસ્કટ શહેર તરફ ડાયવર્ટ કરવી પડી. ત્યાં લગભગ 24 કલાકથી વધુ સમય સુધી ફસાયા રહ્યા પછી તે સોમવારે પોતાના ઘરે પહોંચી. દુબઈમાં લેન્ડિંગના બરાબર પહેલા હુમલાની સૂચના મળી અમીષા એમિરેટ્સની ફ્લાઈટથી ન્યૂયોર્કથી દુબઈ થઈને મુંબઈ આવી રહી હતી. જ્યારે તેનું પ્લેન દુબઈમાં લેન્ડ થવાનું જ હતું, ત્યારે યુએઈ ઓથોરિટીઝે હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ જારી કર્યો. આનું કારણ ક્ષેત્રમાં થયેલા તાજા મિસાઈલ અને ડ્રોન હુમલાઓ જણાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા કારણોસર પાયલટને ફ્લાઈટનો માર્ગ મસ્કટ તરફ વાળવો પડ્યો, જેના કારણે યાત્રીઓ વચ્ચે લાંબા સમય સુધી અનિશ્ચિતતા રહી. ‘યુદ્ધ ક્યારે પૂરું થશે?’ અમીષાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાનો આ તણાવપૂર્ણ અનુભવ શેર કર્યો. તેણે લખ્યું, 'દુબઈમાં લેન્ડ કરવાના જ હતા કે મિસાઈલ હુમલાઓને કારણે એરસ્પેસ બંધ થઈ ગયું. અમને મસ્કટ મોકલી દેવામાં આવ્યા છે અને હવે અમે આગામી અપડેટની રાહ જોઈ રહ્યા છીએ. આ યુદ્ધ ક્યારે પૂરું થશે! હું પ્રાર્થના કરી રહી છું.' તેની સાથે ડીજે ચેતસ અને પ્રોડ્યુસર કુણાલ ગૂમર પણ યાત્રા કરી રહ્યા હતા. એરપોર્ટ લાઉન્જમાં લાંબો સમય વિતાવ્યા બાદ તેણે એક ફોટો શેર કરીને જણાવ્યું કે, તેને સફર શરૂ કર્યાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. ખાડી દેશોમાં વધતા તણાવથી પરિસ્થિતિ બગડી મિસાઈલ હુમલાના સમાચારો બાદ સમગ્ર ખાડી ક્ષેત્રમાં તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન અને યુએઈ વચ્ચે સંઘર્ષ વધવાને કારણે તેલના ઠેકાણાઓ અને મહત્વપૂર્ણ શિપિંગ રૂટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. આને કારણે એરસ્પેસ બંધ કરવું પડ્યું, જેની અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પડી. મુંબઈ પહોંચ્યા બાદસ અમીષાએ રાહતનો શ્વાસ લીધો અને ચાહકોનો આભાર માનતા લખ્યું, ‘આખરે મુંબઈ!!! આપ સૌની પ્રાર્થનાઓ માટે આભાર.’
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1000 અંક ચઢીને 78,000ના સ્તરે ટ્રેડિંગ:નિફ્ટી પણ 350 અંક ચઢ્યો, ફાર્મા અને સરકારી બેન્કિંગ શેર્સ સૌથી વધુ ચઢ્યા
    Next Article
    કોલકાતામાં TMC ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું:મમતા-અભિષેક બેનર્જીના ઘરની સુરક્ષા હટાવાઈ, બંગાળમાં 24 કલાકમાં 4 હત્યા; જેમાં ભાજપ-TMCના 2- 2 કાર્યકરો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment