Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્જુન રામપાલે 'ભારત માતા કી જય' કહેતા વિવાદ:શોભા ડેએ સૂત્રોચ્ચાર પર પ્રશ્નો ઉઠાવ્યા; એક્ટરની ગર્લફ્રેન્ડે લેખિકાનો ઉધડો લીધો

    10 hours ago

    ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં વિલન બનેલા એક્ટર અર્જુન રામપાલ એક નવા વિવાદમાં ફસાયો છે. તાજેતરમાં એક એવોર્ડ શો દરમિયાન 'ભારત માતા કી જય' નો નારો લગાવવા બદલ લેખિકા શોભા ડે એ તેની ટીકા કરી છે. આના પર અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે તીખી પ્રતિક્રિયા આપતા શોભા ડે ના લેખને 'શરમજનક' ગણાવ્યો છે. શોભા ડેએ અર્જુન રામપાલના નારા પર પ્રશ્નો ઉઠાવ્યા ખરેખરમાં, લેખિકા શોભા ડે એ એક લેખમાં લખ્યું કે, 'અર્જુન રામપાલનું ભારત માતા કી જય કહેવું બોલિવૂડના દર્શકો માટે શા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.' શોભા ડે એ પોતાના લેખમાં દલીલ કરી છે કે, બોલિવૂડમાં આવા નારાઓનો ઉપયોગ હવે 'સ્વાભાવિક' દેખાવા માટે રાજકીય દિશા-નિર્દેશો હેઠળ કરવામાં આવી રહ્યો છે. તેમણે તેને સ્ટાર્સના બદલાતા રાજકીય વલણ અને ભવિષ્યના બોલિવૂડ માટે એક ચિંતાજનક સંકેત ગણાવ્યો છે. ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ લેખને શરમજનક ગણાવ્યો શોભા ડેના લેખ પર અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ સખત વાંધો ઉઠાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'આવી વાતો કરવી શરમજનક છે.' ગેબ્રિએલાએ અર્જુનનો બચાવ કરતા કહ્યું કે, 'તેના અભિનય અને મહેનતને રાજકારણ સાથે જોડવું ખોટું છે.' ગેબ્રિએલાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ફિલ્મ 'ધુરંધર 2'ના વખાણ પણ કર્યાં અને તેને તેની અત્યાર સુધીની સૌથી મનપસંદ હિન્દી ફિલ્મ ગણાવી. તેણે અર્જુનની ધગશ અને આદિત્ય ધરના ડિરેક્શનને માસ્ટરપીસ ગણાવ્યું છે. 26/11 ના ભયાનક અનુભવ સાથે જોડાયેલો છે નારો એવોર્ડ ફંક્શનમાં અર્જુને જણાવ્યું કે, તેના માટે આ નારો માત્ર એક ઔપચારિકતા નહોતો. વર્ષ 2008ના 26/11ના હુમલાઓ દરમિયાન અર્જુન પોતે હોટલમાં હાજર હતો અને પોતાનો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે પોતાની આંખોથી તે ભયાવહ દ્રશ્ય જોયું હતું. અર્જુને કહ્યું, ''ધુરંધર' ફિલ્મમાં કામ કરવું મારા માટે એક અંગત બદલો લેવા જેવું હતું. 26/11ની સવારે જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે મને રસ્તામાં ઘણી વાર રોકાઈને ઉલટીઓ થઈ હતી. આદિત્ય ધરે જ્યારે મને સીન સંભળાવ્યો, ત્યારે મને લાગ્યું કે હું આના દ્વારા મારો બદલો લઈશ.' ISI એજન્ટનો રોલ કરીને અર્જુન રડી પડ્યો હતો આદિત્ય ધરની આ જાસૂસી થ્રિલરમાં અર્જુન રામપાલે મેજર ઇકબાલનું પાત્ર ભજવ્યું છે, જે એક ક્રૂર પાકિસ્તાની ISI એજન્ટ છે. ફિલ્મના એક દ્રશ્યમાં અર્જુનનું પાત્ર હોટલમાં આતંકવાદીઓના સંપર્કમાં રહીને ઉજવણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પડકારજનક અને નકારાત્મક દ્રશ્યનું શૂટિંગ પૂરું કર્યા પછી અર્જુન પોતે સેટ પર રડી પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Mira Kapoor on being present, maintaining balance, and spending time with her kids: ‘That’s when they tell me…’
    Next Article
    ભાવનગર મનપાની મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ:રામનવમીની રજામાં પણ રિકવરી, એક જ દિવસમાં 66 લાખની વસૂલાત; 90 મિલકતો સીલ અને 22 કનેક્શન કાપ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment