Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ત્રીત્વ:પિરિયડ કેલ્ક્યુલેટરથી જાણો આગામી પિરિયડ્સ ક્યારે આવશે?

    2 days ago

    નેન્સી શાહ માસિક ધર્મ એટલે કે પિરિયડ્સ દરેક મહિલાની જિંદગીનો મહત્ત્વનો ભાગ છે. સામાન્ય રીતે આ રક્તસ્રાવ 4થી 5 દિવસ સુધી રહે છે. માસિક ધર્મ ચક્ર સામાન્ય રીતે 12થી 15 વર્ષની ઉંમરે શરૂ થાય છે અને મેનોપોઝ સુધી ચાલે છે. પિરિયડ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? સામાન્ય રીતે માસિક ધર્મનો ચક્ર 28 દિવસનો માનવામાં આવે છે અને ઘણી મહિલાઓને લગભગ દર 28 દિવસે પિરિયડ્સ આવે છે. જોકે કેટલીક મહિલાઓમાં આ ચક્ર 21થી 40 દિવસ વચ્ચે પણ હોઈ શકે છે. દરેક મહિલાના શરીરની રચના અલગ હોવાથી પિરિયડ્સની તારીખમાં પણ ફરક હોઈ શકે છે. પિરિયડ ટ્રેકર એપ ટ્રેક કરવામાં મદદરૂપ બને છે. તેમાં દર મહિને પિરિયડ્સ શરૂ થયાની તારીખ નોંધવી પડે છે. સામાન્ય રીતે છેલ્લા ત્રણ માસિક ચક્રના આધારે તેની સરેરાશ કાઢવામાં આવે છે. ત્રણ મહિના સુધી માહિતી નોંધાયા પછી ટ્રેકર તમને આગામી પિરિયડ્સ, ઓવ્યુલેશન અને ફર્ટિલિટી દિવસોની માહિતી પણ આપી શકે છે. પિરિયડ્સ વચ્ચે કેટલા દિવસ છે તે કેવી રીતે જાણશો? પિરિયડ કેલ્ક્યુલેટરથી તમે પહેલાથી જાણી શકો છો કે તમે ક્યારે ઓવ્યુલેટ કરી રહ્યા છો. તેના દ્વારા તમને ખબર પડે છે કે પિરિયડ્સ આવવા માટે હજુ કેટલા દિવસ બાકી છે. તેથી તમે પહેલાથી તૈયાર રહી શકો છો અને આ સમય દરમિયાન અનાવશ્યક તણાવથી બચી શકો છો. પિરિયડ્સ ટ્રેક કરવું કેમ જરૂરી છે? પિરિયડ્સ ટ્રેક કરવાથી મહિલાઓને પોતાની લાઇફસ્ટાઇલ, ફર્ટિલિટી પિરિયડ, પ્રવાસ કે સામાજિક કાર્યક્રમોની યોજના બનાવવામાં મદદ મળે છે. ખાસ કરીને PCOD, PCOS અથવા એન્ડોમેટ્રિઓસિસ જેવી સમસ્યાઓથી પીડિત મહિલાઓ માટે પિરિયડ્સ ટ્રેક કરવું ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે ચક્રની અનિયમિતતા સમજવામાં મદદ કરે છે. પ્રેગ્નન્સી વિશે પણ મળી શકે છે માહિતી જે મહિલાઓ પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છે તેઓ માટે પણ આ ખૂબ મદદરૂપ છે, કારણ કે તે ઓવ્યુલેશનના દિવસોની જાણકારી આપે છે. પિરિયડ્સ પછી ઓવ્યુલેશન ક્યારે થાય છે? સામાન્ય રીતે 28 દિવસના માસિક ચક્રમાં 10થી 15 દિવસ વચ્ચે ઓવ્યુલેશન થવાની શક્યતા રહે છે. પિરિયડ્સ સામાન્ય રીતે 4થી 5 દિવસ ચાલે છે, તેથી ઓવ્યુલેશન સામાન્ય રીતે પિરિયડ્સ પછીના 6થી 11 દિવસ વચ્ચે થઈ શકે છે. પિરિયડ્સ શરૂ થયા પછી 14મો દિવસ ઓવ્યુલેશનનો સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે. જો કે દરેક મહિલામાં આ સમય અલગ હોઈ શકે છે. ઓવ્યુલેશનના દિવસોમાં ગર્ભ ધારણ કરવાની શક્યતા સામાન્ય દિવસો કરતાં લગભગ 27થી 33 ટકા વધારે હોય છે. તેથી જે મહિલાઓ માતૃત્વ માટે આયોજન કરી રહી છે તેઓ માટે આ દિવસો ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. જો મહિલાઓ પોતાનો માસિક ચક્ર નિયમિત રીતે ટ્રેક કરે તો તેઓ પોતાની આરોગ્યની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે અને જરૂર પડે ત્યારે સમયસર તબીબી સલાહ પણ લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રસથાળ:બહારની કુલ્ફી ભૂલી જશો, જ્યારે ઘરે બનાવશો ફ્રૂટ કુલ્ફી
    Next Article
    ખોબામાં દરિયો:ગોડ ઈઝ ગ્રેટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment