Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી:'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર સેમિનાર યોજાયો

    1 week ago

    હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનની ૨૭૧મી જન્મજયંતિ નિમિત્તે ૧૨ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે, મુંબઈના જાણીતા હોમિયોપેથીક ડોક્ટર દિવ્યા છાબરાના પ્રવચનનું આયોજન કરાયું હતું. ડૉ. છાબરાએ 'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર એક સેમિનાર રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વિજેતા ડોક્ટર ભાસ્કર ભટ્ટનું અભિવાદન કરાયું હતું. ડોક્ટર હર્ષિત ત્રિવેદીએ હોમિયોપેથ્સ બેનેવોલન્ટ સોશિયલ સિક્યોરિટી સ્કીમ વિશે ઉપસ્થિત ડોકટરોને માહિતી આપી હતી. આ સેમિનારમાં અમદાવાદ શહેરના અનેક જાણીતા હોમિયોપેથિક ડોકટરો હાજર રહ્યા હતા. કુલ ૮૦થી વધુ હોમિયોપેથિક ડોકટરોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરની શાળા નં. 56 ને ₹2.15 લાખનું દાન:મુંબઈ નિવાસી કિર્તીભાઈ શાહે CCTV, સ્માર્ટ TV ભેટ આપી સુરક્ષા અને શિક્ષણ સુધાર્યા
    Next Article
    ભારતીય યોગ સંસ્થાનનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો:શ્રી સદન 17માં 'જીવો અને જીવન દો' મંત્ર સાથે યોગાભ્યાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment