Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે સ્વસ્થ:તેમને કોઈ ઈજા નથી; ટ્રમ્પે કહ્યું- બાકીના દેશો પણ હોર્મુઝ સ્ટ્રેટની જવાબદારી લે

    4 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઇરાને કહ્યું છે કે દેશના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ખામેની સામાન્ય રીતે પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે. આ પહેલા બ્રિટિશ મીડિયા ધ સને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મુજતબા 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે અને તેમનો એક પગ પણ કાપવો પડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડે પણ કહ્યું હતું કે મુજતબા ઘાયલ થયા છે. જોકે, અરાઘચીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ લેનારા દેશોએ આ દરિયાઈ માર્ગની સુરક્ષાની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકા અન્ય દેશો સાથે મળીને આ માર્ગને સુરક્ષિત રાખવા માટે કામ કરશે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલનો વેપાર થાય છે. LPG લાવતા 2 ભારતીય જહાજોએ હોર્મુઝ પાર કર્યું ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયા છે. ઈરાને એક દિવસ પહેલા આ જહાજોને પસાર થવાની મંજૂરી આપી હતી અને હવે તે ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યા છે. શિપિંગ જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાના જણાવ્યા અનુસાર, ભારતીય ધ્વજવાળા LPG કેરિયર શિવાલિક અને નંદા દેવીએ શનિવારે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું. બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બંને જહાજ ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદરગાહ તરફ જઈ રહ્યા છે અને આગામી 2-3 દિવસમાં ભારતમાં પહોંચવાની સંભાવના છે. આ બંને જહાજ તે 24 જહાજોમાં સામેલ હતા, જે મિડલ-ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા પછી હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ભાગમાં ફસાઈ ગયા હતા. આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ શુક્રવારે કહ્યું હતું કે ઈરાને ઘણા ભારતીય જહાજોને આ જળમાર્ગથી પસાર થવાની મંજૂરી આપી છે, જોકે તેમણે એ જણાવ્યું ન હતું કે કુલ કેટલા જહાજોને મંજૂરી આપવામાં આવી. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    The many crimes of Alia Bhatt: Smiling, speaking, existing, the Internet has a problem with everything
    Next Article
    ઝાયડસ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે હેલ્થ ટોક યોજાઈ:પેટ, હૃદય અને પ્રોસ્ટેટ કેન્સર વિશે નિષ્ણાત ડોકટરોએ માહિતી આપી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment