Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયપુરમાં એક વર્ષ સુધી ભાડે રહ્યો લશ્કરનો આતંકવાદી:ફક્ત નમાઝ માટે બહાર નીકળતો, હરિયાણાના યુવકે રૂમ અપાવ્યો હતો

    22 hours ago

    લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો આતંકવાદી ઉમર હારિસ (અમજદ) જયપુરના દિલ્હી રોડ પર આવેલા જયસિંહપુરા ખોર વિસ્તારમાં લગભગ એક વર્ષ સુધી રહ્યો હતો. તેણે નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. આ જ પાસપોર્ટથી આતંકવાદી ઇન્ડોનેશિયા અને પછી સાઉદી અરેબિયા ભાગી છૂટવામાં પણ સફળ રહ્યો હતો. રાજસ્થાન એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઉમર હારિસ સડવા મોડ નજીક રાશિદ વિહાર કોલોનીમાં 'સજ્જાદ' નામથી રહેતો હતો. તેને અહીં 1500 રૂપિયામાં ભાડાનો રૂમ હરિયાણાના યુવકે અપાવ્યો હતો. સ્થાનિક લોકોના મતે, તે દિવસના લગભગ 16 કલાક લેપટોપ પર વિતાવતો હતો. તે કોઈની સાથે વાત કરતો ન હતો. લોકો સાથે તેનો સંપર્ક નહિવત્ હતો. તે ફક્ત નમાઝ માટે મસ્જિદ જતો અને તરત જ પાછો ફરતો હતો. આસપાસ રહેતા લોકોને પણ તેના વિશે વધુ જાણકારી ન હતી. સૂમસામ લોકેશનની વિચારપૂર્વક પસંદગી આતંકીએ જાણી જોઈને એવી જગ્યાએ ભાડાનો રૂમ લીધો હતો, જ્યાં અવરજવર ઓછી હોય. રાશિદ વિહાર કોલોની ઘણી અંદરની તરફ છે. જેના કારણે ત્યાં કોઈ વધારે આવતું-જતું પણ નથી. આ જ કારણ રહ્યું કે એક વર્ષ સુધી તે કોઈ શંકા વગર અહીં રહી શક્યો. ઉમર હારિસે કેટલાક લોકોને પોતાનું નામ 'અમજદ' પણ જણાવ્યું હતું. બીજી તરફ, સ્થાનિક લોકો તેના વિશે ખુલીને વાત કરવાનું ટાળતા જોવા મળ્યા. લોકોએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જમ્મુ અને રાજસ્થાન પોલીસની ટીમ અહીં આવી હતી અને ઘણા લોકોને કસ્ટડીમાં લઈને ગઈ હતી. 10 ગાડીઓમાં આવી હતી પોલીસ રાશિદ વિહાર કોલોનીના રિહાને જણાવ્યું કે, તે જયપુરમાં લગભગ 15 વર્ષથી રહે છે. જે ઘરમાં અહેમદ ઉર્ફે ખરગોશ રહેતો હતો, ત્યાં પણ એક પરિવાર લાંબા સમયથી રહે છે, પરંતુ તેણે ક્યારેય અહેમદને ત્યાં જોયો નથી. થોડા દિવસો પહેલા બહારની પોલીસની 10 ગાડીઓ આવી હતી, જેમણે સવારે લગભગ 11 થી સાંજે 5 વાગ્યા સુધી અહેમદ અને તે મકાનમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી. પાડોશીઓ બોલ્યા- શાંત સ્વભાવનો લાગતો હતો તપાસમાં સામે આવ્યું કે રાશિદ વિહાર કોલોની પાસે એક ખેતરમાં પાંચ ભાઈઓ સદ્દામ, આમિર હસન, જામિર, રાહુલ અને આફ્રિદીએ મકાન બનાવ્યું છે. આ જ મકાનમાં આતંકવાદીએ ભાડે રૂમ લીધો હતો. પડોશમાં રહેતા એક વ્યક્તિએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે 'સજ્જાદ'એ દાઢી વધારી રાખી હતી અને તે ખૂબ જ શાંત સ્વભાવનો લાગતો હતો. તે ન તો કોઈની સાથે વાતચીત કરતો હતો અને ન તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં સામેલ થતો હતો. પકડાયેલા લોકોમાં આમિર હસન પણ સામેલ છે, જે વ્યવસાયે મજૂર છે. તેની જમ્મુમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના સામે આવ્યા પછી આસપાસની કોલોનીઓમાં અજીબ શાંતિ છવાઈ ગઈ છે. લોકો આ વાતથી આશ્ચર્યચકિત છે કે જે વ્યક્તિને તેઓ એક શાંત પાડોશી સમજી રહ્યા હતા, તે દેશની સુરક્ષા માટે આટલો મોટો ખતરો હતો. એજન્સીઓ આ વાતની તપાસ કરી રહી છે કે જયપુરમાં તેના મદદગાર કોણ હતા અને લેપટોપ દ્વારા તે કઈ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો હતો. જમ્મુ પોલીસની કાર્યવાહીથી થયો ખુલાસો આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસને આતંકવાદી વિશે મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યું. ત્યારબાદ રાજસ્થાન એટીએસની મદદ લેવામાં આવી. એટીએસના અધિક પોલીસ મહાનિર્દેશક દિનેશ એમ.એન. અનુસાર, ચાર શંકાસ્પદોને પકડીને જમ્મુ કાશ્મીર પોલીસને સોંપી દેવામાં આવ્યા. 3 એપ્રિલે જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન પોલીસે રાશિદ વિહાર કોલોનીમાં દરોડા પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું-ઝાલમુરી મેં ખાધી, ઝાળ તેમને લાગી:બંગાળમાં બોલ્યા- 4 મેના રોજ ભાજપ જીતશે, મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચાશે
    Next Article
    સુરત પાટીદાર વિસ્તારમાં આપને પડાકારવા CM ખુદ મેદાને ઉતર્યા:ગુજરાતીઓને અભણ કહેવા પર મતદારનો કોંગ્રેસના નેતા પર સવાલોનો મારો, 'તમને લાફો મારી માફી માગું તો ચાલે?'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment