Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દુસ્તાન પેટ્રોલિયમ રિફાઈનરીની આગમાં 'સાયબર એટેક'ની આશંકા:ઓટોમેટિક કંટ્રોલ યુનિટ્સ હાઈજેક થયા હતા? એજન્સીઓએ આ એંગલ પર શરૂ કરી તપાસ

    11 hours ago

    દેશની સૌથી આધુનિક અને હાઈટેક બાલોતરાની પચપદરા રિફાઈનરીમાં 20 એપ્રિલે લાગેલી આગે સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા છે. આ દુર્ઘટનાને 'સાયબર એટેક' સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ આ એંગલ પર પણ તપાસને આગળ વધારી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દુર્ઘટના સમયે રિફાઈનરીના ઓટોમેટિક કંટ્રોલ યુનિટ્સને બહારથી 'હાઈજેક' કરી લેવામાં આવ્યા હશે. સુરક્ષા એજન્સીઓ હવે રિફાઈનરીના ડિજિટલ લોગ્સ અને ડેટાને ચકાસી રહી છે. નિષ્ણાતો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કોઈ બાહ્ય IP એડ્રેસે સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ તો નથી કર્યો ને? બીજી તરફ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. 1 કિમીના દાયરામાં આવતી દુકાનો હટી શકે છે, સુરક્ષા ઘેરો વધાર્યો દુર્ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અને બાલોતરા પોલીસ સંપૂર્ણપણે એક્ટિવ મોડમાં છે. સૂત્રો અનુસાર, રિફાઇનરીના 1 કિલોમીટરના દાયરામાં આવતી દુકાનો અને કોમર્શિયલ સંસ્થાઓને સુરક્ષા કારણોસર હટાવી શકાય છે. દાવો છે કે અહીં દિવસભર ભીડ રહે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટો ખતરો છે. પરવાનગી વગર પ્રવેશ પર પ્રતિબંધ વિસ્તારમાં રહેતા તમામ ભાડૂતો અને મજૂરોનું પોલીસ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પરવાનગી વગર કોઈપણ બહારની વ્યક્તિનો રિફાઇનરી પરિસરમાં પ્રવેશ સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યો છે. PMની સભા માટે બનેલા ડોમને એજન્સીઓએ ઘેરી લીધો રિફાઇનરીમાં આગ PM નરેન્દ્ર મોદીના પ્રવાસના બરાબર 20 કલાક પહેલા લાગી હતી. PM 21 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા. સભા માટે બનાવવામાં આવેલા 3 વિશાળ ડોમને હટાવવાનું કામ સુરક્ષા એજન્સીઓએ રોકાવી દીધું છે. એવું માનવામાં આવે છે કે એજન્સીઓ આ ડોમની આસપાસથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા માંગે છે જેથી સ્પષ્ટ થઈ શકે કે આગ તકનીકી ખામી હતી કે કોઈ સુનિયોજિત ષડયંત્ર. ટાટા પ્રોજેક્ટ્સ પાસે છે નિર્માણની જવાબદારી જે ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં આગ લાગી, તેનું નિર્માણ કાર્ય ટાટા પ્રોજેક્ટ્સ પાસે છે. હાલમાં, પ્રારંભિક અનુમાન ટેકનિકલ ખામી અથવા લીકેજનું છે, પરંતુ એજન્સીઓ હવે કોન્ટ્રાક્ટર કંપનીઓ, સાઇટ એન્જિનિયરો અને મેનેજમેન્ટની પૂછપરછ કરી રહી છે. વડાપ્રધાનનો પ્રવાસ સ્થગિત થયો હતો બાડમેર નજીક બાલોતરામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL)ની રિફાઇનરીમાં 20 એપ્રિલે બપોરે 2 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગ રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલને શુદ્ધ કરતી બે યુનિટમાં લાગી હતી. યુનિટમાંથી ધુમાડો નીકળતાં કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ 2 થી 3 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન યુનિટમાંથી જ્વાળાઓ નીકળતી રહી. લગભગ 79 હજાર 459 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ રિફાઇનરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે ઉદ્ઘાટન કરવાના હતા. આ ઘટના બાદ તેમનો પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    DC vs PBKS LIVE Score, IPL 2026: Delhi Capitals to bat first vs Punjab Kings at Kotla; Playing XI announced
    Next Article
    ટિકિટના નામે 15 લાખ સુધીની AAPએ ઉઘરાણી કર્યાનો સંઘવીનો આક્ષેપ:હર્ષ સંઘવીએ કહ્યું અંબાણી, અદાણીના બંગ્લા ભૂલી જાવ તેવો બંગ્લો દિલ્હીમાં બનાવ્યો છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment