Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારે વરુથિની એકાદશી:લક્ષ્મી-નારાયણની આરાધનાનું વિશેષ મહત્ત્વ, આજ સાંજથી જ આ રીતે શરૂ કરો પૂજા-પાઠ

    14 hours ago

    સોમવાર, 13 એપ્રિલના રોજ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે, જેને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવા અને વ્રત રાખવાથી અક્ષય પુણ્ય મળે છે, એવું પુણ્ય જેની અસર જીવનભર રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે, જેમાં આખા વર્ષની તમામ એકાદશીઓ વિશે જણાવવામાં આવ્યું છે. પૌરાણિક કથા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એકાદશીઓનું મહત્વ જણાવ્યું હતું. આ વ્રત ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનારું માનવામાં આવે છે. લક્ષ્મી-નારાયણની પૂજા આ રીતે કરો વરુથિની એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખથી વિશેષ અભિષેક કરવો જોઈએ. અભિષેક માટે કેસર મિશ્રિત જળનો ઉપયોગ કરશો, તો ખૂબ જ શુભ રહેશે. એકાદશીની પૂજામાં ભગવાનને લાલ-પીળા ચમકદાર વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. વિષ્ણુ-લક્ષ્મીને ચંદન કે હળદરથી તિલક કરો. પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવીને ભગવાનની આરતી કરો. પીળા ફૂલ અને ફૂલોની માળા અર્પણ કરો. ભોગમાં કેળા, ગોળ અને મીઠાઈ તુલસીના પાન સાથે ચઢાવો. માન્યતા છે કે, તુલસી વિના ભગવાન વિષ્ણુ પ્રસાદ સ્વીકાર કરતા નથી. પૂજામાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. આ રીતે કરી શકો છો એકાદશી વ્રત એકાદશી વ્રતની શરૂઆત દશમી (12 એપ્રિલ)ની સાંજથી થાય છે. દશમીની સાંજે સાત્વિક ભોજન કરો. સાંજે ભગવાનની પૂજા કરો. બીજા દિવસે એટલે કે એકાદશી (13 એપ્રિલ)ની સવારે સૂર્યોદય પહેલાં જાગો, ઉગતા સૂર્યને જળ ચઢાવો. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન સામે પૂજા અને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લો. ભગવાનની પૂજા કરો અને પૂજા પછી આખો દિવસ નિરાહાર રહો એટલે કે અન્ન ખાવું નહીં. જે લોકો ભૂખ્યા રહી શકતા નથી, તેઓ ફળાહાર લઈ શકે છે, દૂધ-ફળોનો રસ પી શકે છે. સાંજે પણ ભગવાનની પૂજા કરો. બીજા દિવસે એટલે કે દ્વાદશી (14 એપ્રિલ) તિથિ પર પણ સવારે પૂજા કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. ત્યારબાદ પોતે ભોજન કરો. આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે. એકાદશી પર કરો આ વસ્તુઓનું દાન શાસ્ત્રોમાં એકાદશી વ્રતને આત્મશુદ્ધિનું માધ્યમ ગણાવવામાં આવ્યું છે. આ દિવસે વ્રત રાખવાથી ભક્તના મન, વચન અને કર્મની શુદ્ધિ થાય છે, જેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. વ્રત-પૂજા કરવા ઉપરાંત તલ, અન્ન, ભોજન, જૂતા-ચપ્પલ, છત્રી, માટલું, પાણી, ધન અને હળદરનું દાન કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    શું તમારું મકાન નથી વેચાઈ રહ્યું?:ડૉ. પંકજ નાગરના આ સરળ ઉપાયથી તરત આવશે ગ્રાહક
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મકર-મીન રાશિના જાતકોના અટકેલા પૈસા પરત મળશે, મિથુન રાશિના લોકોને રોકાણનો બમણો લાભ થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment