Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ગેસ પુરવઠો યથાવત હોવાનો સરકારનો દાવો:કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશે, સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી થશે

    11 hours ago

    મધ્ય-પૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં LPG અને LNGના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે વ્યવસ્થા કેન્દ્ર સરકારે 5 માર્ચ 2026ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા LPGના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે થાય તે માટે નિયમનકારી વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ ગેસ જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ – IOCL, BPCL અને HPCLને જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પગલાંનો મુખ્ય હેતુ ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો અવિરત જાળવી રાખવાનો છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરાયો આ ઉપરાંત 9 માર્ચ 2026ના નોટિફિકેશન દ્વારા ઘરેલુ PNG અને વાહનો માટેના CNGને પ્રાથમિકતા-1 ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આ ક્ષેત્રોને 100 ટકા કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો સરકારે જણાવ્યું છે કે આવનારા સમયમાં મધ્ય-પૂર્વ સિવાયના વિશ્વના અન્ય વિસ્તારોમાંથી LNGના નવા કાર્ગો ભારત પહોંચવાના હોવાથી ગેસ પુરવઠાની સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવના છે. ગુજરાત દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં હાલમાં 1073 CNG સ્ટેશનો કાર્યરત છે અને 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકોને સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેસ પુરવઠાની હાલની સ્થિતિ પર ચર્ચા કરાઈ તા. 13 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ પુરવઠાની પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિના પડકારો અને આગામી દિવસોમાં પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઘરેલુ LPG, PNG અને વાહનો માટેના CNGનો પુરવઠો નાગરિકોને વિના અડચણ મળી રહે તે માટે આગોતરા આયોજન અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશે આ બેઠકમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઘરેલુ તથા કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારવા અને નવા વિસ્તારોમાં ગેસ નેટવર્કનું ઝડપી વિસ્તરણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી તેમજ રાજય મંત્રીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હોસ્ટેલો, રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને ગેસ પુરવઠો મળી રહેશે સરકારે જણાવ્યું છે કે ઘરેલુ LPG ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી તેમજ રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને પણ જરૂરી ગેસ પુરવઠો મળી રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગ્રહખોરી અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી સાથે જ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને LPG વિતરણ એજન્સીઓ સાથે સંકલન કરીને વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવાની સૂચના આપવામાં આવી છે. LPG અને LNG આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આવતાં હોવાથી તેની સંગ્રહખોરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યક્તિ દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે શહેર વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનું અંતર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકાર અને સંબંધિત કંપનીઓએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યમાં ગેસ પુરવઠો જાળવવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોત્રીમાં કુમકુમ મંદિરના સંતોનો સત્સંગ યોજાયો:તણાવમુક્તિ માટે દવા નહીં, ધ્યાન જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા કથિત તોડકાંડનો મામલો:અનિલ મકવાણા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ હાજર થયા, કોંગ્રેસે સર્કિટ હાઉસમાં ગંગાજળનો છંટકાવ કરી શુદ્ધિકરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment