Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતા રેપ-મર્ડર કેસની પીડિતાની માતા ભાજપના ઉમેદવાર:મમતાએ કહ્યું- ભાજપની રાજ્યને બિહારમાં ભેળવવાની યોજના; હિમંતા બોલ્યા- વિપક્ષ પાસે એજન્ડા નથી

    1 day ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં 19 નામોનો સમાવેશ થાય છે. આ યાદીમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસની પીડિતાની માતાને પાનીહાટી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા પ્રથમ યાદીમાં 144 અને બીજી યાદીમાં 111 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૈનાગુડીમાં એક રેલી દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપ બંગાળને ખતમ કરવા માંગે છે અને રાજ્યને બિહારમાં ભેળવવાની યોજના બનાવી રહ્યું છે. મમતાએ દાવો કર્યો કે તેમણે ઉત્તર બંગાળના વિભાજનના પ્રયાસને રોકી દીધો છે અને આ મુદ્દે પહેલાથી જ અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ, આસામના નગાંવમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વિપક્ષ પાસે કોઈ નક્કર એજન્ડા નથી અને જનતાએ છેલ્લા 60 વર્ષમાં તેમનું કામ જોઈ લીધું છે, તેથી હવે લોકો તેમને સમજી ગયા છે. ચૂંટણી પંચે બુધવારે પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં ટેકનિકલ ખામી હોવાનું સ્વીકાર્યું. ડિસ્પ્લે એરરને કારણે મતદારોના નામ ચકાસણી હેઠળ દેખાઈ રહ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ટીમે લગભગ બે કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે. કમિશન આ મુદ્દાની તપાસ કરી રહ્યું છે. મંગળવારે સાંજે જ્યારે બંગાળમાં ઘણા લોકોએ તેમના વોટર સ્ટેટસ (તેમના EPIC નંબરથી) તપાસ્યા, ત્યારે તેમને તેમના નામની બાજુમાં "તપાસ હેઠળ" લખેલું દેખાયું. આ એવા લોકો સાથે પણ બન્યું જેમના નામ પહેલાથી જ ફાઈનલ મતદાર યાદીમાં સામેલ હતા. શાસક ટીએમસી પાર્ટીએ આ અંગે સાવલ ઉઠાવતા કહ્યું કે એવું લાગે છે કે બધા મતદાતાઓ શંકાના દાયરામાં છે. જોકે, ચૂંટણી પંચે તેને માત્ર ટેકનિકલ એરર ગણાવી છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પશ્ચિમ બંગાળમાં પૂર્વ TMC નેતા હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. બુધવારે, બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગઠબંધનની જાહેરાત કરી. પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર માટે AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીની કોલકાતાની મુલાકાત અંગે ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ઓવૈસી લાંબા સમયથી બંગાળમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી પાર્ટીઓ બીજી જગ્યાએ સફળ થઈ છે, પરંતુ બંગાળમાં લોકો કોઈને પણ સહેલાઈથી સ્વીકારતા નથી. તેમણે કામ કરવું પડશે અને લડવું પડશે, અને પછી બંગાળ તેમને સ્વીકારશે. આ બાબતે ઓવૈસીએ જવાબ આપ્યો- બંગાળના લોકો અહીં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેઓ નવા વિકલ્પો શોધી રહ્યા છે, અને અમે તેમને ભાજપ- કોંગ્રેસ સિવાય એક નવો વિકલ્પ આપીશું. તમિલનાડુના તિરુચિરાપલ્લીના તિરુપ્પરૈથુરાઈમાં 50થી વધુ પરિવારોએ આ વર્ષની વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 16 વર્ષથી વીજળી, પાણી અને શૌચાલય વિના જીવી રહ્યા છે. તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMKએ આગામી વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. AIADMKએ જાહેરાત કરી છે કે પાર્ટીના વડા પલાનીસ્વામી તેમના ગૃહ મતવિસ્તાર, સેલમની એડપ્પાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાંચેય રાજ્યોમાં ચૂંટણી અંગે અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    રામનવમીનું રાશિફળ:ભગવાન રામની કૃપાથી સિંહ-ધન રાશિની મુશ્કેલીઓનો અંત આવશે, વૃષભ-મકર રાશિના લોકોને મળશે સફળતા
    Next Article
    જામનગરમાં IG નિર્લિપ્ત રાયનું રાત્રિ પેટ્રોલિંગ:અસામાજિક તત્વોને પકડી કાયદાના પાઠ ભણાવ્યા, કરાવી સફાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment