Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન મધ્યસ્થી બનવાને લાયક જ નથી:ઈરાને સાંસદે કહ્યું- તેઓ અમેરિકા તરફ ઝૂકેલા છે, ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ કશું જ બોલી શકતાં નથી

    1 day ago

    મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઇરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં હજુ સુધી કોઈ નક્કર સહમતિ બની શકી નથી. આ દરમિયાન ઇરાનના એક નેતાએ પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન મિત્ર જરૂર છે, પરંતુ તે વાતચીતમાં સાચો મધ્યસ્થી બની શકતો નથી. રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેમની વિરુદ્ધ કંઈ કહેતું નથી. તેથી તેને નિષ્પક્ષ માની શકાય નહીં. તેમણે કહ્યું કે એક સાચો મધ્યસ્થી તે જ હોય છે, જે બંને પક્ષો વચ્ચે નિષ્પક્ષ રહે, ન કે હંમેશા એક જ પક્ષ તરફ ઝૂકેલો રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ 24 કલાકમાં 2 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી. ટ્રમ્પે કહ્યું- ઈરાન પાસે બહુ ઓછો સમય બચ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે તેની પાસે યુદ્ધ સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ પર સહમત થવા માટે માત્ર ત્રણ દિવસ છે, નહીં તો તેની તેલ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થઈ જશે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન તેલની નિકાસ નહીં કરી શકે, તો પાઇપલાઇનમાં દબાણ વધશે. આવું એટલા માટે થશે કારણ કે તેલને જહાજો કે સ્ટોરેજ ટેન્કોમાં મોકલવાનો રસ્તો બંધ છે અને તેના પર નાકાબંધી લાગી છે. તેમણે દાવો કર્યો કે જ્યારે તેલનો પ્રવાહ અચાનક રોકવો પડે છે, ત્યારે પાઇપલાઇનની અંદર દબાણ બને છે અને તકનીકી તેમજ કુદરતી કારણોસર તે ફાટી શકે છે. ટ્રમ્પના મતે, જો આવું થયું તો પાઇપલાઇનને પહેલા જેવી સ્થિતિમાં ફરીથી બનાવવું લગભગ અશક્ય હશે અને તેની ક્ષમતા પણ ઘણી ઘટી જશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બાગેશ્વર બાબાના નિવેદન પર ભડક્યો રિતેશ દેશમુખ:કહ્યું- શિવાજી મહારાજ જવાબદારી છોડવા માંગતા હતા, એક્ટરનો જવાબ- અપમાન સહન નહીં થાય
    Next Article
    સુરત મનપા ચૂંટણી, EVMમાં ચેડાના ડરથી કોંગ્રેસ એલર્ટ મોર્ડમાં:ઉમેદવાર અને કાર્યકર્તાઓનો સ્ટ્રોંગ રૂમની બહાર રાત-દિવસ પહેરો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment