Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા:થોડીવારમાં યમુનોત્રીના કપાટ ખુલશે; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના

    5 days ago

    ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રીના કપાટ બપોરે 12:15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ટૂંક સમયમાં યમુનોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવશે. કેદારનાથની પાલખી પણ આજે તેના શિયાળુ સ્થાન, ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થઈ છે. સવારે 8 વાગ્યે ઉત્તરકાશી જિલ્લાના શિયાળુ ગાદી સ્થળ ખરસાલીથી મા યમુનાની ઉત્સવ પાલખી, સમેશ્વર દેવતાની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થઈ હતી. આ દરમિયાન ગ્રામજનોએ ભીની આંખો અને જયઘોષ સાથે પોતાની આરાધ્ય દેવીને વિદાય આપી. જ્યારે ગંગોત્રીની પાલખી ગઈકાલે જ તેના શિયાળુ ગાદી સ્થળ મુખબાથી રવાના થઈ ચૂકી હતી જે આજે સવારે 9 વાગ્યે તેના ધામમાં પહોંચી ગઈ હતી, અહીં હવન પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે 12:15 વાગ્યે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન અહીં સીએમ ધામી પણ હાજર રહેશે જે પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવશે. આ તરફ, આજે સવારે જ માતા યમુનાની પાલખી ખરસાલીથી નીકળી ગઈ છે, જે 5 કિલોમીટરના સીધા ચઢાણ પછી યમુનોત્રી ધામ પહોંચી છે, ત્યારબાદ બપોરે લગભગ 12:35 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ચાર ધામ યાત્રા સાથે જોડાયેલી પળ-પળની અપડેટ માટે લાઈવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Top News 19 April 2026 Live:Iran Closes Strait of Hormuz|Firing on Indian Ship|Munir threat to trump
    Next Article
    દીપિકા-રણવીરના ઘરે ફરી ગુંજશે કિલકારી:40ની ઉંમરે એક્ટ્રેસ બીજી વખત માતા બનશે, પ્રેગ્નન્સી કિટ સાથે દુઆની ક્યૂટ તસવીરે લોકોના દિલ જીત્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment