Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર' રણવીર હવે ચંદ્રગુપ્ત મૌર્ય બનશે?:આદિત્ય ધર સાથે ઐતિહાસિક ફિલ્મમાં જોડાય તેવી ચર્ચા; અભેરાઈએ ચડાવેલી 'અશ્વત્થામા' અંગે પણ હલચલ શરૂ

    2 days ago

    ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીની સફળતા પછી, હવે બધાની નજર એ વાત પર છે કે ડિરેક્ટર આદિત્ય ધરનો આગામી પ્રોજેક્ટ કયો હશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આદિત્ય ધર રણવીર સિંહ સાથે પણ એક પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યો છે. ઐતિહાસિક તથા સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ બનાવવાની ચર્ચા 'વેરાયટી ઇન્ડિયા'ના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, આદિત્ય ધર હાલમાં ત્રણ સ્ક્રિપ્ટ પર વિચાર કરી રહ્યા છે. જેમાં 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા', એક ઐતિહાસિક ફિલ્મ અને એક મોટા સ્તરની સ્પોર્ટ્સ ફિલ્મનો સમાવેશ થાય છે. તેમની આગામી ફિલ્મ આમાંથી કોઈ એક હોઈ શકે છે, જ્યાં સુધી કોઈ નવો પ્રોજેક્ટ પ્રાથમિકતામાં ન આવે. એક સૂત્રનું કહેવું છે કે, 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા' આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. આ ફિલ્મ પર તેણે પહેલા ઘણું કામ કર્યું હતું, પરંતુ વધુ બજેટને કારણે તેને રોકી દેવામાં આવી હતી. હવે તેની સફળતા અને ઇન્ડસ્ટ્રીમાં વધતા વિશ્વાસને કારણે આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાની સંભાવના બની રહી છે. ચંદ્રગુપ્ત મૌર્ય પર આધારિત ફિલ્મ પર પણ ચર્ચા અન્ય એક સૂત્ર મુજબ, આદિત્ય ધર ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ બનાવવામાં પણ રસ ધરાવે છે. આ પ્રોજેક્ટને લઈને તેની રણવીર સિંહ સાથે ગયા વર્ષથી વાતચીત ચાલી રહી છે. ‘ધુરંધર’ની સફળતા પછી બંને ફરીથી આ અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિષય હજુ સુધી વધુ શોધાયો નથી અને તેમાં ડ્રામા, એક્શન અને રાજકારણ જેવા ઘણા મજબૂત તત્વો છે. જો ‘અશ્વત્થામા’ નહીં બને, તો આ પ્રોજેક્ટ આગળ વધી શકે છે. આ ઉપરાંત, એક સ્પોર્ટ્સ ડ્રામા પણ શરૂઆતી તબક્કામાં છે, જે મોટા પાયે બનાવી શકાય છે. જોકે તેની જાણકારી હજુ સ્પષ્ટ નથી. સૂત્રો અનુસાર, આદિત્ય ધર ‘ધુરંધર 2’ પછી તરત જ નવી ફિલ્મ શરૂ નહીં કરે. ત્રણ વર્ષ સુધી એક જ ફિલ્મ પર કામ કર્યા પછી તે બ્રેક લેશે.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: Nitin Nabin says NDA will retain power in Assam with ‘massive mandate’
    Next Article
    સેલવાસના એક ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:સ્કૂલથી માત્ર 30 મીટર દૂર થયો ધડાકો; 8ને હોસ્પિટલ ખસેડાયા, ગોડાઉન ગેરકાયદેસર હશે તો એક્શન લેવાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment