Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ક્યાં સુધી લોકોના જીવ જશે?':જબલપુર ક્રુઝ દુર્ઘટના અંગે સોનુ સૂદ પ્રશાસન પર લાલઘુમ, કાયદાની કડક અમલવારી કરાવવા ટકોર કરી

    9 hours ago

    મધ્ય પ્રદેશના જબલપુરના બરગી ડેમમાં ગુરુવારે સાંજે થયેલા ક્રુઝ અકસ્માત બાદ બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સિસ્ટમની જવાબદારી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર સોનુ સૂદે લખ્યું, થોડા સમય પહેલા મેં બિહાર બોટ દુર્ઘટના પર ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, દરેક મુસાફર માટે લાઇફ જેકેટ ફરજિયાત હોવું જોઈએ. પછી વૃંદાવનમાં અકસ્માત થયો… અને હવે મધ્ય પ્રદેશમાં પણ, તે જ રીતે લોકોના જીવ ગયા. આખરે ક્યાં સુધી? હવે સમય આવી ગયો છે કે તેને સખત રીતે લાગુ કરવામાં આવે: કોઈ પણ બોટ ત્યાં સુધી ન ચાલે, જ્યાં સુધી દરેક મુસાફર લાઇફ જેકેટ ન પહેરે. તેણે આગળ લખ્યું, સાથે જ, એક સરકારી પોર્ટલ હોવું જોઈએ, જ્યાં દરેક યાત્રા પહેલા સમય સાથે આ પુરાવો અપલોડ થાય કે બધા મુસાફરોએ લાઇફ જેકેટ પહેર્યા છે. ફક્ત કડક નિયમો અને જવાબદારી જ લોકોના જીવ બચાવી શકે છે. ગુરુવારે સાંજે પ્રવાસીઓથી ભરેલું ક્રુઝ ડૂબી ગયું હતું જબલપુરમાં નર્મદા નદી પર બનેલા બરગી ડેમમાં ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે MP ટુરિઝમનું પ્રવાસીઓથી ભરેલું ક્રુઝ ડૂબી ગયું હતું. આમાં લગભગ 47 પ્રવાસીઓ સવાર હતાં, જ્યારે ટિકિટ ફક્ત 29 લોકોની જ કપાઈ હતી. આ દુર્ઘટના કિનારાથી લગભગ 300 મીટર દૂર થઈ હતી. જે સમયે ક્રુઝ ડૂબ્યું, તે સમયે પવનની ગતિ લગભગ 74 કિલોમીટર પ્રતિ કલાક હતી. બરગી સિટી સી.એસ.પી. અંજુલ મિશ્રાના જણાવ્યા અનુસાર, 'SDRF એ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ તેજ પવન, અંધારું અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્ય પ્રભાવિત થયું.' અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રણ બાળકો સહિત 4 લોકો હજુ પણ ગુમ છે, જેમનો શુક્રવારે મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. ભારે વરસાદને કારણે શુક્રવારે સર્ચ ઓપરેશન રોકવું પડ્યું હતું. શનિવારે સવારે 5 વાગ્યાથી ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જુઓ, 6 તસવીરો… સમગ્ર રાજ્યમાં ક્રુઝ સંચાલન પર પ્રતિબંધ મુકાયો દુર્ઘટના બાદ પ્રશાસને સમગ્ર રાજ્યમાં ક્રુઝ સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે. ક્રુઝ પાયલટ, હેલ્પર અને ટિકિટ કાઉન્ટર પ્રભારી સહિત ત્રણ લોકોની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે કહ્યું છે કે, આ મામલામાં દોષિતોને કોઈપણ પરિસ્થિતિમાં બક્ષવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    140 chickens die due to ‘loud music’ in UP: DJ arrested, 15 notices issued
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ દોઢ મહિના ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; 3 બાઈક કિમ-કોસંબા રોડ પરથી મળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment