Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગંગા સપ્તમી અને ભગવાન ચિત્રગુપ્ત પ્રગટોત્સવ:પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનો અનેરો મહિમા, જાણો ગંગા નદી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ

    9 hours ago

    આજે 23 એપ્રિલના રોજ વૈશાખ શુક્લ સપ્તમી પર ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા, યમુના, નર્મદા અને શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, મંત્ર જાપ અને તપ કરવાની પરંપરા છે. આજે કરાયેલા ધર્મ-કર્મથી ભક્તને અક્ષય પુણ્ય મળે છે, આવું પુણ્ય જીવનભર અસરકારક રહે છે. આજે ભગવાન ચિત્રગુપ્તનો પ્રકટ ઉત્સવ પણ ઉજવવામાં આવશે. માન્યતા છે કે, ચિત્રગુપ્ત આપણા કર્મોનો હિસાબ રાખે છે અને મૃત્યુ પછી આત્માને કર્મોના હિસાબે સ્વર્ગ-નર્ક મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ગંગા સપ્તમી પર ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે. જે લોકો ગંગા નદી સુધી પહોંચી શકતા નથી, તેઓ યમુના, નર્મદા, શિપ્રા જેવી અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકે છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય, તો ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું પણ સમાન પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આજે નદી સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં, જૂતા-ચંપલ, ભોજન, પાણી, માટલા અને ધનનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલું દાન અનેકગણું ફળ આપે છે અને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. ગંગા સપ્તમીની પૌરાણિક કથા ગંગા સપ્તમી સાથે જોડાયેલી કથા અનુસાર વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે મહર્ષિ જહ્નુ તપસ્યા કરી રહ્યા હતા. ગંગાના તેજ પ્રવાહથી તેમનું ધ્યાન વારંવાર ભંગ થઈ રહ્યું હતું. ક્રોધિત થઈને તેમણે પોતાના તપોબળથી ગંગાને પી લીધાં. બાદમાં દેવતાઓના આગ્રહ પર તેમણે પોતાના જમણા કાનમાંથી ગંગાને ફરીથી પૃથ્વી પર પ્રવાહિત કરી. આ જ ઘટનાને કારણે ગંગાને જાહ્નવી નામ મળ્યું અને આ તિથિને પણ ગંગાના પ્રાગટ્યનો દિવસ માનવામાં આવે છે. ગંગાને મહર્ષિ જહ્નુની પુત્રી તરીકે પણ પૂજવામાં આવે છે. ગંગા નદી સાથે જોડાયેલી માન્યતાઓ
    Click here to Read More
    Previous Article
    IBM’s slower revenue growth fans AI worries, shares fall
    Next Article
    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:સાબરકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment