Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના રતન તળાવમાં માછલીઓના મોત:દુર્ગંધ ફેલાતા આસપાસના સ્થાનિકોને ભારે હાલાકી; પાણીના નમૂનાઓની તપાસ, સફાઈ માટે પગલાં લેવાની માંગ

    19 hours ago

    ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી શહેરમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તળાવના વિકાસ માટે અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કામગીરી વચ્ચે આ બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત જોખમો ઊભા થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે, કેમિકલયુક્ત ગંદુ પાણી તળાવમાં ભળવાને કારણે જળચરો મૃત્યુ પામી રહ્યા છે. અગાઉ પણ આ જ તળાવમાં કાચબાના મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મામલે નાગરિકોએ નગર સેવા સદનને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ પીયૂષ પટેલ અને પર્યાવરણપ્રેમીઓએ તંત્ર પાસે પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, "અમને તેની જાણ થઈ છે. હાલમાં મૃત માછલીઓ બહાર કાઢી તેની સફાઈ કરાવીશું. સાથે જ કયા કારણોથી માછલીઓના મોત થયા છે તેની તપાસ કરાવીશું."
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં 19 નવા સભ્યોએ શપથ લીધા:શરદ પવાર વ્હીલચેર પર પહોંચ્યા; 16 એપ્રિલથી ત્રણ દિવસનું વિશેષ સત્ર
    Next Article
    ગઢડામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે AAP સક્રિય:7 જિલ્લા, 22 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment