Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રહેમાન ડકૈતનો રોલ અક્ષયને બદલે તારે કરવો જોઈતો હતો':શત્રુઘ્ન સિંહાએ ગુલશન ગ્રોવરને 'ધુરંધર' માટે પરફેક્ટ ગણાવ્યા, 'બેડ મેન'એ પણ સંમતિ દર્શાવી

    4 days ago

    'ધુરંધર'માં અક્ષય ખન્નાનો રહેમાન ડકૈતનો રોલ બોલિવૂડના 'બેડ મેન' ગુલશન ગ્રોવરે કરવો જોઈતો હતો, તેવી ઇચ્છા પીઢ એક્ટર શત્રુઘ્ન સિંહાએ વ્યક્ત કરી છે. આ વાત ગુલશન ગ્રોવરે જણાવી છે. વાસ્તવમાં, ગુલશન ગ્રોવર આ દિવસોમાં તેમની આગામી સિરીઝ 'મટકા કિંગ'નું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ઇન્ડસ્ટ્રીમાં જૂના ટ્રેન્ડ્સની વાપસી પર વાત કરી. 'ફેશનથી લઈ ફિલ્મો સુધી નોસ્ટાલ્જિયાની અસર દેખાય છે' 'ઇન્ડિયા ટુડે' સાથેની વાતચીતમાં ગ્રોવરે કહ્યું કે, 'સિનેમા એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં જૂની શૈલીઓ, પાત્રો અને વાર્તા કહેવાની રીતો ફરીથી પાછી આવી રહી છે. ફેશનથી લઈને ફિલ્મો સુધી, નોસ્ટાલ્જિયાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.' એક્ટરે કહ્યું કે, 'આજકાલ બેલ-બોટમ જેવા જૂના ફેશન ટ્રેન્ડ પાછા આવી રહ્યા છે. સાથે જ ઘણા જૂના ગીતો રીમેક તરીકે પાછા આવી રહ્યા છે અને પર્ફોર્મન્સ-ડ્રિવન સિનેમા પણ ફરીથી જોવા મળી રહ્યું છે.' 'પબ્લિક પણ આ વાત સાથે સહમત છે' ગુલશન ગ્રોવરે તાજેતરમાં થયેલા એક ડિનરનો ઉલ્લેખ કર્યો, જેમાં શત્રુઘ્ન સિંહા, રાકેશ રોશન હાજર હતા. તેમણે જણાવ્યું કે, 'ડિનરમાં શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ 'ધુરંધર'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, મારે તેમાં હોવું જોઈતું હતું.' ગ્રોવરના મતે, 'સિંહાએ એમ પણ કહ્યું કે જો તું રહેમાન ડકૈતનો રોલ ભજવતો, તો વધુ સારું થાત.' આના પર ગુલશન ગ્રોવરે સહમતિ દર્શાવી અને કહ્યું કે, 'પબ્લિક પણ આ વાત સાથે સહમત છે.' ગુલશન ગ્રોવરે 'ધુરંધર'નું ઉદાહરણ આપતા કહ્યું કે, 'જૂના જમાનાના રોલ અને ફિલ્મી એલિમેન્ટ્સ આજે ફરીથી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે. તે સમયની ઘણી વિશેષતાઓ હવે ફરીથી દેખાઈ રહી છે.'
    Click here to Read More
    Previous Article
    Parliament special sitting LIVE updates: Oppn meet underway ahead of Delimitation Bill discussion in Parliament
    Next Article
    ‘એવો વિજય અપાવો કે વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર ના આવે’:મહેસાણાથી CMનો પ્રચાર શરૂ; ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે લાલચ, મારામારી, અપહરણની ઘટનાઓએ ગુજરાતી અસ્મિતાને લજવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment