Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ''એક દિન' ટ્રેન્ડ પર નહીં, સચ્ચાઈ પર આધારિત વાર્તા':જુનૈદ ખાનની કાસ્ટિંગ પર ડિરેક્ટરનો ખુલાસો, મ્યુઝિક કમ્પોઝરે કારકિર્દીનો માઇલસ્ટોન ગણાવ્યો

    10 hours ago

    ફિલ્મ ‘એક દિન’ને લઈને ડિરેક્ટર સુનીલ પાંડે અને મ્યુઝિક કમ્પોઝર રામ સંપતે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. બંનેએ જણાવ્યું કે, આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ એક ભાવનાત્મક સફર છે. સુનીલના મતે, તેમણે ટ્રેન્ડ્સને બદલે વાર્તાની સચ્ચાઈ પર વિશ્વાસ કર્યો, જ્યારે રામ સંપતે તેને પોતાની કારકિર્દીનો માઈલસ્ટોન ગણાવ્યો. તેમણે કહ્યું કે, આમિર ખાન સાથે કામ કરવા માટે સચ્ચાઈ અને મહેનત સૌથી જરૂરી છે. ફિલ્મને આમિર ખાને પ્રોડ્યુસ કરી છે, જ્યારે જુનૈદ ખાન અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. પ્રશ્ન: સુનીલ, તમારા માટે ફિલ્મ ‘એક દિન’ શું છે? સુનીલ પાંડે: ‘એક દિન’ મારા માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક અહેસાસ છે. આ એક એવી ભાવના છે, જેને શબ્દોમાં પૂરી રીતે વ્યક્ત કરવી મુશ્કેલ છે. જ્યારે મેં આ વાર્તાને પહેલીવાર વાંચી, ત્યારથી જ તે મારા અંદર વસી ગઈ. આ ફિલ્મ મારા દિલની ખૂબ નજીક છે અને મારા માટે એક ખૂબ મોટી વસ્તુ છે. હું તેને માત્ર વાર્તા કે પ્રોજેક્ટની જેમ નથી જોતો, પરંતુ એક અનુભવની જેમ અનુભવું છું. પ્રશ્ન: રામ, તમારા માટે ‘એક દિન’ શું મહત્ત્વ ધરાવે છે? રામ સંપત: મારા માટે ‘એક દિન’ એક ખાસ સફર અને એક મહત્ત્વપૂર્ણ મુકામ છે. મેં મારી કારકિર્દીમાં પહેલીવાર કોઈ લવ સ્ટોરી પર કામ કર્યું છે, એટલે તેનું મહત્ત્વ વધુ વધી જાય છે. પ્રશ્ન: આ ફિલ્મથી તમને એક કમ્પોઝર તરીકે શું પ્રાપ્ત થયું? રામ સંપત: દરેક સંગીતકારનું સપનું હોય છે કે તેને એક સુંદર પ્રેમ કહાની પર કામ કરવાનો મોકો મળે. આ ફિલ્મમાં મને તે મોકો મળ્યો અને મેં મારી ઘણી ઈચ્છાઓ પૂરી કરી. આપણા દેશના મહાન સંગીતકારો જેવા કે પંચમ દા, મદન મોહન કે નૌશાદ સાહેબની ઓળખ તેમની લવ સ્ટોરીઝના સંગીતથી બની છે. તે જ રીતે, 'એક દિન' મારા માટે એક માઈલસ્ટોન જેવું છે, જ્યાં મેં મારા અંદરના ઘણા સંગીત ભાવોને ખૂલીને વ્યક્ત કર્યા. પ્રશ્ન: સુનીલ, આજના એક્શન અને મસાલાના સમયમાં આટલું સોફ્ટ અને ભોળું પાત્ર બતાવવું જોખમ નહોતું? સુનીલ પાંડે: જુઓ, મારા માટે સૌથી જરૂરી વસ્તુ વાર્તાની સચ્ચાઈ છે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મને આ વાર્તા ખૂબ જ પ્રામાણિક અને સુંદર લાગી. તે સમયે મેં એ નહોતું વિચાર્યું કે, આજકાલ શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે દર્શકો શું વધુ જોવાનું પસંદ કરી રહ્યા છે. સવાલ: શું તમે માર્કેટ ટ્રેન્ડને બિલકુલ અવગણ્યો? સુનીલ પાંડે: હા, બિલકુલ. ફિલ્મ બનાવતી વખતે મારું સંપૂર્ણ ધ્યાન એ વાત પર હતું કે, જે વાર્તા મને કાગળ પર ગમી હતી, શું હું તેને તે જ પ્રામાણિકતાથી સ્ક્રીન પર લાવી શકું છું કે નહીં. ટ્રેન્ડ્સ બદલાતા રહે છે, પરંતુ સારી વાર્તા હંમેશા અસર છોડે છે. પ્રશ્ન: જુનૈદને આ પાત્ર માટે શા માટે પસંદ કર્યો? સુનીલ પાંડે: જુનૈદ આ પાત્રમાં બિલકુલ બંધ બેઠા. તેમનામાં એ જ સાદગી અને નિર્દોષતા છે, જે આ પાત્રની જરૂરિયાત હતી. તેમણે જે રીતે પરફોર્મ કર્યું, તેમાં એક સચ્ચાઈ અને પ્રામાણિકતા દેખાય છે, અને મારા માટે તે જ સૌથી મહત્ત્વનું હતું. પ્રશ્ન: રામ, ફિલ્મનું સંગીત આટલું ભાવનાત્મક અને મૌનમાં પણ અસરકારક કેવી રીતે બન્યું? રામ સંપત: અમે જ્યારે પણ સંગીત બનાવીએ છીએ, ત્યારે સૌથી પહેલા સ્ક્રિપ્ટને સમજીએ છીએ. અમારો હેતુ હોય છે કે સંગીત વાર્તા સાથે જોડાયેલું લાગે, અલગથી નહીં. જો સંગીત સ્ક્રીનપ્લે સાથે મળીને ચાલે છે, તો જ તે દિલ સુધી પહોંચે છે. પ્રશ્ન: ગીતો તૈયાર કરવાની પ્રક્રિયા કેવી રહી? રામ સંપત: અમે દરેક ગીત પર ખૂબ મહેનત કરી. એક-એક ગીતના ઘણા વર્ઝન બનાવ્યા, અલગ-અલગ ધૂન અને આઈડિયા ટ્રાય કર્યા. તે પછી બેસીને નક્કી કર્યું કે કયું ગીત સૌથી યોગ્ય લાગી રહ્યુ છે. આ એક લાંબી પણ ખૂબ સંતોષ આપનારી પ્રક્રિયા હતી. પ્રશ્ન: ઇરશાદ કામિલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? રામ સંપત: ઇરશાદ કામિલ જેવા ગીતકાર સાથે કામ કરવું ખૂબ ખાસ હોય છે. તેઓ એવી ભાવનાઓને શબ્દો આપે છે, જેને આપણે સીધા કહી શકતા નથી. તેમની લખેલી પંક્તિઓમાં ઊંડાણ અને સાદગી બંને હોય છે, જે આ ફિલ્મના સંગીતને વધુ મજબૂત બનાવે છે. પ્રશ્ન: આજના સમયમાં 90ના દાયકા જેવું યાદગાર અને દિલમાં વસી જનારું સંગીત બનાવવું કેટલું પડકારજનક છે? રામ સંપત: સાચું કહું તો અમે ટ્રેન્ડ્સ વિશે વધુ વિચારતા નથી. આજકાલ ઘણું સંગીત ટ્રેન્ડ અને સ્ટાઇલ પ્રમાણે બને છે, પરંતુ અમે પ્રામાણિકતા અને આત્માવાળા સંગીતમાં વિશ્વાસ રાખીએ છીએ. પ્રશ્ન: ફિલ્મના સંગીતમાં સાદગી શા માટે રાખવામાં આવી? રામ સંપત: અમે જાણી જોઈને સંગીતને સરળ રાખ્યું, જેથી વાર્તા અને ભાવનાઓ સ્પષ્ટપણે સામે આવે. ઘણી વાર એવું બન્યું કે, હું કેટલાક મ્યુઝિકલ એલિમેન્ટ્સ ઉમેરતો હતો અને સુનીલ તેને હટાવી દેતા હતા. છેવટે જે બન્યું, તે ખૂબ જ સાદું પણ ઊંડાણથી ભરેલું સંગીત છે, જેમ કે માત્ર પિયાનો કે ગિટાર સાથે. પ્રશ્ન: સુનીલ, રામ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? સુનીલ પાંડે: રામ માત્ર એક ઉત્તમ સંગીતકાર જ નહીં, પણ એક શાનદાર વાર્તાકાર પણ છે. મેં તેમને ક્યારેય એ નથી કહ્યું કે મને કેવું સંગીત જોઈએ છે. મેં ફક્ત વાર્તા, પાત્રો અને પરિસ્થિતિ વિશે વાત કરી, અને તેમણે તેને પોતાની રીતે સંગીતમાં ઢાળી દીધું. તેમની આ જ સમજ આ ફિલ્મના સંગીતને ખાસ બનાવે છે. પ્રશ્ન: તમે બંને કામ કરતી વખતે તાલમેલ કેવી રીતે જાળવો છો? રામ સંપત: અમે એકબીજાની પસંદ અને કામ કરવાની રીતને સમજીએ છીએ. જેમ કે સુનીલ અલગ-અલગ સમયે અલગ પ્રકારનું સંગીત સાંભળે છે. કેટલાક ગીતો તેઓ રાત્રે સાંભળવાનું પસંદ કરે છે, કેટલાક દિવસે. આ નાની-નાની વાતોને સમજીને અમે સંગીતને વધુ સારું બનાવી શકીએ છીએ. પ્રશ્ન: આમિર ખાન સાથે કામ કરવું કેટલું સરળ કે મુશ્કેલ છે? સુનીલ પાંડે: તેઓ ખૂબ જ સમજદાર અને સહયોગી છે. જો તમે તમારી વાત યોગ્ય રીતે રજૂ કરો અને તેમાં દમ હોય, તો તેઓ ચોક્કસ સાંભળે છે અને માની પણ જાય છે. પ્રશ્ન: રામ, તમારો આમિર સાથે કામ કરવાનો સાચો અનુભવ શું રહ્યો? રામ સંપત: જો તમે મહેનતુ છો અને પ્રામાણિકતાથી કામ કરો છો, તો તેમની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે. પરંતુ જો તમે શોર્ટકટ લેવાનો પ્રયાસ કરશો, તો તેઓ તરત જ પકડી લે છે. તેમની સાથે કામ કરવા માટે સચ્ચાઈ અને મહેનત સૌથી જરૂરી છે. , ‘એક દિન’ સંબંધિત આ સમાચાર પણ વાંચો… બાળકોને સમય આપી ન શક્યાનો આમિર ખાનને વસવસો:કહ્યું- ''એક દિન'માં દીકરાની નજીક આવ્યો, જુનૈદની આત્મનિર્ભરતા જોઈ છાતી ગજગજ ફૂલે છે' આમિર ખાન હાલમાં પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘એક દિન’ને લઈને ચર્ચામાં છે. તેમાં તેનો દીકરો જુનૈદ ખાન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આમિરે ફિલ્મ સાથેના પોતાના ભાવનાત્મક જોડાણ અને એક પિતા તરીકેની લાગણીઓ શેર કરી. તેણે સ્વીકાર્યું કે, વ્યસ્ત કારકિર્દીને કારણે તે બાળકોને વધુ સમય આપી શક્યો નહીં, પરંતુ આ ફિલ્મે દીકરા સાથે કામ કરવાની અને નજીક આવવાની તક આપી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Why the Charles speech in America had the western media buzzing
    Next Article
    રાજકોટના ફુવારાઓ શોભાના ગાંઠિયા સમાન:વાણીયાવાડી અને ભક્તિનગર સર્કલના ફુવારા શરૂ કરવા માગ, સ્માર્ટ સિટી બનાવવાની વાતો સામે સવાલો ઉઠ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment